AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: IPL ટુર્નામેન્ટ માટે ભારત ઇંગ્લેંડ ટેસ્ટ શ્રેણીને આગળ કરવાને લઇને ECB એ ખુલાસો કર્યો

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીને નિયત સમય કરતા આગળ કરવાને લઇને હવે ECB એ નિવેદન જારી કર્યુ છે. મિડીયા રિપોર્ટ મુજબ ટેસ્ટ શ્રેણીને IPL 2021 ની બાકી રહેલી મેચોને પુરી કરવા માટે ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ આગળ કરવાનો અનુરોધ કરાયો હતો.

IND vs ENG: IPL ટુર્નામેન્ટ માટે ભારત ઇંગ્લેંડ ટેસ્ટ શ્રેણીને આગળ કરવાને લઇને ECB એ ખુલાસો કર્યો
BCCI-ECB
Avnish Goswami
| Edited By: | Updated on: May 22, 2021 | 12:30 PM
Share

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીને, નિયત સમય કરતા આગળ કરવાને લઇને હવે ECB એ નિવેદન જારી કર્યુ છે. મિડીયા રિપોર્ટ મુજબ ટેસ્ટ શ્રેણી IPL 2021 ની બાકી મેચોને પુરી કરવા ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ આગળ કરવાનો અનુરોધ કરાયો હતો. જેને લઇ ઇંગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ અધિકારીક રીતે BCCI એ અનુરોધ નહી કર્યાનો ખુલાસો કર્યો છે. સાથે જ કહ્યુ છે કે, ટેસ્ટ શ્રેણી તેના નિયત શિડ્યુલ મુજબ જારી રહેશે.

બ્રિટીશ મીડિયા રિપોર્ટસ મુજબ બીસીસીઆઇ એ 4 ઓગષ્ટ થી શરુ થનારી, ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ શ્રેણીને એક સપ્તાહ પહેલા શરુ કરવા માટે અનુરોધ કર્યો હતો. જેથી આઇપીએલ ટુર્નામેન્ટની બાકી રહેલી 31 મેચોને માટે વિન્ડો ઉપલબ્ધ કરવામાં સરળતા ઉભી થઇ શકે. પરંતુ હવે આ રિપોર્ટસને લઇને હવે ઇસીબીએ કહ્યુ છે કે, પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ મુજબ સિરીઝનુ આયોજન કરવામાં આવશે. કારણ કે હજુ સુધી બીસીસીઆઇ એ અધિકારીક રીતે આગ્રહ કર્યો નથી.

ઇસીબીના પ્રવક્તાએ એક વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, અમે બીસીસીઆઇ સાથે જુદા જુદા મુદ્દે વાતચીત નિયમીત કરતા રહેતા હોઇ એ છીએ. ખાસ કરીને જ્યારે કોરોના મહામારીને લઇને પડકારોનો સામનો કરી રહ્યા છીએ ત્યારે. પરંતુ મેચની તારીખોના બદલાવને લઇને કોઇ જ અધિકારીક અનુરોધ નથી કરવામાં આવ્યો. અમે પહેલા થી નક્કિ કરેલા કાર્યક્રમ અનુસાર પાંચ મેચોની સિરીઝનુ આયોજન કરીશુ.

જોકે મીડિયા રિપોર્ટનુસાર બીસીસીઆઇ એ ના સુત્રોએ કહ્યુ હતુ કે, અમે અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. જોકે અમે અધિકૃત રીતે અનુરોધ કર્યો નથી. તેમણે એ પણ કહ્ચુ કે, આ બાબતે અધિકૃત રીતે ઇસીબીનો આ બાબતે સંપર્ક કરાયો નથી. આથરટનના રિપોર્ટ મુજબ જાણકારી લેવી એનો મતલબ એ પણ નથી કે, અધિકારીક સંવાદ છે.

જો ભારતીય ક્રિકેટ બોર્ડ ઇસીબીને ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમમાં ફેરફાર કરવાની માગ કરે છે તો, તેની અસર અન્ય આયોજન પર પણ પડી શકે છે. ઇસીબીએ પાકિસ્તાન સામે ની મર્યાદીત ઓવરની શ્રેણીને લઇને પણ ફેરફાર કરવો પડી શકે છે. આ ઉપરાંત ઇંગ્લેંડ ના મહત્વકાંક્ષી ટુર્નામેન્ટ આયોજન ધ હંન્ડ્રેડ ને લઇને પણ ફેરફારો કરવા પડી શકે છે.

આઇપીએલ 2021 ની બાકી રહેલી ટુર્નામેન્ટનુ આયોજન નહી કરવા પર બીસીસીઆઇ એ 2500 કરોડ રુપિયા નુ નુકશાન વેઠવુ પડશે. કોરોના સંક્રમણ બાયોબબલમાં ફેલાવવાને લઇને ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવાઇ હતી. આ દરમ્યાન ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ લેખક માઇકલ આથરટને રિપોર્ટ લખ્યો હતો કે, બીસીસીઆઇ એ આઇપીએલ ટુર્નામેન્ટને લઇને ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમને આગળ કરવા માટે પૂછ્યુ હતુ.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">