AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

જ્યારે પણ રોહિતને તક મળી છે, તેણે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં પોતાની કેપ્ટનશિપ સાબિત કરી છે. તે IPLનો સૌથી સફળ કેપ્ટન પણ છે.

T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે
virat kohli to quit t20 odi captaincy after t20 wc rohit sharma to takeover big announcement soon says report
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 8:41 AM
Share

T20 world cup :  લાંબા સમય પહેલા જેનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તે હવે થવાનું છે. એક સમચાર પત્ર અનુસાર વિરાટ કોહલી (Virat Kohli) વનડે અને ટી 20 ની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ટી 20 વર્લ્ડ કપ પછી આ જોઈ શકાય છે. અહેવાલ છે કે, વિરાટની જગ્યાએ રોહિત (Rohit Sharma)ને ટૂંકા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવશે.

અહેવાલ મુજબ, ટૂંક સમયમાં વિરાટ કોહલી (Virat Kohli)ની જગ્યાએ રોહિત શર્મા (Rohit Sharma)ને વનડે અને ટી 20 ના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે પણ રોહિતને તક મળી છે, તેણે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં પોતાની કેપ્ટનશિપ સાબિત કરી છે. તે IPL નો સૌથી સફળ કેપ્ટન પણ છે. ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળતા પહેલા રોહિત IPL 2021માં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

ખાનગી સમચાર પત્રએ બીસીસીઆઈ (Board of Control for Cricket in India)ના સૂત્રોને ટાંકીને કહ્યું કે, ટી 20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી  (Virat Kohli)પોતે કેપ્ટનશીપમાંથી રાજીનામું આપશે. તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેશે. સૂત્રોએ જણાવ્યું કે, વિરાટ, જે હાલમાં તમામ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે, તેણે રોહિત સાથે તેના નેતૃત્વની જવાબદારી વહેંચવાનો નિર્ણય કર્યો છે.

થોડા દિવસો પહેલા પણ એક સમચારપત્રમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ અહેવાલ આપ્યો હતો કે વિરાટ કોહલી (Virat Kohli) રોહિત શર્મા (Rohit Sharma) માટે વનડે અને ટી 20 કેપ્ટનશિપ છોડી શકે છે. હવે તે બાબતોની પુષ્ટિ થઈ હોય તેવું લાગે છે. નવા અહેવાલ મુજબ કોહલી અને ટીમ મેનેજમેન્ટે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માને આપવાનું મન બનાવી લીધું છે.

વિરાટે નિર્ણય અંગે BCCI ને જાણ કરી – રિપોર્ટ

રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી (Virat Kohli)એ BCCI (Board of Control for Cricket in India)ને તેના નિર્ણયની જાણકારી આપી છે. અને, રોહિત શર્મા (Rohit Sharma)ને પણ આ અંગે સંકેત આપવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 65 ટેસ્ટ, 95 વનડે અને 45 ટી 20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આમાં તેણે 38 ટેસ્ટ જીતી છે, 65 વનડે જીતી છે અને 29 ટી 20 મેચ જીતી છે.

આ પણ વાંચો : PM MODIએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વાતચીતનો વીડિયો શેર કર્યો, કહ્યું ખેલાડીઓનું મનોબળ વધશે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">