Coronaની ઝપેટમાં રહેલા સનરાઇઝર્સનો ક્રિકેટર રિદ્ધીમાન, દિકરીએ પિતાને જબરદસ્ત સંદેશો પાઠવ્યો

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના વિકેટકિપર રિદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના વાયરસ સંક્રમિત થયો છે. સાહા આઇપીએલ 2021 દરમ્યાન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો હિસ્સો છે.

Coronaની ઝપેટમાં રહેલા સનરાઇઝર્સનો ક્રિકેટર રિદ્ધીમાન, દિકરીએ પિતાને જબરદસ્ત સંદેશો પાઠવ્યો
cricketer Riddhiman
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 06, 2021 | 10:05 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના વિકેટકિપર રિદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના વાયરસ સંક્રમિત થયો છે. સાહા આઇપીએલ 2021 દરમ્યાન ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો હિસ્સો છે. સાહા હાલના સમયમાં એવા ખેલાડીઓ પૈકી એક છે, જે સુરક્ષીત સમય બાયોબબલમાં હોવા દરમ્યાન સંક્રમિત થયો છે. ગત મંગળવારે તે સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી.

જેના બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટુર્નામેન્ટને અધવચ્ચે જ સ્થગીત કરી દીધી હતી. સાહા હાલમાં IPL ની મેડિકલ ફેસેલિટીમાં આઇસોલેશન હેઠળ છે. સાહા ને ભારત ભરમાં થી ક્રિકેટ ફેંસ દ્રારા જલ્દી સ્વસ્થ થવાને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે. જેમાં સૌથી પ્યારો સંદેશ તેની પુત્રી થી તેને મળ્યો છે. જેને સાહાએ બુધવારે સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સનરાઇઝર્સ ના વિકેટકીપર બેટ્સમેન સાહા ઉપરાંત મંગળવાર એ દિલ્હી કેપિટલ્સ ના સ્પિનર અમિત મિશ્રા પણ સંક્રમિત જણાયો હતો. તેમના એક દિવસ અગાઉ કલકત્તા નાઇટ રાઇડર્સના સ્પિનર વરુણ ચક્રવર્તી અને સંદિપ વોરિયર પણ કોરોના સંક્રમિત જણાયા હતા.

આ ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના બોલીંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બે સપોર્ટ સ્ટાફ કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ હતુ. આમ બે દિવસમાં જ બાયોબબલમાં 6 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેને લઇને બીસીસીઆઇએ આઇપીએલને અટકાવી દીધી હતી.

સંક્રમિતોને હાલમાં બીસીસીઆઇ દ્રારા તૈયાર કરવામાં આવેલ મેડિકલ સુવિધા હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં તેઓ કોરોના થી સ્વસ્થ થઇ રહ્યા છે. આ દરમ્યાન સૌને જલદી થી સ્વસ્થ થવા માટે સાથી ખેલાડીઓ અને ક્રિકેટ ફેંસ દ્રારા સંદેશાઓ મળી રહ્યા છે.

આ દરમ્યાન સાહાએ પણ આવો જ એક સંદેશો પોતાની પુત્રી તરફ થી મળેલા એક સંદેશાને સોશિયલ મિડીયા પર પોષ્ટ કર્યો હતો. સાહા એ પોતાની દિકરી મિયા ના હાથે દોરવામાં આવેલ એક સ્કેત શેર કર્યો છે. જેમાં સુપરમેન કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. જેની પર લખ્યુ છે કે, જલ્દી થી સ્વસ્થ થઇ જાઓ બાબા.

સાહાએ જેને શેર કરતા લખ્યુ હતુ કે, આ સમયે આ જ મારા માટે મારી પુરી દુનિયા છે. મિયા પોતાની પ્રાર્થનાઓ મોકલી રહી છે. હું આપ સૌની પ્રાર્થનાઓ અને સંદેશાઓને માટે આભાર વ્યક્ત કરુ છુ. આ સૌનો આભાર.

આઇપીએલ 2021 ની સિઝન દરમ્યાન રિદ્ધીમાન સાહા ને ખાસ મોકો નહોતો મળ્યો. ભારતીય વિકેટકીપર સાહા આ સિઝનની પ્રથમ બે મેચ માં જ હૈદરાબાદ તરફ થી ઓપનીંગ અને વિકેટકપીંગ કરી હતી. જોકે તે બેટ વડે પ્રભાવી પ્રદર્શન નહી કરી શકવાને લઇને તેને ટીમ થી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. તેના બાદ થી તે પ્લેયીંગ ઇલેવન થી બહાર ચાલ્યો ગયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">