AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Batting: સચિન, ધોની, પોન્ટિંગ ના કરી શક્યા એ કામ વિરાટ કોહલીએ કરી દેખાડ્યુ, 500મી મેચમાં તેંડુલકરને છોડશે પાછળ

IND vs WI, 2nd Test: વિરાટ કોહલી પ્રથમ દિવસની રમતના અંતે 87 રન પર રમતમાં હતો. તેની આ બેટિંગે પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી દીધી છે. હવે તેની સદીની રાહ જોવાઈ રહી છે. પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવીને 288 રન નોંધાવ્યા છે.

Virat Kohli Batting: સચિન, ધોની, પોન્ટિંગ ના કરી શક્યા એ કામ વિરાટ કોહલીએ કરી દેખાડ્યુ, 500મી મેચમાં તેંડુલકરને છોડશે પાછળ
પ્રથમ દિવસની રમતના અંતે કોહલી 87 રન સાથે રમતમાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 9:55 AM
Share

પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય ટીમ ટોસ હારીને બેટિંગ કરવા માટે ઉતરી છે. યશસ્વી જયસ્વાલ અને સુકાની રોહિત શર્માએ 139 રનની ભાગીદારી રમત રમી હતી. બંને ઓપનરોએ અડધી સદી નોંધાવી હતી. પરંતુ શુભમન ગિલ અને અજિંક્ય રહાણે સસ્તામાં વિકેટ ગુમાવી દેતા મુશ્કેલી સર્જાઈ હતી. જોકે વિરાટ કોહલીએ સ્થિતી સંભાળતા શાનદાર બેટિંગ કરી હતી. કોહલી પ્રથમ દિવસની રમતના અંતે 87 રન પર રમતમાં હતો. તેની આ બેટિંગે પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી દીધી છે.

વિરાટ કોહલીએ 500મી મેચ રમતા એ કામ કરી દેખાડ્યુ છે જે કામ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા નથી કરી શક્યા. વિરાટ કોહલી હવે વધુ 13 રન પોતાના બેટથી બીજા દિવસની રમત દરમિયાન નિકાળતા જ સચિન તેંડુલકરને પાછળ છોડશે. આ સાથે જ ત્રિનિદાદમાં ભારતીય ટીમની સ્થિતી પણ કોહલી મજબૂત બનાવી દેશે. પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવીને 288 રન નોંધાવ્યા છે.

કોહલીનો કમાલ

અત્યાર સુધી 9 ખેલાડીઓ 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યા છે. જેમાં સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, કુમાર સંગાકારા, રિકી પોન્ટિંગ. શાહિદ આફ્રિદી, માહેલા જયવર્દને અને રાહુલ દ્રવિડ રમી ચુક્યા છે. આ 9 ખેલાડીઓ બેટર તરીકે અડધી સદી પણ નોંધાવી શક્યા નથી. જયસૂર્યા માત્ર 1 જ રન મહત્વના મુકામ પર પહોંચીને નોંધાવી શક્યો હતો. એટલે કે 500 મી મેચ રમતા માત્ર 1 રન નોંધાવ્યો હતો. રાહુલ દ્રવિડ 2 રન અને જેક કાલિસ 11 રન નોંધાવી શક્યો હતો. સચિન તેંડુલકર 35 રન નોંધાવીને પરત ફર્યો હતો. પોન્ટિંગ 44 અને સંગાકારા 48 રન નોંધાવીને પરત ફર્યો હતો.

વિરાટ કોહલીએ 500 મી મેચમાં સૌથી વધુ રન નોંધાવનારા સંગાકારાને પાછળ છોડી દીધો છે. કોહલી 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમતા અડધી સદી નોંધાવનારો પ્રથમ બેટર નોંધાયો છે. સૌથી વધુ રન નોંધાવતા 87 રન સાથે રમતમાં છે. હવે 13 રન નોંધાવતા વધુ મોટો કમાલ કરી શકે છે. જો આમ કરવામાં સફળ રહેશે તો પ્રથમ બેટર બનશે કે જેણે 500 મી મેચ રમતા સદી નોંધાવી હશે. જે રેકોર્ડ જલદી તુટવો ખૂબ જ મુશ્કેલ રહી શકે છે.

સચિનને છોડશે પાછળ

તેંડુલકરના એક બાદ એક અનેક રેકોર્ડ વિરાટ કોહલી પોતાને નામે કરી રહ્યો છે. હવે જો વધુ 13 રન નિકાળવામાં સફળ રહેશે તો, કોહલી વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લેશે. સચિન તેંડુલકર અને કોહલી બંને 75 સદી 499 મેચ રમીને ધરાવે છે. કોહલી હવે વધુ એક સદી અને 500 મી મેચ સાથે સચિનની આગળ નિકળી જશે. જોકે સૌથી વધારે સદી નોંધાવવામાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિન બાદ બીજા ક્રમે વિરાટ કોહલી છે.

છેલ્લા પાંચ વર્ષથી વિદેશી ધરતી પર વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સદી નોંધાવી શક્યો નથી. હવે આ દુકાળની સ્થિતી કોહલી માટે ખતમ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. કોહલી પોર્ટ ઓફ સ્પેનમાં શુક્રવારે સદી નોંધાવીને ચાહકોને રાહનો અંત કરી શકે છે. અંતિમ સદી વર્ષ 2018માં પર્થમાં નોંધાવી હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 123 રનની ઈનીંગ રમી હતી.

આ પણ વાંચો :  Monsoon 2023: ભિલોડા, હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">