AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં ઈશાંત શર્માનો નવો અવતાર, પહેલી ટેસ્ટમાં કરશે ખાસ ડેબ્યૂ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો સિનિયર ખેલાડી ઈશાંત શર્મા એક નવી ભૂમિકા નિભાવતો જોવા મળશે. આ વખતે ક્રિકેટના મેદાનમાં નહીં પરંતુ કોમેન્ટ્રી બોક્સમાં ઈશાંત નવી ઇનિંગની શરૂઆત કરશે.

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં ઈશાંત શર્માનો નવો અવતાર, પહેલી ટેસ્ટમાં કરશે ખાસ ડેબ્યૂ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 7:22 PM
Share

ભારત માટે 100થી વધુ ટેસ્ટ રમનાર ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ઈશાંત શર્મા લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહ્યો છે. ઈશાંત ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે તે IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. 34 વર્ષીય ઈશાંતે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2021માં રમી હતી. હાલ સિરાજ, અર્શદીપ, નવદીપ, ઉમરાન સહિત અનેક ફાસ્ટ બોલરો ટીમમાં જગ્યા બનાવવવાની રેસમાં છે. એવામાં ઈશાંતના ટીમમાં સામેલ થવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. આ બધા વચ્ચે ઈશાંત ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સીરિઝમાં જોવા મળશે.

કોમેન્ટ્રીમાં ડેબ્યૂ કરશે ઇશાંત શર્મા

ઈશાંત શર્માને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો નથી આમ છતાં તે આ સિરીઝમાં જોવા મળશે. જો કે તે મેદાન પર જોવા નહીં મળે, પરંતુ મેદાનની બહાર કોમેન્ટ્રી બોક્સમાં કોમેન્ટેટરની ભૂમિકા ભજવશે. ઇશાંત શર્માનો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સીરિઝઆમ ટેસ્ટ ડેબ્યૂ થશે.

ભારત-વિન્ડીઝ શ્રેણીમાં કરશે કોમેન્ટ્રી

12 જુલાઈથી શરૂ થતી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી ટેસ્ટમાં ઈશાંત કોમેન્ટ્રી કરતો જોવા મળશે. ઈશાંત શર્મા આ સીરિઝમાં કોમેન્ટેટર તરીકે આ શ્રેણીનો ભાગ હશે. જમણા હાથનો ફાસ્ટ બોલર ઈશાંત JioCinema પર કોમેન્ટ્રી કરશે.

નિવૃત્તિ પહેલા કોમેન્ટ્રીમાં ડેબ્યુ કરશે

ઈશાંત શર્મા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે એવામાં તે જલ્દી નિવૃત્તિ જેર કરશે એવી અનેક ફેન્સને આશંકા હતી. આ અફવા વચ્ચે ઈશાંત શર્માએ બધાને ચોંકાવતા કોમેન્ટેટર તરીકે નવી ભૂમિકા નિભાવવાની તૈયારી કરી લીધી છે. ઈશાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા વિના કોમેન્ટ્રી કરતો જોવા મળે છે. આ પહેલા ભારતનો વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ નિવૃત્તિ પહેલા જ કોમેન્ટેટર તરીકે અનેક શ્રેણીમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે ક્રિકેટરો નિવૃત્તિ બાદ કોમેન્ટેટરની ભૂમિકા નિભાવતા હોય છે.

આ પણ વાંચો : Breaking News: પહેલી T20માં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, કેપ્ટનની શાનદાર ફિફ્ટી

ઈશાંતનું ક્રિકેટ કરિયર

ઈશાંત શર્માએ ભારત તરફથી 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે જ્યારે 80 વનડેમાં તેણે 115 વિકેટ ઝડપી છે જ્યારે ઈશાંત શર્માએ 14 T20 ઈન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ ઝડપી છે. IPLમાં ઈશાંત શર્માએ અત્યાર સુધી 101 મેચ રમી છે અને તેણે 35.05ની એવરેજ સાથે 83 વિકેટ લીધી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
g clip-path="url(#clip0_868_265)">