World Cup 2023 : પાકિસ્તાન ટીમને વર્લ્ડ કપ માટે વિઝા મળ્યા, આ દિવસે ભારત પહોંચશે

ભલે ODI વર્લ્ડ કપ શરૂ થવામાં થોડો સમય બાકી હોય, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. PCBએ વિઝા મુદ્દે ICCને પત્ર લખીને BCCIને ફરિયાદ કરી હતી એવા સમાચાર સામે આવ્યા બાદ આજે પાકિસ્તાન ટીમને ભારતના વિઝા મળી ગયા છે. જલ્દી પાકિસ્તાનની ટીમ ભારતમાં વર્લ્ડ કપ રમવા પહોંચશે.

World Cup 2023 : પાકિસ્તાન ટીમને વર્લ્ડ કપ માટે વિઝા મળ્યા, આ દિવસે ભારત પહોંચશે
Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 11:19 PM

ભારતમાં ક્રિકેટના વનડે ફોર્મેટના વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની શરૂઆત થવા જઈ રહી છે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5મી ઓક્ટોબરે રમાવાની છે. દરમિયાન, પાકિસ્તાન (Pakistan) ની ટીમને ભારત આવવાની મંજૂરી મળી ગઈ છે અને આઈસીસી (ICC) એ પુષ્ટિ કરી છે કે ભારત સરકારે પાકિસ્તાની ટીમને વિઝા આપ્યા છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) સોમવારે જ ICC સમક્ષ વિઝા ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

PCBએ વિઝા અંગે ચિંતા વ્યક્ત કરી હતી

વાસ્તવમાં, પાકિસ્તાને તેની પ્રથમ વોર્મ-અપ મેચ 29 સપ્ટેમ્બરે રમવાની છે, તે પહેલા ટીમે 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચવાનું છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાની ટીમ અને તેના સપોર્ટ સ્ટાફને વિઝા મળી શક્યા નથી. જોકે, સોમવારે મોડી સાંજે વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રવક્તા ઓમર ફારૂકના જણાવ્યા અનુસાર બોર્ડે ICCને પત્ર લખીને વર્લ્ડ કપ માટે વિઝા મેળવવામાં આવી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પાકિસ્તાને યોજનામાં ફેરફાર કરવો પડ્યો

PCBએ નિવેદનમાં કહ્યું છે કે તે ખૂબ જ દુઃખદ છે કે પાકિસ્તાની ટીમને આ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, તે પણ જ્યારે સૌથી મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જવું પડે છે. PCBએ કહ્યું કે અમારે વોર્મ-અપ મેચ પહેલા અમારી યોજના સંપૂર્ણપણે બદલવી પડી, કારણ કે ખેલાડીઓને હજુ સુધી ભારત જવાની પરવાનગી મળી નથી.

આ પણ વાંચો : બદલાયેલી સ્ટાઈલ પછી સૂર્યકુમાર યાદવે ODI ક્રિકેટની ફોર્મ્યુલાને ‘ક્રેક’ કરી

પાકિસ્તાનની ટીમ સીધી હૈદરાબાદ પહોંચશે

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમે પહેલા દુબઈમાં થોડા દિવસ રોકાવાની હતી અને પછી ભારત જવા રવાના થઈ હતી. પરંતુ ભારત તરફથી વિઝા ન મળવાને કારણે પાકિસ્તાને તેની ટીમ બોન્ડિંગ પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો અને ફરીથી આખો પ્લાન બનાવવો પડ્યો હતો. પાકિસ્તાને તેની બે વોર્મ-અપ મેચો અને બે શરૂઆતી લીગ મેચો હૈદરાબાદમાં જ રમવાની છે, તેથી હવે ટીમ સીધી અહીં આવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">