AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્ટાર ખેલાડી માટે સૂર્યકુમાર યાદવનું મોટું બલિદાન, મેચ પહેલા કેપ્ટને કરી જાહેરાત

સૂર્યકુમાર યાદવે ભારત-ન્યુઝીલેન્ડ T20I શ્રેણીમાં કેપ્ટન તરીકે મોટું બલિદાન આપ્યું છે. ઈજાગ્રસ્ત તિલક વર્માની જગ્યાએ સ્ટાર ખેલાડીને સ્થાન મળ્યું.

Breaking News : સ્ટાર ખેલાડી માટે સૂર્યકુમાર યાદવનું મોટું બલિદાન, મેચ પહેલા કેપ્ટને કરી જાહેરાત
| Updated on: Jan 20, 2026 | 7:17 PM
Share

સૂર્યકુમાર યાદવે સ્ટાર ખેલાડી માટે મોટું બલિદાન આપ્યું છે. ICC વર્લ્ડ કપ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી અંતિમ T20I શ્રેણીની પહેલી મેચ 21 જાન્યુઆરીએ નાગપુરમાં યોજાશે. આ પાંચ મેચની શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારત 2026ની પ્રથમ ODI શ્રેણી જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ T20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ન્યૂઝીલેન્ડ સામે પુનરાગમન કરવા માટે તૈયાર છે.

તિલક વર્માની જગ્યાએ પહેલી મેચમાં કોણ રમશે ?

પ્રથમ T20I મેચની પૂર્વસંધ્યાએ 20 જાન્યુઆરીએ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઇંગ ઇલેવન અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈજાગ્રસ્ત તિલક વર્માની જગ્યાએ પહેલી મેચમાં કોણ રમશે તે અંગે કોઈ સંશય નથી.

સૂર્યકુમાર યાદવે જાહેરાત કરી કે યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન પહેલી T20I મેચમાં તિલક વર્માનું સ્થાન લેશે. એટલું જ નહીં, તેમણે ઈશાનના બેટિંગ ક્રમ વિશે પણ ખુલાસો કર્યો. સૂર્યાએ જણાવ્યું કે ઈશાન કિશન ત્રીજા નંબર પર બેટિંગ કરશે.

આ નિર્ણય સાથે સૂર્યકુમાર યાદવે પોતાનું સ્થાન છોડીને મોટું બલિદાન આપ્યું છે. સામાન્ય રીતે T20I ક્રિકેટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરનાર સૂર્યકુમાર હવે ચોથા નંબર પર ઉતરશે. ટીમના હિતમાં લેવામાં આવેલા આ નિર્ણયને કેપ્ટનની ઉદારતા તરીકે જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મિડલ-ઓર્ડરના મહત્વપૂર્ણ બેટ્સમેન તિલક વર્મા ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી બહાર છે. તેની ગેરહાજરીમાં શ્રેયસ ઐયરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, પહેલી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ઈશાન કિશનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

જો શ્રેયસ ઐયરને તક આપવામાં આવી હોત, તો તે ત્રીજા નંબર પર બેટિંગ કરત, કારણ કે તે ODI ક્રિકેટમાં ચોથા નંબર પર પણ રમે છે. પરંતુ ટીમ સંયોજનને ધ્યાનમાં રાખીને સૂર્યાએ ઈશાનને મોકો આપવાનો નિર્ણય લીધો છે. આથી, હવે શ્રેયસને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે બીજી મેચ સુધી રાહ જોવી પડશે.

આ સાથે એ પણ નક્કી થઈ ગયું છે કે ઈશાન કિશન બે વર્ષના લાંબા વિરામ બાદ ભારતીય T20 ટીમની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરશે. તેણે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 28 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

નહીં રોકાય 14 વર્ષનો આ ધુરંધર.. વિરાટ કોહલી બાદ હવે તોડશે શુભમન ગિલનો આ રેકોર્ડ, જાણો

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">