Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup : આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો યુવરાજ બનશે આ ગુજ્જુ ખેલાડી, પૂર્વ કપ્તાને જણાવ્યું નામ

યુવરાજ સિંહ વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે એક ગુજરાતી ક્રિકેટર આ કમાલ કરશે, એવો દાવો ભારતના પૂર્વ કપ્તાન અને વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ કર્યો છે.

ICC World Cup : આ વખતે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો યુવરાજ બનશે આ ગુજ્જુ ખેલાડી, પૂર્વ કપ્તાને જણાવ્યું નામ
World Cup
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 10:54 PM

વર્ષ 2011માં ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તે વર્લ્ડ કપમાં યુવરાજે બેટ અને બોલથી ધૂમ મચાવી હતી. આ વર્ષે ભારત વર્લ્ડ કપનું યજમાન છે અને આશા છે કે ટીમ ઈન્ડિયા ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનશે, પરંતુ સવાલ એ છે કે આ વખતે યુવરાજ સિંહની ભૂમિકા કોણ ભજવશે. ભારતના પૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે આનો જવાબ આપ્યો છે અને કહ્યું છે. કે રવિન્દ્ર જાડેજા આ કામ કરી શકે છે.

કોણ બનશે બીજો યુવરાજ?

યુવરાજ સિંહે વર્લ્ડ કપ 2011 ટૂર્નામેન્ટમાં કુલ 362 રન બનાવ્યા હતા અને તે 15 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ કારણોસર તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે બન્યો હતો. આ સમયે ટીમનો મુખ્ય ખેલાડી રવિન્દ્ર જાડેજા છે. તે એક ઉત્તમ ડાબોડી સ્પિનર ​​છે અને નીચલા ક્રમમાં ઝડપી રન બનાવી શકે છે. તેમજ તે એક દમદાર ફિલ્ડર પણ છે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ
This time Gujju player will be Yuvraj of Team India in the World Cup The name given to the former captain

Srikkanth on Jadeja

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને 2011ના મુખ્ય પસંદગીકાર શ્રીકાંતે કહ્યું છે કે ભારતીય પરિસ્થિતિઓમાં કેટલીક વિકેટો પર સારો ટર્ન મળશે. અહીંની સ્થિતિ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી નહીં હોય. ભારત ઘરઆંગણે રમશે અને જેનો ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો મળશે. 2011ના વર્લ્ડ કપને યાદ કરતા શ્રીકાંતે કહ્યું કે તે સમયે ટીમ ઈન્ડિયા શાનદાર હતી અને તે ટીમમાં યુવરાજ સિંહ હતો.

રવિન્દ્ર જાડેજા બનશે ‘વર્લ્ડ કપ હીરો’

શ્રીકાંતે કહ્યું કે યુવરાજ સિંહે 2011માં જે કામ કર્યું હતું, તે કામ આ વર્ષે જાડેજા કરી શકે છે. તેણે અન્ય એક ખેલાડીનું નામ પણ લીધું છે. શ્રીકાંતના જણાવ્યા અનુસાર જાડેજા સિવાય ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ટીમ ઈન્ડિયામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ Ashes 2023: સ્ટીવ સ્મિથની વધુ એક સિદ્ધિ, ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ નવ હજાર રન કર્યા પૂર્ણ

ભારત 10 વર્ષથી ICC ટ્રોફી જીતી શક્યું નથી

ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારબાદ 2013માં ધોનીની કેપ્ટન્સીમાં તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. પરંતુ આ પછી ભારત કોઈપણ ફોર્મેટમાં ફરીથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું નથી. વર્ષ 2014માં પણ ધોનીની કપ્તાનીમાં ભારત T20 વર્લ્ડ કપની ફાઈનલ રમ્યું હતું પરંતુ શ્રીલંકા સામે હારી ગયું હતું. વર્ષ 2021 અને 2023માં બે વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત પહોંચ્યું પરંતુ જીતી શક્યું નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">