The Kapil Sharma Show : અંગ્રેજી સુધારવા માટે, વિરેન્દ્ર સહેવાગે આરતી સાથે લગ્ન કર્યા

ધ કપિલ શર્મા શો(The Kapil Sharma Show) માં વીરેન્દ્ર સહેવાગ અને મોહમ્મદ કૈફે ઘણા રહસ્યો ખોલ્યા હતા. આ દરમિયાન, તેમણે લોકર રૂમ સંબંધિત એક કિસ્સો પણ શેર કર્યો.

The Kapil Sharma Show : અંગ્રેજી સુધારવા માટે, વિરેન્દ્ર સહેવાગે આરતી સાથે લગ્ન કર્યા
virendra sehwag
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 11:18 AM

The Kapil Sharma Show :  ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) માં દર સપ્તાહે જાણીતા ચહેરાઓને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે, જેઓ પોતાની સાથે જોડાયેલી ઘણી વાતોની ચર્ચા કરે છે અને ઘણા અજાણ્યા રહસ્યો પણ ઉજાગર કરે છે. આ વખતે શનિવારે ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag) અને મોહમ્મદ કૈફ(Mohammad Kaif) કોમેડિયન કપિલ શર્માના શોનો ભાગ બન્યા. વીરેન્દ્ર સહેવાગ આ પહેલા પણ આ શોમાં દેખાયા છે, પરંતુ મોહમ્મદ કૈફ પહેલી વખત આ શોનો ભાગ બન્યા છે.

શો દરમિયાન કપિલ શર્મા(Kapil Sharma)એ વિરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag) ને આડે હાથ લેતા કહ્યું હતું કે, તેણે એક વખત કહ્યું હતું કે ક્રિકેટર અને તેના સાથી ખેલાડીઓ યુવરાજ સિંહ અને હરભજન સિંહે તેમની અંગ્રેજીમાં સુધારો કરવા માટે જ તેમની સંબંધિત પત્નીઓ સાથે લગ્ન કર્યા છે.

કપિલ શર્મા (Kapil Sharma) કહે છે કે, વીરુભાઈ પહેલા આવ્યા, તે વખત ખૂબ જ સારો જવાબ આપ્યો, કહ્યું – જુઓ, હું કે ભજ્જી કે યુવી, અમે એવી છોકરીઓ સાથે લગ્ન કર્યા, જેના કારણે આપણું અંગ્રેજી સુધરી શકે છે. કપિલે આ વાત પૂરી કરતા જ સેહવાગે કહ્યું – હા, કપિલ પાજી પણ તેમાંથી એક હતા. વીરેન્દ્ર સેહગાંવના આ શબ્દો સાંભળીને બધા હસવા લાગ્યા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જ્યારે સેહવાગે કૈફ અને યુવરાજને ગીત ગાઈને ટોણો માર્યો હતો

તમને જણાવી દઈએ કે કપિલ દેવે રૂમી દેવ સાથે લગ્ન કર્યા છે. સેહવાગે આરતી અહલાવત સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2004 માં લગ્ન કર્યા હતા. સહેવાગે ક્રિકેટ ડેબ્યૂના ત્રણ વર્ષ બાદ જ આરતી સાથે લગ્ન કર્યા હતા. તે જ સમયે, હરભજન સિંહે અભિનેત્રી ગીતા બસરા સાથે અને યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે.

વીરેન્દ્ર સહેવાગ અને મોહમ્મદ કૈફે ‘ધ કપિલ શર્મા શો’માં ઘણા રહસ્યો જાહેર કર્યા. આ દરમિયાન, તેમણે લોકર રૂમ સંબંધિત એક કિસ્સો પણ શેર કર્યો. પોતાના સમયનો એક કિસ્સો શેર કરતા કૈફે ખુલાસો કર્યો કે જ્યારે સેહવાગને સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો,

ત્યારે તેણે તેને અને યુવરાજ સિંહને ગાવા માટે ટોણો માર્યો હતો. મોહમ્મદ કૈફે કહ્યું કે સેહવાગે અમને ગાઈને ટોણો માર્યો, “કૈસે કૈસો કો દિયા હૈ, વૈસો વૈસ કો દિયા હૈ.” આ પછી, સેહવાગે સેટ પર ગીતની આગળની પંક્તિ ગાઈ – “હમકો ભી તો લિફ્ટ કરે દો.” આ સાંભળી શોમાં હાજર દરેક લોકો હસવા લાગ્યા.

આ પણ વાંચો : CSK vs KKR, IPL 2021 Match Prediction: ધોનીની ટીમ કલકત્તા સામે ટકરાશે, બિન્દાસ્ત બનેલી કલકત્તા અંતિમ ચારમાં ટકી રહેવા દાવ લગાવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">