AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રોહિત શર્મા WTC ફાઈનલ પછી નિવૃત્ત થશે? બાળપણના કોચે કરી મોટી જાહેરાત

ODI વર્લ્ડ કપની આગામી આવૃત્તિ હવે 3 વર્ષ પછી એટલે કે 2027માં રમવાની છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા વનડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે કે નહીં તેના પર તેના બાળપણના કોચ દિનેશ લાડે મોટું નિવેદન આપ્યું છે. રોહિતની ટેસ્ટમાંથી નિવૃત્તિ અંગે પણ દિનેશ લાડે મોટી વાત કહી છે.

શું રોહિત શર્મા WTC ફાઈનલ પછી નિવૃત્ત થશે? બાળપણના કોચે કરી મોટી જાહેરાત
Rohit SharmaImage Credit source: PTI
| Updated on: Oct 07, 2024 | 7:55 PM
Share

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ આ વર્ષે જૂનમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ રોહિત શર્માએ T20I ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ આગામી વર્ષે રમાવાની છે. ટીમ ઈન્ડિયા આ વખતે પણ ફાઈનલ રમવાની મોટી દાવેદાર છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ODI અને ટેસ્ટમાંથી સંન્યાસ લઈ શકે છે. આ દરમિયાન તેના બાળપણના કોચ દિનેશ લાડે મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્મા પર દિનેશ લાડનું મોટું નિવેદન

દિનેશ લાડે રોહિત શર્માની નિવૃત્તિની અફવાઓને ફગાવી દીધી છે. દૈનિક જાગરણ સાથે વાત કરતા દિનેશ લાડે રોહિતની નિવૃત્તિ પર કહ્યું, ‘હું એમ નથી કહેતો કે રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી નિવૃત્તિની જાહેરાત કરશે, કદાચ તે આવું કરી શકે. કારણ કે જેમ જેમ તેની ઉંમર વધી રહી છે તેમ લાગી રહ્યું છે કે તે ટેસ્ટમાંથી સંન્યાસ લઈ શકે છે. તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તે પોતાની જાતને ODI ક્રિકેટ માટે સંપૂર્ણ રીતે ફિટ રાખવા માંગે છે. જોકે, હું વચન આપું છું કે રોહિત શર્મા 2027નો ODI વર્લ્ડ કપ રમશે. રોહિત જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યો છે તે અદ્ભુત છે.

શું રોહિત 2027 ODI વર્લ્ડ કપ રમશે?

ગત વર્ષે ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટાઈટલથી એક જીત દૂર રહી હતી. જોકે, કેપ્ટન રોહિત શર્માએ 11 મેચમાં 54.27ની એવરેજથી 597 રન બનાવ્યા હતા. ODI વર્લ્ડ કપની આગામી આવૃત્તિ 3 વર્ષ પછી એટલે કે 2027માં રમવાની છે. આ હિસાબે આગામી વર્લ્ડ કપ સુધીમાં રોહિત 39 વર્ષનો થઈ જશે. જો ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે જ રમાય તો તેની ઉંમર 40 વર્ષની થઈ જશે. આવી સ્થિતિમાં, જો રોહિત 2027 વર્લ્ડ કપ રમવા માંગે છે, તો તેણે તેની ફિટનેસ પર ઘણું કામ કરવું પડશે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરના તળિયા ન ચાટવા જોઈએ…ટીમ ઈન્ડિયાની જીત બાદ સુનીલ ગાવસ્કરે લગાવી ફટકાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ
24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ
તહેવારોમાં શાંતિનું સુરક્ષા કવચ: અમદાવાદ પોલીસ એક્શન મોડમાં!
તહેવારોમાં શાંતિનું સુરક્ષા કવચ: અમદાવાદ પોલીસ એક્શન મોડમાં!
g clip-path="url(#clip0_868_265)">