Sourav Ganguly : ઇંગ્લેન્ડના આરોપો બાદ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવાનું સાચું કારણ જણાવ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રદ કરવામાં આવી હતી. પાંચમી ટેસ્ટ પહેલા ભારત સીરિઝમાં 2-1થી આગળ હતું.

Sourav Ganguly : ઇંગ્લેન્ડના આરોપો બાદ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવાનું સાચું કારણ જણાવ્યું
Sourav Ganguly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 1:39 PM

Sourav Ganguly : માન્ચેસ્ટર ટેસ્ટ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની નિર્ણાયક મેચ હતી. કોરોનાને કારણે તેના રદ થયા બાદ સટ્ટાનું બજાર ગરમ થઈ ગયું છે. જ્યારે ઇંગ્લેન્ડના ચાહકો અને કેટલાક દિગ્ગજ ખેલાડીઓ તેને આઇપીએલ (IPL) માટે બીસીસીઆઇ દ્વારા ષડયંત્ર ગણાવી રહ્યા છે, ત્યારે ભારતીય મેનેજમેન્ટ તેને ખેલાડીઓની સલામતીનો મુદ્દો માને છે. હવે BCCI (Board of Control for Cricket in India) પ્રમુખ સૌરવ ગાંગુલી સામે આવ્યા છે અને આ સમગ્ર મામલે સત્ય જણાવ્યું છે.

માન્ચેસ્ટર ટેસ્ટ (Manchester Test) 10 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી. આ પહેલા જ ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ટીમના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યો. રાહતની વાત હતી કે, દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. 10 સપ્ટેમ્બરના રોજ શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, મેચ મોડી શરૂ થશે, જોકે બાદમાં તેને રદ કરવામાં આવી હતી.

સૌરવ ગાંગુલીએ મેચ રદ્દ કરવાનું કારણ જણાવ્યું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ હવે આ સમગ્ર મુદ્દે ખુલીને વાત કરી છે અને માન્ચેસ્ટર ટેસ્ટ રદ કરવાનું કારણ પણ સમજાવ્યું છે. સુત્રોએ જણાવ્યું હતુ કે, ગાંગુલીએ સત્તાવાર રીતે સ્વીકાર્યું કે ભારતીય ટીમ (Indian Team)ના ખેલાડીઓએ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો અને તેના કારણે સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ (Test Match) રદ કરવામાં આવી હતી.

ગાંગુલીએ કહ્યું, ‘ખેલાડીઓએ રમવાની ના પાડી દીધી હતી, પરંતુ આ માટે તમે તેમને દોષી ઠેરવી શકતા નથી. ફિઝીયો યોગેશ પરમાર ખેલાડીઓ સાથે સંપર્કમાં હતા. નીતિન પટેલ ક્વોરેન્ટાઇન ગયા પછી, તેમણે એકલાએ આખી ટીમની સંભાળ લીધી. યોગેશ કોરોનાથી સંક્રમિત હોવાની જાણ થતાં ખેલાડીઓને ખૂબ જ ખરાબ લાગ્યું.

તેઓએ વિચાર્યું કે, તેને પણ ચેપ લાગી શકે છે. તેઓ બધા ડરી ગયા હતા. બાયો બબલ (Bio Bubble)માં રહેવું સહેલું નથી. તમારે તેમની લાગણીઓનું સન્માન કરવું પડશે. ‘સીરિઝના ભવિષ્ય અંગે તેમણે કહ્યું, ‘ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ (Old Trafford Test) રદ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઘણું સહન કર્યું છે. જ્યારે વસ્તુઓ સારી થશે ત્યારે અમે સીરિઝ વિશે નક્કી કરીશું કે, તે આગામી વર્ષે કે ક્યારે કરવી.

આ ટેસ્ટ સીરિઝની દરેક મેચ પર કરોડો રૂપિયાનો દાવ લગાવવામાં આવ્યો હતો, જે વર્તમાન પરિસ્થિતિમાં ECB (England and Wales Cricket Board)ના હાથમાંથી સરકી રહ્યો હોય તેવું લાગે છે.

આ પણ વાંચો :  T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">