T-20 લીગઃ અબ્દુલ શમદને અંતિમ ઓવર આપવાના મામલે વોર્નર બોલ્યા, મને તેની પર ભરોસો હતો
ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચ દરમ્યાન ડેવીડ નવોર્નરે સૌને અંતિમ ઓવર દરમ્યાન તેના નિર્ણય થી હેરાન કરી દીધા હતા. શુક્રવારે રમાયેલી ટી-20 લીગની મેચમાં યુવાન સ્પિનર અબ્દુલ સમદને ,મેચ ફીનીશર તરીકે ઓળખાતા મદેન્દ્રસિંહ ધોની સામે અંતિમ અને નિર્ણાંયક ઓવર આપી દીધી હતી. આ હેરાન કરવા નિર્ણયમાં વોર્નર જોકે ખરા ઉતર્યા હતા. મેચના અંતે વોર્નરે પોતાના […]
ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચ દરમ્યાન ડેવીડ નવોર્નરે સૌને અંતિમ ઓવર દરમ્યાન તેના નિર્ણય થી હેરાન કરી દીધા હતા. શુક્રવારે રમાયેલી ટી-20 લીગની મેચમાં યુવાન સ્પિનર અબ્દુલ સમદને ,મેચ ફીનીશર તરીકે ઓળખાતા મદેન્દ્રસિંહ ધોની સામે અંતિમ અને નિર્ણાંયક ઓવર આપી દીધી હતી. આ હેરાન કરવા નિર્ણયમાં વોર્નર જોકે ખરા ઉતર્યા હતા. મેચના અંતે વોર્નરે પોતાના આ નિર્ણયને લઇને કહ્યુ હતુ કે તેમને સમદ પર ભરોસો હતો.
19 મી ઓવરમાં બીજા બોલને નાંખવા જવા દરમ્યાન જ ભુવનેશ્વર ઇજાગ્રસ્ત થયો હતો અને તેણે ઓવર છોડી દઇ મેદાનમાંથી બહાર જવા માટે મજબુર બનવુ પડ્યુ હતુ. આ કારણે તેની ઓવરના બાકી રહેલા પાંચ બોલ ખલીલ અહેમદે પુરા કર્યા હતા. જ્યારે અંતિમ વીસમી ઓવર સમદ ના ભાગે આવી હતી. જે હૈદરાબાદના ચાહકો માટે હેરાન કરવા વાળી વાત હતી.
વોર્નરે કહ્યુ હતુ કે, મે તેને સાથ આપ્યો હતો. મારી પાસે પુરતા વિકલ્પ પણ નહોતા. ખલીલે પાંચ બોલ નાંખ્યા હતા. અમારો પ્રયાસ એ જ ઓવરમાં મેચને પુરી કરવાનો હતો. અભિષેકને પણ ઓવર આપી શકતો હતો, પરંતુ સમદ ની લંબાઇ અને જે પ્રકારે તે બોલીંગ કરી રહ્યો છે તેના કારણે જ તે નિર્ણ પર પહોંચ્યો હતો. વોર્નરે કહ્યુ હતુ કે યુવાન ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી રહ્યા છે, તે જોઇને હું ખુબ ખુશ છુ. મે પણ તેમને એજ સંદેશો આપ્યો છે કે પોતાની જ રમત દાખવો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો