‘તમે પાગલ થઈ ગયા છો?’ બેટ હાથમાં પકડીને રોહિત શર્માએ કોને આપ્યો આવો જવાબ? જુઓ Video

ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ બેટિંગના દૃષ્ટિકોણથી સારી સાબિત ન થઈ પરંતુ તેણે કાનપુર ટેસ્ટમાં કંઈક એવું કર્યું જેણે બધાને ચોંકાવી દીધા અને હવે તેની પાસેથી ચાહકોની અપેક્ષાઓ પણ વધી ગઈ છે જેમાંથી પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યું હતું.

'તમે પાગલ થઈ ગયા છો?' બેટ હાથમાં પકડીને રોહિત શર્માએ કોને આપ્યો આવો જવાબ? જુઓ Video
Rohit SharmaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 11, 2024 | 8:41 PM

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આગામી પડકારની તૈયારી શરૂ કરી દીધી છે. કાનપુર ટેસ્ટમાં જીત બાદ ભારતીય ખેલાડીઓને થોડા દિવસો માટે બ્રેક મળ્યો હતો પરંતુ હવે ધ્યાન ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પર કેન્દ્રિત થઈ ગયું છે. આ સિરીઝ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે જેના માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિતે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

મિત્રએ કરી રોહિત શર્માને ડિમાન્ડ

રોહિત ફિટનેસથી લઈને બેટિંગ પ્રેક્ટિસ સુધી ઘણો પરસેવો પાડી રહ્યો છે. રોહિતની પ્રેક્ટિસનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારતીય કેપ્ટન મોટા શોટ ફટકારી રહ્યો છે, પરંતુ તેના બેટનો ઉપયોગ કરતા પહેલા રોહિત પાસેથી એક ડિમાન્ડ કરવામાં આવી હતી, જેના પર ભારતીય કેપ્ટને કહ્યું- ‘તમે પાગલ થઈ ગયા છો?’

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી
Money Saving Tips : આ ટીપ્સ દ્વારા બાળકોને પૈસાનું મહત્વ શીખવો
કર્ઝમાં ડૂબેલા વ્યક્તિએ ક્યુ વ્રત કરવુ જોઈએ?

રોહિત શર્માએ મુંબઈમાં પ્રેક્ટિસ શરૂ કરી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં ટેસ્ટ સિરીઝ શરૂ થશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કેપ્ટન રોહિત ચોક્કસ રમશે. આવી સ્થિતિમાં તેણે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી તેના માટે સારી રહી ન હતી અને તે 4 ઈનિંગ્સમાં 50 રન પણ બનાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તે ન્યુઝીલેન્ડ સામે રસ્તો કાઢવા માટે બેચેન હશે અને તેથી જ તેણે મુંબઈમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

રોહિતે આપ્યો મજેદાર જવાબ

હવે રોહિત ભલે બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રદર્શન ન કરી શક્યો હોય પરંતુ કાનપુર ટેસ્ટમાં તેણે કંઈક એવું કરી બતાવ્યું હતું જેનાથી હવે દરેકની અપેક્ષાઓ વધી ગઈ છે, જેની ઝલક તેની પ્રેક્ટિસના વીડિયોમાં પણ જોવા મળી હતી. કાનપુરમાં, રોહિતે ભારતની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા માટે આવેલા પ્રથમ બોલ પર જ સિક્સર ફટકારી હતી. ત્યારપછી તેણે આગલા બોલ પર પણ સિક્સર મારીને હલચલ મચાવી દીધી હતી. પ્રેક્ટિસ સેશનમાં પણ તેની પાસેથી આવી જ માંગ કરવામાં આવી હતી. રોહિતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે નેટ્સમાં પ્રવેશતાની સાથે જ તેના એક સાથી ખેલાડીએ તેને પહેલા બોલ પર સિક્સર મારવાની માંગ કરી હતી. પછી રોહિતે તેને મજાકમાં કહ્યું – ‘તમે પાગલ થઈ ગયા છો?’

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ નહીં રમે રોહિત?

ભલે રોહિતે પહેલા બોલ પર સિક્સર મારી ન હતી, પરંતુ થોડા બોલ રમ્યા બાદ તેણે અહીં પણ મોટા શોટ ફટકાર્યા હતા. હવે રોહિતની આ પ્રેક્ટિસ કેટલી ફળશે તે તો 16મી ઓક્ટોબરે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ ખબર પડશે. જો કે, ભારતીય કેપ્ટન હાલમાં અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિતે BCCIને કહ્યું છે કે અંગત કારણોસર તે ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ કે બીજી ટેસ્ટમાંથી બહાર બેસી શકે છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય થોડા અઠવાડિયામાં લેવામાં આવશે.

આ પણ વાંચો: IND vs BAN: હૈદરાબાદમાં બાંગ્લાદેશનો ક્લીન સ્વીપ નિશ્ચિત ! ટીમ ઈન્ડિયાના આંકડા છે શાનદાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ
g clip-path="url(#clip0_868_265)">