AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT 2026 : સૌરવ ગાંગુલીએ જણાવ્યો પોતાની માતા વિશે એક રસપ્રદ કિસ્સો, Satta Sammelan માં થઈ દાદાની જર્નીની વાત

Satta સંમેલનમાં સૌરવ ગાંગુલીએ પોતાની ક્રિકેટ કારકિર્દી, BCCI પ્રમુખ તરીકેની ભૂમિકા અને અંગત જીવન વિશે રસપ્રદ વાતો કરી. તેમણે માતા સાથે જોડાયેલી રમૂજી ઘટના શેર કરી.

WITT 2026 : સૌરવ ગાંગુલીએ જણાવ્યો પોતાની માતા વિશે એક રસપ્રદ કિસ્સો, Satta Sammelan માં થઈ દાદાની જર્નીની વાત
| Updated on: Mar 24, 2026 | 7:22 PM
Share

Satta Sammelan દરમિયાન, પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી ફરી એકવાર ચર્ચામાં રહ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત ચાહકો તેમને જોવા અને સાંભળવા માટે ખૂબ ઉત્સુક હતા, અને ગાંગુલી પણ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા. તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દી, નિવૃત્તિ પછીની ભૂમિકાઓ અને વ્યક્તિગત જીવન વિશે ખુલ્લેઆમ અને રસપ્રદ રીતે વાત કરી.

સૌરવ ગાંગુલી, જેમણે ટીમ ઈન્ડિયાને 2003ના વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડ્યું હતું, તેઓ આજે પણ ક્રિકેટ વહીવટમાં સક્રિય છે. તેઓ ત્રણ વર્ષ સુધી BCCI પ્રમુખ રહ્યા હતા અને હાલમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.

Satta Sammelan માં થઈ દાદાની જર્નીની વાત

કાર્યક્રમ દરમિયાન ગાંગુલીએ તેમની માતા સાથે જોડાયેલી એક રસપ્રદ અને રમૂજી ઘટના પણ શેર કરી. તેઓએ જણાવ્યું કે તેઓ હંમેશા ગળામાં અનેક માળા પહેરતા હતા, જે પાછળ એક ખાસ કારણ હતું. ગાંગુલીએ કહ્યું, “મારી માતા મને આ માળા પહેરાવતી. તેઓ માનતા હતા કે આ ભગવાનના આશીર્વાદ લાવે છે. જ્યારે પણ હું મેચ રમવા જતો, ત્યારે મારી માતા થોડા દિવસો પહેલા મારી પાસેથી ચેઇન લઈ લેતી અને પછી મેચના દિવસે ફરી પહેરાવતી. હું જોતી કે તેમાં નવો પથ્થર ઉમેરાયો છે, ત્યારે હું પૂછતો કે શું મારા બધા સ્ટાર ખરાબ છે? પરંતુ મારી માતા કહેતી કે શાંતિથી પહેરી લો અને કોઈ પ્રશ્ન ન પૂછો.”

2000ના મેચ ફિક્સિંગ વિવાદ

ભારતીય ક્રિકેટમાં સૌરવ ગાંગુલીનું યોગદાન અવિસ્મરણીય છે. તેઓ માત્ર એક શક્તિશાળી બેટ્સમેન જ નહોતાં, પરંતુ એક બહાદુર અને દ્રઢ નિશ્ચય ધરાવતા કેપ્ટન પણ હતા. 2000ના મેચ ફિક્સિંગ વિવાદ પછી ટીમ ઇન્ડિયાની જવાબદારી સંભાળીને તેમણે ટીમને નવી દિશા આપી અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવ્યું.

તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 20 વર્ષ બાદ 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ગાંગુલીએ તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18,000થી વધુ રન બનાવ્યા. તેમણે 113 ટેસ્ટ મેચમાં 7,212 રન સાથે 16 સદી નોંધાવી, જ્યારે 311 વનડેમાં 11,363 રન અને 22 સદી ફટકારી. 49 ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કરીને તેમણે 21 જીત અપાવી, જે તેમને ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનોમાં સ્થાન અપાવે છે.

જ્યાં હિન્દુઓ બહુમતીમાં છે ત્યાં મુસ્લિમો માટે કોઈ ખતરો નથી, જી. કિશન રેડ્ડીએ ઓવૈસીને કેમ આવું કહ્યું?

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">