2 ભારતીય કુસ્તીબાજોને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભાગ લેવાનો ઈનકાર કરવામાં આવ્યો

પેરિસ ઓલિમ્પિક્સ 26મી જુલાઈથી યોજાવાની છે. પરંતુ તે પહેલા બે ભારતીય કુસ્તીબાજોને ચાલુ ક્વોલિફાયરમાં ભાગ લેવાની ના પાડી દેવામાં આવી હતી. તેની પાછળનું કારણ તેમનું ત્યાં મોડું પહોંચવાનું હતું. દીપક અને સુજીતની ફ્લાઈટ બિશ્કેક પહોંચવામાં મોડી પડી હતી કારણ કે દુબઈનો રનવે પાણીથી ભરાઈ ગયો હતો અને છેલ્લા બે દિવસથી ફ્લાઈટ અટકી પડી હતી.

2 ભારતીય કુસ્તીબાજોને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભાગ લેવાનો ઈનકાર કરવામાં આવ્યો
Deepak Punia
Follow Us:
| Updated on: Apr 19, 2024 | 11:44 PM

એક તો ફ્લાઈટમાં વિલંબ અને તેના કારણે થતી સમસ્યાઓ સહન કરવી. અને તેના ઉપર, હવે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની બીજી તક પણ બે ભારતીય કુસ્તીબાજોએ ગુમાવી દીધી. અમે દીપક પુનિયા અને સુજીત કલાકલ વિશે વાત કરી રહ્યા છીએ, જેમને કિર્ગિસ્તાનમાં એશિયન રેસલિંગ ક્વોલિફાયર્સમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. કારણ કે બંને ભારતીય રેસલર ત્યાં મોડા પહોંચ્યા હતા. દુબઈમાં તેમની ફ્લાઈટ ફસાઈ જવાને કારણે તે મોડા પડ્યા હતા. તમને જણાવી દઈએ કે ખાડી દેશોમાં ભારે વરસાદને કારણે હાલમાં ટ્રાફિક પર ખરાબ અસર પડી રહી છે.

ફ્લાઈટ મોડી પડતા સમયસર પહોંચી શક્યા નહીં

દીપક અને સુજીતની ફ્લાઈટ બિશ્કેક પહોંચવામાં મોડી પડી હતી કારણ કે દુબઈનો રનવે પાણીથી ભરાઈ ગયો હતો અને છેલ્લા બે દિવસથી ફ્લાઈટ અટકી પડી હતી. બંને કુસ્તીબાજો મોડી રાતની ફ્લાઈટ દ્વારા કિર્ગિસ્તાનના બિશ્કેક પહોંચ્યા. બંને સવારે 4:40 વાગ્યે કિર્ગિસ્તાનમાં હતા પરંતુ એશિયન ક્વોલિફાયર્સમાં તેમના વેઈટ કેટેગરીમાં લડવા માટે સમયસર પહોંચી શક્યા નહીં. સૂત્રોએ જણાવ્યું કે WFI પ્રમુખ સંજય સિંહની વિનંતી બાદ અધિકારીઓએ 10 વધારાની મિનિટો સુધી રાહ જોઈ, પરંતુ બંને કુસ્તીબાજો હજી આવ્યા ન હતા. પરિણામ એ આવ્યું કે તેમને બહાર કારવામાં આવ્યા.

દીપક પુનિયા-સુજીત કલાકલે ગુમાવી તક

એશિયન રેસલિંગ ક્વોલિફાયર્સમાં દીપક પુનિયા 86 કિગ્રા વજન વર્ગમાં ભાગ લેવાનો હતો જ્યારે સુજીત કલાકલ 65 કિગ્રા વર્ગમાં ભાગ લેવાનો હતો. આ બંનેની મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 8 વાગ્યાથી હતી, જેનું શેડ્યૂલ લંબાવવામાં આવ્યું હતું. પરંતુ, તેમ છતાં, બંને ભારતીય કુસ્તીબાજોના આગમનમાં વિલંબ થયો. આ રીતે, દીપક અને સુજીતે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાની બીજી છેલ્લી તક ગુમાવી દીધી, તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થવાનું છે. દીપક અને સુજીતને હવે મે મહિનામાં તુર્કીમાં યોજાનારી વર્લ્ડ ક્વોલિફાયરમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની છેલ્લી તક મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

છેલ્લી તક ક્યારે મળશે?

દીપક પુનિયા ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની ખૂબ નજીક આવી ગયો હતો. તેણે ચીનમાં યોજાયેલી 2023 એશિયન ગેમ્સમાં સિલ્વર જીત્યો હતો, જ્યારે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં તેણે ગોલ્ડ જીત્યો હતો. દીપક અને સુજીતને હવે મે મહિનામાં તુર્કીમાં યોજાનારી વર્લ્ડ ક્વોલિફાયરમાં પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની છેલ્લી તક મળશે.

આ પણ વાંચો : IPL 2024: મારી પત્નીએ પણ મને આમ કહ્યું નથી… RCBનો સામનો કરતા પહેલા ગૌતમ ગંભીરે આ શું કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">