AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022માંથી 26 ખેલાડીઓ રહેશે બહાર, દિલ્હી અને લખનૌ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ નુકસાન થશે

જે 26 ખેલાડીઓ IPL 2022થી દૂર રહેશે. તે લીગના પહેલા સપ્તાહમાં તે રમતા જોવા મળશે નહીં. એટલે કે બીજા સપ્તાહથી તે લીગમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. આનો અર્થ એ થયો કે ફક્ત પ્રથમ અઠવાડિયા માટે ફ્રેન્ચાઈઝી તે 26 ખેલાડીઓની સેવાઓ મેળવી શકશે નહીં.

IPL 2022માંથી 26 ખેલાડીઓ રહેશે બહાર, દિલ્હી અને લખનૌ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ નુકસાન થશે
IPL 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 4:48 PM
Share

IPL 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમ-જેમ લીગ નજીક આવી રહી છે તેમ-તેમ ક્રિકેટ ચાહકોમાં તેના વિશેનો ક્રેઝ વધી રહ્યો છે. આ વખતે રોમાંચ વધુ છે કારણ કે 2 નવી ટીમો વધી છે. આ સિવાય ઘણા ખેલાડીઓની જર્સીનો રંગ પણ બદલાઈ ગયો હશે. પરંતુ આ બધાની વચ્ચે મોટા સમાચાર એ છે કે જ્યારે આ લીગ શરૂ થશે ત્યારે 26 ખેલાડીઓ તેનાથી દૂર થઈ જશે. આ ખેલાડીઓ અન્ય ટુર્નામેન્ટમાં રમતા હોવાથી તેની અસર IPL 2022ની લગભગ દરેક ફ્રેન્ચાઇઝી પર પડશે. પરંતુ સૌથી વધુ નુકસાન દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને લખનૌ સુપર જાયન્ટ્સની (Lucknow Super Giants) ટીમોને થવાનું છે.

જે 26 ખેલાડીઓ IPL 2022થી દૂર રહેશે. જેથી લીગના પહેલા સપ્તાહમાં તે રમતા જોવા મળશે નહીં. એટલે કે બીજા સપ્તાહથી તે લીગમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. આનો અર્થ એ થયો કે ફક્ત પ્રથમ અઠવાડિયા માટે ફ્રેન્ચાઈઝી તે 26 ખેલાડીઓની સેવાઓ મેળવી શકશે નહીં. આવું કેટલાકની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના કારણે થશે, કેટલાકના અંગત કારણોસર પણ લીગના શરૂઆતના દિવસોમાં દુર રહેશે.

દિલ્હી અને લખનૌના 5-5 ખેલાડીઓ રહેશે દુર

હવે તમે ફક્ત 26 ખેલાડીઓની યાદી જુઓ જે IPL 2022ના પહેલા સપ્તાહમાં રમતા જોવા નહીં મળે. તેમાંથી સૌથી વધુ ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ ફ્રેન્ચાઈઝીના છે. આ બંને ટીમોના 5-5 ખેલાડીઓ IPL 2022 થી પહેલા અઠવાડિયામાં વ્યસ્ત રહેશે.

ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, એનરીખ નોરખિયા (ઈજા), મુસ્તફિઝુર રહેમાન અને લુંગી એનગીડીના નામ દિલ્હી કેપિટલ્સમાંથી ગાયબ રહેશે. લખનૌ સુપર જાયન્ટ્સ માટે માર્કસ સ્ટોઈનિસ, જેસન હોલ્ડર, કાયલ માયર્સ, માર્ક વુડ અને ક્વિન્ટન ડી કોકના નામ સામેલ છે. આમાં માર્ક વૂડ પણ ઈજાના કારણે લીગમાંથી ખસી ગયો છે.

આ ખેલાડીઓ પણ રહેશે ગાયબ

આ સિવાય જોની બેરસ્ટો, કાગીસો રબાડા અને નાથન એલિસ પંજાબ કિંગ્સ તરફથી જોવા મળશે નહીં. RCB તરફથી ગ્લેન મેક્સવેલ, જોસ હેઝલવુડ અને બેહરેનડોર્ફ. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી એડન માર્કરામ, સેન એબોટ અને માર્કો યાનસન. રાજસ્થાન રોયલ્સ તરફથી રાસી વાન ડેર ડુસે. KKR તરફથી એરોન ફિન્ચ અને પેટ કમિન્સ. CSK તરફથી ડ્વેન પ્રિટોરિયસ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના જોફ્રા આર્ચરનું નામ સામેલ થશે.

તેમાંથી મોટાભાગના એવા ખેલાડીઓ છે જેઓ જ્યારે IPL 2022 શરૂ થશે, ત્યારે તેમની ટીમો માટે ટેસ્ટ સિરીઝ રમશે. ટેસ્ટ શ્રેણી એપ્રિલના પ્રથમ અને બીજા સપ્તાહ સુધીમાં પૂરી થશે, ત્યારબાદ તેઓ પોતપોતાની IPL ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ શકશે. જો કે, કેટલાક ખેલાડીઓને ઈજાઓ છે, જેના કારણે તેમના લીગમાં રમવા અંગે સસ્પેન્સ છે.

આ પણ વાંચો : Video: વિરાટ કોહલીને મળવા ફેન્સ મેદાનમાં પહોંચી ગયા , ચાહકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે મેદાનમાં ઉંદર-બિલાડીની રમત શરુ થઈ

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઇટન્સની IPLજર્સી આવી સામે, કાર્યક્રમમાં હાર્દિક પંડ્યા સહિત અન્ય પ્લેયર્સે હાજરી આપી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">