IND vs ENG: આંકડા જોઈને ટીમમાં ખેલાડીને પસંદ કરવો અને બહાર કરવાની રમતને લઈને સહેવાગે આપી આવી સલાહ

ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag)એ ટીમ ઈન્ડીયા (Team India)માં ખેલાડીઓના સમાવેશને લઈને પોતાની વાત મુકી છે.

IND vs ENG: આંકડા જોઈને ટીમમાં ખેલાડીને પસંદ કરવો અને બહાર કરવાની રમતને લઈને સહેવાગે આપી આવી સલાહ
Virender Sehwag
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 18, 2021 | 6:06 PM

ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag)એ ટીમ ઈન્ડીયા (Team India)માં ખેલાડીઓના સમાવેશને લઈને પોતાની વાત મુકી છે. તેમણે કહ્યુ છે કે, ખેલાડીઓના આંકડાઓને બદલે પ્રતિભાના આધાર પર સ્થાન મળવુ જોઈએ. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની T20 શ્રેણીમાં પ્રથમ ત્રણ મેચોમાં કેએલ રાહુલ (KL Rahul) ફ્લોપ રહ્યો હતો. તે ત્રણ પૈકી બે મેચમાં ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો, જ્યારે એક મેચમાં તો માત્ર એક જ રન કર્યો હતો તો શિખર ધવન (Shikhar Dhawan)ની વાત કરવામા આવે તો તેને માત્ર પ્રથમ મેચ જ રમવાનો મોકો મળ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જોકે તે ચાર જ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના બાદ આગળની બે મેચમાં મોકો નહોતો આપવામાં આવ્યો. ઈશાન કિશન (Ishan Kishan)ને ભારતે પાછળની બે મેચમાં તક આપી હતી. સહેવાગે ક્રિકબઝના શોમાં કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે ભારતીય ટીમ મેનેજમેન્ટ, કોચ અને કેપ્ટન આંકડાઓ જોઈને નિર્ણય લઈ રહ્યા છે. આવામાં આપણે લોકોએ પણ આંકડા પર વાત નહીં કરવી જોઈએ. જે ખેલાડીને આંકડા સારા લાગતા હોય તો શિખર ધવનની વાત કરુ તો તેણે આઈપીએલમાં 600થી વધારે રન બનાવ્યા હતા. પરંતુ તે પ્લેયીંગ ઈલેવનનો હિસ્સો નથી.

બે ત્રણ મેચમાં શાર્દુલ ઠાકુર નબળો રહે છે તો આગળની મેચમાં કોઈ અન્ય ઝડપી બોલર નજર આવશે. બુમરાહ આવશે તો કોણ બહાર બેસશે. આવામાં આંકડા બેકાર બની જાય છે. મને લાગે છે કે, સિલેકટર્સ અને મેનેજમેન્ટ આંકડાને પોતાના હિસાબથી ઉપયોગ કરે છે. જો કોઈને રમાડવો હોય તો તેના આંકડાને જુએ છે અને બહાર કરવા માટે ખરાબ આંકડા બતાવે છે.

સહેવાગે કહ્યુ હતુ કે, આંકડા નહીં જોવા જોઈએ, ખેલાડીની પ્રતિભા જોવી જોઈએ. તેમાં એ જોવુ જોઈએ કે તેમાં શું દમ છે. શું તે ભારતીય ટીમને મેચ જીતાડી શકે છે પોતાના દમ પર અથવા નથી જીતાડી શકતો. શિખર ધવન, કેએલ રાહુલ, ઈશાન કિશન અને રોહિત શર્મા આ ચારેય એવા ખેલાડીઓ છે, જે દિવસે ચાલે તે દિવસે પોતાના દમ પર મેચ જીતાડી દે છે. કેએલ રાહુલને તમે ત્રણ મોકા આપ્યા છે, બીજા ખેલાડીને આપે એ મેચ બાદ બહાર બેસાડી દીધો છે. આ મારી સમજની બહાર છે.

આ પણ વાંચો: PCB: પાકિસ્તાનની ટીમ કોરોનાની ઝપેટમાં, આફ્રિકા-ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા ક્રિકેટર કોરોના પોઝિટીવ

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">