AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે Solar Panel પણ AI! સરકારે SUNtosh AI કર્યું લોન્ચ જાણો કેવી રીતે સોલારથી થનારી બચતની માહિતી મળશે મિનિટોમાં

મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીએ SUNtosh નામનો AI આધારિત WhatsApp ચેટબોટ લોન્ચ કર્યો છે. માત્ર વીજ બિલ અને લોડની માહિતી આપતાં જ તે સોલાર ક્ષમતા, સબસિડી અને સંભવિત બચતનો અંદાજ આપશે.

હવે Solar Panel પણ AI! સરકારે SUNtosh AI કર્યું લોન્ચ જાણો કેવી રીતે સોલારથી થનારી બચતની માહિતી મળશે મિનિટોમાં
SUNtosh AI ChatbotImage Credit source: AI Generated
| Updated on: Jun 11, 2026 | 8:41 AM
Share

દેશમાં સોલાર ઊર્જાના ઉપયોગને વધુ સરળ અને સુલભ બનાવવા માટે નમિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE) દ્વારા SUNtosh નામનો AI આધારિત ચેટબોટ રજૂ કરવામાં આવ્યો છે. WhatsApp પર કાર્યરત આ ડિજિટલ સહાયક લોકોને રૂફટોપ સોલાર સિસ્ટમ સંબંધિત વિવિધ પ્રશ્નોના ઝડપી અને વ્યક્તિગત જવાબો આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

PM Surya Ghar Muft Bijli Yojana હેઠળ શરૂ કરાયેલા આ AI ચેટબોટનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને સોલાર ઊર્જા અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનો છે. ઘર પર સોલાર પેનલ લગાવવાથી કેટલી વીજળી બચી શકે, કેટલો ખર્ચ થશે, કેટલી સબસિડી મળી શકે અને કયા કદની સોલાર સિસ્ટમ યોગ્ય રહેશે જેવી મહત્વપૂર્ણ માહિતી હવે સરળતાથી મેળવી શકાશે.

SUNtosh કેવી રીતે કામ કરે છે?

SUNtosh ચેટબોટનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાને માત્ર બે વિગતો આપવાની રહેશે. પ્રથમ, ઘર માટે મંજૂર થયેલો વીજળી લોડ અને બીજી, તાજેતરનું વીજળી બિલ. આ માહિતીના આધારે AI સિસ્ટમ ઘરની જરૂરિયાત મુજબ વિશ્લેષણ તૈયાર કરે છે.

ચેટબોટ દ્વારા વપરાશકર્તાને રૂફટોપ સોલાર પ્લાન્ટની ભલામણ કરાયેલી ક્ષમતા, માસિક વીજળી બિલમાં સંભવિત ઘટાડો અને લાંબા ગાળે થનારી કુલ બચત અંગેનો અંદાજ આપવામાં આવે છે. આ ઉપરાંત ઉપલબ્ધ સરકારી સબસિડીની માહિતી પણ સરળ ભાષામાં આપવામાં આવે છે.

નિર્ણય લેવામાં મળશે સરળતા

ઘણા લોકો માટે સોલાર સિસ્ટમ લગાવવી કે નહીં તે નક્કી કરતી વખતે ખર્ચ, વળતર અને ટેકનિકલ માહિતી અંગેની અનિશ્ચિતતા પડકારરૂપ બને છે. SUNtosh આ પ્રક્રિયાને સરળ બનાવે છે. હવે લોકોને અલગ-અલગ વેબસાઇટ, પોર્ટલ અથવા નિષ્ણાતોની સલાહ માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં રહે.

AI આધારિત આ સહાયક વપરાશકર્તાને યોગ્ય માહિતીના આધારે નિર્ણય લેવામાં મદદ કરશે અને જરૂર પડે ત્યારે વિશ્વસનીય વેન્ડર સાથે જોડાવાનું માર્ગદર્શન પણ આપશે.

SUNtoshની જરૂર શા માટે પડી?

કેન્દ્ર સરકારની PM Surya Ghar Muft Bijli Yojanaનો હેતુ દેશના એક કરોડથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરાવવાનો છે. પરંતુ હજુ પણ ઘણા પરિવારો સોલાર ઊર્જાના ફાયદા, ખર્ચ અને સબસિડી અંગે પૂરતી માહિતીના અભાવે નિર્ણય લઈ શકતા નથી.

WhatsApp દ્વારા મળશે માહિતી

ભારતમાં કરોડો લોકો દ્વારા દરરોજ ઉપયોગમાં લેવાતું WhatsApp પ્લેટફોર્મ પસંદ કરીને સરકાર આ માહિતી સીધી લોકો સુધી પહોંચાડવા માંગે છે. SUNtosh ચેટબોટ દ્વારા સોલાર ઊર્જા સંબંધિત માહિતી મેળવવી હવે પહેલા કરતાં વધુ સરળ, ઝડપી અને સુલભ બની રહેશે.

ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના મતે, આવી AI આધારિત પહેલ દેશના સ્વચ્છ ઊર્જા અભિયાનને વધુ વેગ આપશે અને વધુ પરિવારોને સોલાર ઊર્જા અપનાવવા પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો: Electricity Bill Saving Tips: જાણો શું છે Solar AC અને કેમ વધી રહી છે તેની માગ

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">