AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvsAUS: ભારતીય ટીમના 36 રનના આંકડા પર પાકિસ્તાનમાં પણ આશ્ચર્ય સર્જાયુ, કહ્યું ભરોસો નથી આવતો

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં માત્ર 36 રન પર જ સમેટાઈ ગઈ હતી. પુરી દુનિયામાંથી ક્રિકેટના ચાહકો આ બાબતથી હેરાન થઈ ગયા છે. 36 રન પર જ ભારત ઓલઆઉટ થયુ, જે ભારત માટે સૌથી નીચલો સ્કોર છે.

INDvsAUS: ભારતીય ટીમના 36 રનના આંકડા પર પાકિસ્તાનમાં પણ આશ્ચર્ય સર્જાયુ, કહ્યું ભરોસો નથી આવતો
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 20, 2020 | 6:43 PM
Share

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં માત્ર 36 રન પર જ સમેટાઈ ગઈ હતી. પુરી દુનિયામાંથી ક્રિકેટના ચાહકો આ બાબતથી હેરાન થઈ ગયા છે. 36 રન પર જ ભારત ઓલઆઉટ થયુ, જે ભારત માટે સૌથી નીચલો સ્કોર છે. ટીમ પાસે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજીંક્ય રહાણે જેવા બેટ્સમેનો હોવા છતાં પણ ઓછો સ્કોર કર્યો હતો. જેને લઈને હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ અંગે આશ્ચર્ય સર્જાયુ છે. પૂર્વ ક્રિકેટરો જાવેદ મિયાદાદ અને શોએબ અખ્તરે પણ આશ્ચર્ય દર્શાવ્યુ છે.

પાકિસ્તાનના પૂર્વ ઓપનર બેટ્સમેન મોહસિન ખાને કહ્યુ હતુ કે વિશ્વાસ જ ના થયો. જ્યારે સવારે ઓસ્ટ્રેલિયાને બીજીવાર બેટીંગ કરતા જોયુ. તેમને માત્ર 90 રનની જ જરુર હતી. જ્યારે ભારતના આઉટ થવાની રીતને જોઈ તો ઈમાનદારીથી કહુ કે પીચમાં કશુ ખોટુ નહોતુ. તેના મતે બેટ્સમેનોએ કોન્ફીડન્ટ ના દેખાડ્યો. તેઓ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોની રમતને લઈને બેવડી માનસિકતામાં લાગ્યા.

પૂર્વ કેપ્ટન રાશિદ લતિફે કહ્યુ કે, પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલીયા સામે શારજાહમાં આ જ રીતે આઉટ થયુ હતુ, પાકિસ્તાન ટીમે તે વખતે 59 અને 53 રન કર્યા હતા અને ઓલઆઉટ થયુ હતુ. જ્યારે બોલર યોગ્ય ક્ષેત્રમાં બોલીંગ કરે અને બોલ બેટને કિનારેથી ફિલ્ડરો પાસે સીધો પહોંચે છે, ત્યારે આમ થાય છે. મને લાગે છે કે આ પતન એટલે થયુ કે બેટ્સમેનો કદાચ બોલરો પર હાવી થવાની માનસિકતાથી ક્રિઝ પર ઉતર્યા હતા.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપની તૈયારી, બે રણનીતિથી વધી રહ્યું છે આગળ

ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યુ હતુ કે, પોતે જે જોયુ એની પર તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો. તેણે કહ્યુ આ જોવુ કોહલી માટે નિશ્ચિત રીતે દુસ્વપ્ન હશે કે ટીમ 36 પર આઉટ થઈ. બેટ્સમેનોનું વલણ સકારાત્મક નહોતુ. પ્રથમ પારીમાં લીડ મેળવીને તેમની પાસે જીત મેળવવાનો સારો મોકો હતો. દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદે પણ આ અંગે કહેતા તેને ભારતીય ક્રિકેટનો સૌથી ખરાબ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે ઈમાનદારીથી કહુ તો કેટલાક બોલ રમવા મુશ્કેલ હતા. પરંતુ મને હેરાની એ વાતની હતી કે કોઈએ પણ સંઘર્ષ ના કર્યો. આ ટીમ 36 રન પર આઉટ થવાને લાયક નથી. પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવુ છે કે, કમિન્સ અને હેઝલવુડની શાનદાર બોલીંગ હતી. લાંબા સમય બાદ આમ જોવા મળ્યુ. જોકે ભારતીય ટીમ વાપસીની કાબેલિયત રાખે છે. જોકે કોહલીના વિનાએ કામ પણ ખૂબ મુશ્કેલ રહેશે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">