PAN Card Fraud : આજના સમયમાં પાન કાર્ડ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ બની ગયું છે. તેનો ઉપયોગ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા, બેંક ખાતું ખોલવા, નાણાકીય વ્યવહારો વગેરે જેવા કાર્યો માટે થાય છે. ઘણા સરકારી કામો PAN કાર્ડથી ઓળખ (ID) પુરાવા તરીકે કરવામાં આવે છે.
તેની સાથે મળતી સુવિધાઓને કારણે સાયબર ફ્રોડ કરનારાઓ માટે તે છેતરપિંડી એક રસ્તો બની ગયો છે. જો કોઈવાર તેના હાથમાં ગમે તેનું પાન કાર્ડ આવી જાય તો આઈડેન્ટિટીની સાથે-સાથે બેન્ક અકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે.
સાયબર ગુનેગારો તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની ચોરી કરી શકે છે. આ સિવાય તેઓ તમારા નામે લોન પણ લઈ શકે છે અને તમને ખબર પણ નહીં પડે. તેથી પાન કાર્ડને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે થોડી પણ ઢીલ મુકશો તો, તમે તમારી મહેનતની કમાણી ગુમાવી શકો છો.
નકલી લોન અને ક્રેડિટ કાર્ડ : છેતરપિંડી કરનારાઓ તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને નકલી લોન લઈ શકે છે અથવા ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે. તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર નેગેટિવ અસર પડી શકે છે અને તમને ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નકલી બેંક એકાઉન્ટ : સાયબર ગુનેગારો તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને નકલી બેંક એકાઉન્ટ ખોલી શકે છે. આનો ઉપયોગ કરીને તેઓ છેતરપિંડી કરી શકે છે અને ગેરકાયદેસર વ્યવહારો કરી શકે છે.
ફિશિંગ સ્કેમ : સાયબર હેકર્સ તમારા પાન કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને તમને ખતરનાક SMS મોકલી શકે છે. આ રીતે તેઓ તમારું બેંક એકાઉન્ટનો સફાયો થઈ શકે છે અથવા તમારા ફોનમાંથી વ્યક્તિગત ડેટા ચોરી શકે છે.
પાન કાર્ડના દુરુપયોગની ફરિયાદ કેવી રીતે કરવી?
આ રીતે તમારી ફરિયાદ આવકવેરા વિભાગમાં જશે. પાન કાર્ડના દુરુપયોગને રોકવા માટે તમારે હંમેશા સતર્ક રહેવાની જરૂર છે. જો તમારે PAN વિગતો ઓનલાઈન દાખલ કરવાની હોય, તો ચેક કરો કે વેબસાઈટનું URL ‘https’ થી શરૂ થવું જોઈએ.