WTC 2021: ચેતેશ્વર પૂજારાએ કહ્યુ કોઈ પણ દેશની ટીમને પણ પરાસ્ત કરવા ટીમ ઇન્ડિયા સક્ષમ

આગામી 18મી જૂન થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાશે.

WTC 2021: ચેતેશ્વર પૂજારાએ કહ્યુ કોઈ પણ દેશની ટીમને પણ પરાસ્ત કરવા ટીમ ઇન્ડિયા સક્ષમ
Cheteshwar Pujara
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 20, 2021 | 6:48 PM

આગામી 18મી જૂન થી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાશે. ભારતીય ટીમ (Team India) 2જી જૂને ઇંગ્લેંડ જવા રવાના થનાર છે. ટીમ હાલ બે સપ્તાહ માટે મુંબઇમાં ક્વોરન્ટાઇન હેઠળ છે.

ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જીતવા તમામ દમ લગાવી દેશે. ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ આ દરમ્યાન કહ્યુ છે કે, ભારતીય ટીમ પાસે વિશ્વની કોઇ પણ ટીમને હરાવવાની ક્ષમતા છે.

ભારતીય ટીમ હાલમાં વર્તમાન વર્ષમાં રમેલી બંને ટેસ્ટ શ્રેણી જીતી ચુક્યુ છે. ઓસ્ટ્રેલીયાને તેના જ ઘર આંગણે હરાવ્યુ હતુ, બાદમાં ઇંગ્લેંડને ભારતમાં હરાવ્યુ હતુ. તો વળી સાઉથંમ્પટનમાં છેલ્લે રમેલી મેચમાં ચેતેશ્વર પૂજારાએ અણનમ 132 રન ફટકાર્યા હતા. આમ તમામ રીતે ભારતીય ટીમ હાલમાં ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે.

ચેતેશ્વર પૂજારા એ એક મીડિયા ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યુ હતુ કે, હાલમાં કોરોના ને લઇને મશ્કેલ સમય છે. આવી સ્થિતી સો કે તેથી વધુ વર્ષમાં એક વાર જ આવતી હોય છે. જોકે સૌ ભાગ્યની વાત છે કે, અમે રમી રહ્યા છીએ. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલના નિશ્વિત કાર્યક્રમ મુજબ આગળ વધી રહ્યા છીએ. ભલે અમે પૂરતી તૈયારીઓ નથી કરી શક્યા પરંતુ, મને લાગે છે તે ટીમ મજબૂત પ્રદર્શન કરવા માટે પૂરતો અનુભવ ધરાવે છે.

આગળ પણ પુજારાએ વાત કરતા કહ્યુ હતુ કે, હાલના દિવસોમાં ભારતીય ટીમ દરેક જગ્યાએ જીત મેળવી રહી છે. અમે એ આત્મવિશ્વાસ ન્યુઝીલેન્ડ સામેની મેચ અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝમાં લઇ જઇશું. ભારતીય ટીમે પાછળના બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. અમે ફાઇનલમાં પહોંચવા માટે સારુ રમ્યા છીએ. સૌ કોઇ તેના માટે ખૂબ જ રાહ જોઇ રહ્યા હતા.

ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટોપ ટીમો છે અને તેમની વચ્ચે એક સારી ટક્કર થશે. કારણ કે બંને ટીમો એકસમાન રીતે મજબૂત છે. તેમનુ બોલીંગ આક્રમણ ખૂબ જ સંતુલીત છે. તેણે ક્હયુ વર્ષ 2020માં ન્યુઝીલેન્ડ માં સિરીઝ હાર્યા હતા, જોકે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ તટસ્થ સ્થળે છે. કોઇ પણ ટીમને ઘરેલુ લાભ નહી મળે. અમારા તમામ બેઝ કવર છે. જો ટીમ ઇન્ડીયા તેની ક્ષમતા મુજબ રમે છે તો, અમે વિશ્વની કોઇ પણ ટીમ ને પરાસ્ત કરી શકીએ છીએ.

Latest News Updates

સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ