ICC World Cup : આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો યુવરાજ બનશે આ ગુજ્જુ ખેલાડી, પૂર્વ કપ્તાને જણાવ્યું નામ

યુવરાજ સિંહ વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે એક ગુજરાતી ક્રિકેટર આ કમાલ કરશે, એવો દાવો ભારતના પૂર્વ કપ્તાન અને વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ કર્યો છે.

ICC World Cup : આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો યુવરાજ બનશે આ ગુજ્જુ ખેલાડી, પૂર્વ કપ્તાને જણાવ્યું નામ
World Cup
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 10:54 PM

વર્ષ 2011માં ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તે વર્લ્ડ કપમાં યુવરાજે બેટ અને બોલથી ધૂમ મચાવી હતી. આ વર્ષે ભારત વર્લ્ડ કપનું યજમાન છે અને આશા છે કે ટીમ ઈન્ડિયા ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનશે, પરંતુ સવાલ એ છે કે આ વખતે યુવરાજ સિંહની ભૂમિકા કોણ ભજવશે. ભારતના પૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે આનો જવાબ આપ્યો છે અને કહ્યું છે. કે રવિન્દ્ર જાડેજા આ કામ કરી શકે છે.

કોણ બનશે બીજો યુવરાજ?

યુવરાજ સિંહે વર્લ્ડ કપ 2011 ટૂર્નામેન્ટમાં કુલ 362 રન બનાવ્યા હતા અને તે 15 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ કારણોસર તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે બન્યો હતો. આ સમયે ટીમનો મુખ્ય ખેલાડી રવિન્દ્ર જાડેજા છે. તે એક ઉત્તમ ડાબોડી સ્પિનર ​​છે અને નીચલા ક્રમમાં ઝડપી રન બનાવી શકે છે. તેમજ તે એક દમદાર ફિલ્ડર પણ છે.

Knowledge : કઈ ચીજ માંથી બને છે કેપ્સ્યુલ? પેટમાં ઓગળતા કેટલો સમય લાગે છે?
આજનું રાશિફળ તારીખ 07-07-2024
વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
This time Gujju player will be Yuvraj of Team India in the World Cup The name given to the former captain

Srikkanth on Jadeja

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને 2011ના મુખ્ય પસંદગીકાર શ્રીકાંતે કહ્યું છે કે ભારતીય પરિસ્થિતિઓમાં કેટલીક વિકેટો પર સારો ટર્ન મળશે. અહીંની સ્થિતિ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી નહીં હોય. ભારત ઘરઆંગણે રમશે અને જેનો ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો મળશે. 2011ના વર્લ્ડ કપને યાદ કરતા શ્રીકાંતે કહ્યું કે તે સમયે ટીમ ઈન્ડિયા શાનદાર હતી અને તે ટીમમાં યુવરાજ સિંહ હતો.

રવિન્દ્ર જાડેજા બનશે ‘વર્લ્ડ કપ હીરો’

શ્રીકાંતે કહ્યું કે યુવરાજ સિંહે 2011માં જે કામ કર્યું હતું, તે કામ આ વર્ષે જાડેજા કરી શકે છે. તેણે અન્ય એક ખેલાડીનું નામ પણ લીધું છે. શ્રીકાંતના જણાવ્યા અનુસાર જાડેજા સિવાય ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ટીમ ઈન્ડિયામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ Ashes 2023: સ્ટીવ સ્મિથની વધુ એક સિદ્ધિ, ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ નવ હજાર રન કર્યા પૂર્ણ

ભારત 10 વર્ષથી ICC ટ્રોફી જીતી શક્યું નથી

ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારબાદ 2013માં ધોનીની કેપ્ટન્સીમાં તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. પરંતુ આ પછી ભારત કોઈપણ ફોર્મેટમાં ફરીથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. વર્ષ 2014માં પણ ધોનીની કપ્તાનીમાં ભારત T20 વર્લ્ડ કપની ફાઈનલ રમ્યું હતું પરંતુ શ્રીલંકા સામે હારી ગયું હતું. વર્ષ 2021 અને 2023માં બે વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત પહોંચ્યું પરંતુ જીતી શક્યું નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
Rath Yatra 2024 : સરસપુરમાં સવારથી જ ભક્તોનો જમાવડો
Rath Yatra 2024 : સરસપુરમાં સવારથી જ ભક્તોનો જમાવડો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
g clip-path="url(#clip0_868_265)">