Breaking News: સરકારનું મોટું પગલું! AI અને Deepfake કન્ટેન્ટ હવે 3 કલાકમાં દૂર કરવુ ફરજીયાત
સરકારે Deepfake અને AI કન્ટેન્ટ માટે કડક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને 3 કલાકની અંદર ભ્રામક AI કન્ટેન્ટ દૂર કરવું ફરજીયાત થશે.

ભારત સરકારે Deepfake અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર થયેલા કન્ટેન્ટ માટે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો હેઠળ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ્સ જેમ કે X (પહેલા Twitter) અને Instagram સહિતની સોશિયલ મીડિયા સેવાઓને કોર્ટ અથવા સરકારી આદેશ મળ્યા પછી, 3 કલાકની અંદર ભ્રામક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કન્ટેન્ટ દૂર કરવું ફરજિયાત થશે.
પહેલા કેટલો સમય લાગતો હતો?
પૂર્વે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે 36 કલાકનો સમય હતો, પણ નવા નિયમો પ્રમાણે આ સમય મર્યાદા 12 ગુણા ઘટાડી 3 કલાકમાં લાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યુઝર્સની જેમ કે X (પહેલાં Twitter) અને Instagram હવે આ નિયમોનું પાલન કરવા માટે જવાબદાર રહેશે. નવા નિયમો હેઠળ, યુઝર્સ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો માટે 3 કલાકની અંદર ત્વરિત કાર્યવાહી કરવી ફરજીયાત કરવામાં આવી છે. આ બદલાવનો મુખ્ય હેતુ સોશ્યલ મીડિયા પર ફેલાતી ભ્રામક માહિતી, હાનિકારક મેમ્સ અને Deepfake કન્ટેન્ટને નિયંત્રિત કરવો છે.
ખાસ કરીને, આ નિયમો બનાવટી કન્ટેન્ટને ‘માહિતી’ તરીકે માન્ય કરે છે અને તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે નિયંત્રિત કરવા માટે પ્લેટફોર્મ્સ જવાબદાર બનાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા જણાવાયું છે કે કેટલીક બાબતો, જેમ કે સામાન્ય સંપાદન, શિક્ષણ અને ડિઝાઇનિંગ માટેની સેવાઓ અથવા સારા ઇરાદે કરેલા શૈક્ષણિક પ્રોજેક્ટ્સ, હજુ પણ નિયમોથી બહાર રહેશે.
શું છે નવો નિયમ?
નિયમો અનુસાર, દરેક AI અથવા Deepfake કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ લગાવવું ફરજીયાત છે. પ્લેટફોર્મ્સ એ સુનિશ્ચિત કરશે કે આ કન્ટેન્ટ પર લગાવેલું લેબલ વપરાશકર્તાઓ માટે સ્પષ્ટ અને દેખાવમાં ઉચ્ચ સ્થાન પર હોય. જ્યાં તકનીકી રીતે શક્ય હોય ત્યાં આ લેબલને કન્ટેન્ટના મેટાડેટા અથવા ઓળખકારક (Identifier) સાથે જોડવું જરૂરી છે. આ ઉપરાંત, એકવાર લેબલ લગાડ્યા પછી, પ્લેટફોર્મ તેને હટાવી અથવા છુપાવી શકશે નહીં, જેથી વપરાશકર્તાઓ ખોટી માહિતીમાંથી સુરક્ષિત રહે.
ક્યારથી લાગુ પડશે?
નવા નિયમો 20 ફેબ્રુઆરી 2026થી લાગૂ થશે. સરકારનું કહેવુ છે કે આ પગલાં ડિજિટલ જગતને વધુ સુરક્ષિત બનાવશે, વપરાશકર્તાઓને ખોટી માહિતી અને ભ્રામક AI કન્ટેન્ટથી બચાવશે, અને ઓનલાઈન જવાબદારી વધારશે. વિશ્લેષકો માની રહ્યા છે કે આ નિર્ણયથી સોશિયલ મીડિયા કંપનીઓ પર વધુ જવાબદારી આવશે, અને વપરાશકર્તાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વિશ્વસનીયતા વધશે.
