AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India Announcement : ચેન્નાઈ ટેસ્ટમાં જીત મળ્યા બાદ બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,જુઓ સંપૂર્ણ ટીમ

India vs Bangladesh: ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હાર આપી હતી અને સીરિઝમાં લીડ મેળવી લીધી હતી. હવે ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં ક્લીન સ્વીપના ઈરાદે મેદાનમાં ઉતરશે. સીરિઝની બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમબરના રોજ કાનપુરમાં રમાશે.

Team India Announcement : ચેન્નાઈ ટેસ્ટમાં જીત મળ્યા બાદ બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,જુઓ સંપૂર્ણ ટીમ
| Updated on: Sep 22, 2024 | 5:01 PM
Share

India vs Bangladesh: ચેન્નાઈ ટેસ્ટ 4 દિવસની અંદર જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.હવે તેની નજર બીજી ટેસ્ટ પર છે. જે કાનપુરમાં રમાશે. આ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાએ સ્કવોડની જાહેરાત કરી દીધી છે. ચેન્નાઈ ટેસ્ટ જીત્યા બાદ બીસીસીઆઈએ સ્કવોડની જાહેરાત કરી છે. ચેન્નાઈમાં જીત મેળવનાર ટીમ પર જ સિલેક્શન કમેટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તમામ 16 ખેલાડીઓને ટીમમાં રાખ્યા છે. એટલે કે, અંદાજો લગાવી શકાય કે, બુમરાહને આગામી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. કાન પુર ટેસ્ટ 27 સપ્ટેમબરથી શરુ થશે.

આ ખેલાડીઓએ થોડી રાહ જોવી પડશે

ચેપોક સ્ટેડિયમમાં રવિવાર 22 સપ્ટેમ્બરના સવારે ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં જ બાંગ્લાદેશને બીજી ઈનિગ્સમાં માત્ર 234 રન પર જ સમેટી લીધી હતી. અને આ મેચમાં 280 રનથી જીત મેળવી લીધી છે. આ જીતના થોડા કલાકો બાદ સિલેક્શન કમેટીએ કાનપુર ટેસ્ટ માટે સ્કવોડની જાહેરાત કરી છે અને કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, શ્રેયસ અય્યર, મુકેશ કુમાર, ઈશાન કિશન જેવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે હજુ થોડી રાહ જોવી પડશે.

શું પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ થશે?

ભલે સ્કવોડમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ નજર એ વાત પર રહેશે કે, શું આગામી ટેસ્ટમાં પણ આ જ પ્લેઈગ ઈલેવન મેદાનમાં ઉતરશે. કે પછી કાંઈ ફેરફાર થશે. આ વાતની સંભાવના છે કે, બીજી ટેસ્ટમાં માત્ર 2 જ ફાસ્ટ બોલર મેદાનમાં ઉતારશે. મહત્વની વાત એ હશે કે, શું જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે. જો આવું થયું તો યશ દયાળને ડેબ્યુ કરવાની તક મળશે. એ જોવું પણ રસપ્રદ રહેશે.

ભારતીય સ્કવોડ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ,ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશ દયાલ

 

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">