IND vs NZ, T20 World Cup: વિરાટ કોહલી અને રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના વખાણ કર્યા, મેચ પહેલા જ હરીફ પર ફિદા થઇ ગયા, જુઓ Video
આજે રમાનારી મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ જોરદાર રીતે ન્યૂઝીલેન્ડના વખાણ કર્યા હતા. બંને ખેલાડીઓ કિવી ટીમના જોરદાર વખાણ કરતા જોવા મળ્યા હતા.
ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ટીમ ઈન્ડિયા (Team India) હવે કરતાં થોડી વાર પછી ન્યૂઝીલેન્ડ (New Zealand) સાથે ટક્કર કરવા જઈ રહી છે. પરંતુ, આજે યોજાનારી આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ જોરદાર રીતે ન્યુઝીલેન્ડના વખાણ કર્યા હતા.
બંને ખેલાડીઓ કિવી ટીમના જોરદાર વખાણ કરતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે મોટી મેચ પહેલા કોઈ પણ કેપ્ટન હરીફ ટીમ માટે આટલી મોટી વાતો કરતો નથ હોતા., સિવાય કે તેની પાછળ માઇન્ડ ગેમ હોય. પરંતુ અહીં વિરાટ અને રોહિતે કોઇ જ માઈન્ડ ગેમ રમવાના ઈરાદા વિના જ ન્યુઝીલેન્ડની રમતના વખાણ કર્યા છે. બંનેએ પ્રસારણકર્તાને આપેલા ઈન્ટરવ્યુમાં કીવી ટીમના વખાણના શબ્દો વરસાવી દીધા હતા હતા.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિશે કહ્યું કે, તે તે ટીમોમાંની છે, જે વધારે ભૂલો નથી કરતી. કિવી ટીમની આ સૌથી મોટી તાકાત છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે, જ્યારે તમે ભૂલો કરતા નથી. ત્યારે તમારી મેચ જીતવાની તકો વધી જાય છે. તેનો શ્રેય ન્યુઝીલેન્ડ ક્રિકેટના સ્ટ્રકચરને જાય છે, જેને તેઓએ ડેવલોપ કર્યુ છે.
છેલ્લા 6-7 વર્ષોમાં તેણે વિશ્વ ક્રિકેટમાં જે રીતે પોતાની જાતને રજૂ કરી છે તે આશ્ચર્યજનક છે. તે 2015 વર્લ્ડ કપનો ફાઇનલિસ્ટ હતો. 2019ના વર્લ્ડ કપમાં ફાઈનલ રમી હતી. તેઓએ અમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવ્યું હતું. તેથી મને લાગે છે કે તેને આનો સંપૂર્ણ શ્રેય મળવો જોઈએ.
“They’re not a team that makes many mistakes, and that’s been their strength.” – @imVkohli on New Zealand#FollowTheBlues to hear more from the skipper himself:
Today, 9 AM & 12 PM | Star Sports Network pic.twitter.com/gYBYwncsHS
— Star Sports (@StarSportsIndia) October 31, 2021
ન્યૂઝીલેન્ડ પાસે દરેક બેટ્સમેન માટે અલગ-અલગ પ્લાન છે- રોહિત
વિરાટ કોહલીની જેમ રોહિત શર્માએ પણ ન્યુઝીલેન્ડના વખાણના પુલ બાંધ્યા હતા. તેણે કીવી ટીમના આયોજન અંગે વાત કરી હતી. રોહિતે કહ્યું કે ન્યૂઝીલેન્ડ મેચને લઈને સારી યોજના બનાવી રહ્યું છે. તેની પાસે વિરોધી ટીમના દરેક બેટ્સમેન માટે એક પ્લાન છે અને આ એક મોટી વાત છે.
ભારત છેલ્લા 18 વર્ષથી ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે એકપણ મેચ જીત્યું નથી. પરંતુ, આજે તેણે પોતાનો ઈતિહાસ બદલવો પડશે. કારણ કે આમ ન કરવાથી તેની સેમીફાઈનલની આશા જોખમમાં મુકાઈ શકે છે.