Health Tips: સવારે ખાલી પેટે એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી થશે આ ખાસ ફાયદાઓ

દરેક રસોડામાં મેથી આસાનીથી મળી જાય છે. પણ નાનકડા મેથીના દાણાના ફાયદા પણ અઢળક છે.

Health Tips: સવારે ખાલી પેટે એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી થશે આ ખાસ ફાયદાઓ
Drink 1 glass of fenugreek water on an empty stomach in the morning,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 1:20 PM

Health Tips :  ભારતીય ઘરોમાં મેથીનો( fenugreek) વ્યાપક ઉપયોગ થાય છે. ભારતમાં લોકો ખૂબ જ ઉત્સાહથી મેથી ખાય છે. અહીં લોકો શાકભાજી તરીકે મેથીનું સેવન કરે છે, તો ક્યારેક પરાઠામાં અને ક્યારેક લાડુના રૂપમાં, પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકોને મેથીના ફાયદા વિશે ખબર છે. આયુર્વેદિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મેથીમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે, જે ખૂબ જ ફાયદાકારક(benefit) છે. મેથી ની મદદ થી આપણે અનેક પ્રકારના રોગો અને બીમારીઓ મટાડી શકીએ છીએ. મેથીના દાણામાં એન્ટી ઓક્સિડેન્ટ સારી માત્રામાં હોય છે.

આયુર્વેદ(ayurved ) નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મેથીના દાણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, ખાસ કરીને જ્યારે તમે તેને સવારે ખાલી પેટ પીવો. વાળ અને ત્વચા માટે મેથીના પાણીનો ઉપયોગ પણ થાય છે. મેથીની અંદર ઘણા તત્વો જોવા મળે છે, જે શરીર માટે જરૂરી છે. મેથીમાં પ્રોટીન, ઉર્જા, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ વગેરે હોય છે.

*સવારે મેથીનું પાણી કેવી રીતે બનાવવું?*(fenugreek water) મેથીનું પાણી બનાવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવાની જરૂર નથી. રાત્રે એક થી બે ચમચી મેથીના દાણા એક ગ્લાસ શુધ્ધ પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા બાદ આ પાણીને યોગ્ય રીતે ગાળી લો અને પછી તેને ખાલી પેટ પીવો. જો તમે ઇચ્છો તો, તમે પછીથી મેથીના દાણા પણ ખાઈ શકો છો. મેથીનું પાણી સવારે ખાલી પેટ પીવાથી શરીરમાં રહેલી  ટોકિન્સ બહાર નીકળી જાય છે. મેથી ગરમ છે, તેથી સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ પર જ તેનું સેવન કરવું જોઈએ.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

મેથીનું પાણી ખાલી પેટ પીવાના ફાયદા સવારે ખાલી પેટ પર મેથીનું પાણી પીવાથી વજન ઓછું થાય છે. તે કોલેસ્ટરોલને ખૂબ જ ઝડપથી ઘટાડે છે. તે એસિડિટીની સમસ્યાને દૂર કરે છે, પાચન શક્તિમાં સુધારો કરે છે અને પેટની ઘણી સમસ્યાઓ જેવી કે એસિડિટી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. મેથીનું પાણી બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરે છે. સાંધાનો દુખાવો ઓછો કરે છે. તમે અઠવાડિયામાં એક વાર મેથીના પાણીથી તમારા વાળ પણ ધોઈ શકો છો. આ વાળના વિકાસમાં ઘણી મદદ કરી શકે છે.

આ પણ વાંચો : જો તમારું પણ સપનું છે પદ્મ એવોર્ડ માટેનું ? આ રીતે કરી શકો છો એપ્લાય

આ પણ વાંચો : એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પહેલી નોકરીની અરજીની આટલા કરોડમાં કરવામાં આવી હરાજી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">