2 ભારતીય કુસ્તીબાજોને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભાગ લેવાનો ઈનકાર કરવામાં આવ્યો

પેરિસ ઓલિમ્પિક્સ 26મી જુલાઈથી યોજાવાની છે. પરંતુ તે પહેલા બે ભારતીય કુસ્તીબાજોને ચાલુ ક્વોલિફાયરમાં ભાગ લેવાની ના પાડી દેવામાં આવી હતી. તેની પાછળનું કારણ તેમનું ત્યાં મોડું પહોંચવાનું હતું. દીપક અને સુજીતની ફ્લાઈટ બિશ્કેક પહોંચવામાં મોડી પડી હતી કારણ કે દુબઈનો રનવે પાણીથી ભરાઈ ગયો હતો અને છેલ્લા બે દિવસથી ફ્લાઈટ અટકી પડી હતી.

2 ભારતીય કુસ્તીબાજોને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભાગ લેવાનો ઈનકાર કરવામાં આવ્યો
Deepak Punia
Follow Us:
| Updated on: Apr 19, 2024 | 11:44 PM

એક તો ફ્લાઈટમાં વિલંબ અને તેના કારણે થતી સમસ્યાઓ સહન કરવી. અને તેના ઉપર, હવે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની બીજી તક પણ બે ભારતીય કુસ્તીબાજોએ ગુમાવી દીધી. અમે દીપક પુનિયા અને સુજીત કલાકલ વિશે વાત કરી રહ્યા છીએ, જેમને કિર્ગિસ્તાનમાં એશિયન રેસલિંગ ક્વોલિફાયર્સમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. કારણ કે બંને ભારતીય રેસલર ત્યાં મોડા પહોંચ્યા હતા. દુબઈમાં તેમની ફ્લાઈટ ફસાઈ જવાને કારણે તે મોડા પડ્યા હતા. તમને જણાવી દઈએ કે ખાડી દેશોમાં ભારે વરસાદને કારણે હાલમાં ટ્રાફિક પર ખરાબ અસર પડી રહી છે.

ફ્લાઈટ મોડી પડતા સમયસર પહોંચી શક્યા નહીં

દીપક અને સુજીતની ફ્લાઈટ બિશ્કેક પહોંચવામાં મોડી પડી હતી કારણ કે દુબઈનો રનવે પાણીથી ભરાઈ ગયો હતો અને છેલ્લા બે દિવસથી ફ્લાઈટ અટકી પડી હતી. બંને કુસ્તીબાજો મોડી રાતની ફ્લાઈટ દ્વારા કિર્ગિસ્તાનના બિશ્કેક પહોંચ્યા. બંને સવારે 4:40 વાગ્યે કિર્ગિસ્તાનમાં હતા પરંતુ એશિયન ક્વોલિફાયર્સમાં તેમના વેઈટ કેટેગરીમાં લડવા માટે સમયસર પહોંચી શક્યા નહીં. સૂત્રોએ જણાવ્યું કે WFI પ્રમુખ સંજય સિંહની વિનંતી બાદ અધિકારીઓએ 10 વધારાની મિનિટો સુધી રાહ જોઈ, પરંતુ બંને કુસ્તીબાજો હજી આવ્યા ન હતા. પરિણામ એ આવ્યું કે તેમને બહાર કારવામાં આવ્યા.

દીપક પુનિયા-સુજીત કલાકલે ગુમાવી તક

એશિયન રેસલિંગ ક્વોલિફાયર્સમાં દીપક પુનિયા 86 કિગ્રા વજન વર્ગમાં ભાગ લેવાનો હતો જ્યારે સુજીત કલાકલ 65 કિગ્રા વર્ગમાં ભાગ લેવાનો હતો. આ બંનેની મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 8 વાગ્યાથી હતી, જેનું શેડ્યૂલ લંબાવવામાં આવ્યું હતું. પરંતુ, તેમ છતાં, બંને ભારતીય કુસ્તીબાજોના આગમનમાં વિલંબ થયો. આ રીતે, દીપક અને સુજીતે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાની બીજી છેલ્લી તક ગુમાવી દીધી, તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થવાનું છે. દીપક અને સુજીતને હવે મે મહિનામાં તુર્કીમાં યોજાનારી વર્લ્ડ ક્વોલિફાયરમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની છેલ્લી તક મળશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

છેલ્લી તક ક્યારે મળશે?

દીપક પુનિયા ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની ખૂબ નજીક આવી ગયો હતો. તેણે ચીનમાં યોજાયેલી 2023 એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો, જ્યારે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં તેણે ગોલ્ડ જીત્યો હતો. દીપક અને સુજીતને હવે મે મહિનામાં તુર્કીમાં યોજાનારી વર્લ્ડ ક્વોલિફાયરમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની છેલ્લી તક મળશે.

આ પણ વાંચો : IPL 2024: મારી પત્નીએ પણ મને આમ કહ્યું નથી… RCBનો સામનો કરતા પહેલા ગૌતમ ગંભીરે આ શું કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">