AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુકાની બનતા પહેલા જ સૂર્યકુમાર યાદવને મળી મોટી ચેતવણી, ગમે ત્યારે હટાવી દેશે BCCI!

સૂર્યકુમાર યાદવ શ્રીલંકા પ્રવાસથી ભારતીય T20 ટીમના કેપ્ટન બની શકે છે. એવું માનવામાં આવે છે કે તે T20 વર્લ્ડ કપ 2026 સુધી ટીમની કમાન સંભાળશે. પરંતુ આ પહેલા તેને BCCI તરફથી મોટી ચેતવણી મળી છે.

સુકાની બનતા પહેલા જ સૂર્યકુમાર યાદવને મળી મોટી ચેતવણી, ગમે ત્યારે હટાવી દેશે BCCI!
Suryakumar Yadav & Rohit Sharma
| Updated on: Jul 18, 2024 | 7:24 PM
Share

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ સિરીઝથી સૂર્યકુમાર યાદવને ભારતની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે તેને ટીમની કમાન મળશે. પરંતુ આ વખતે તેને લાંબા સમયથી ટીમનો કેપ્ટન બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ માટે આ જવાબદારી આસાન નહીં હોય, કારણ કે કેપ્ટન બનતા પહેલા જ સૂર્યાને મોટી ચેતવણી મળી ગઈ છે.

BCCIએ સૂર્યાને મોટી ચેતવણી આપી

રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. જેના માટે હાર્દિક પંડ્યા સૌથી મોટો દાવેદાર હતો, પરંતુ હવે આ રેસમાં સૂર્યકુમાર યાદવ સૌથી આગળ માનવામાં આવે છે. અહેવાલ છે કે તે T20 વર્લ્ડ કપ 2026 સુધી ટીમની કમાન સંભાળશે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન પસંદગી સમિતિની અપેક્ષાઓ પર ખરું નહીં ઉતરે તો તેને ગમે ત્યારે કેપ્ટનશિપ પરથી હટાવી શકાય છે.

સુકાની તરીકે સૂર્યકુમાર યાદવના આંકડા

સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી 7 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન ભારતીય ટીમે 5 મેચ જીતી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે તેણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમો સામે ટીમની કેપ્ટનશિપ કરી છે, આવી સ્થિતિમાં તેના આંકડા ઘણા શાનદાર ગણી શકાય. BCCI ભવિષ્યમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખે છે.

આ પ્રવાસ 27મી જુલાઈથી શરૂ થશે

ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સૌથી પહેલા T20 સિરીઝ રમશે, જે 27 જુલાઈથી શરૂ થશે અને 30 જુલાઈએ સમાપ્ત થશે. ભારતે શ્રીલંકામાં 3 મેચની T20 શ્રેણી રમવાની છે. રોહિત શર્મા વનડે શ્રેણીમાં ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે તે આ પ્રવાસનો ભાગ હશે.

આ પણ વાંચો: ભારત કે પાકિસ્તાન… વનડેમાં સૌથી વધુ સદી કોણે ફટકારી? બંને દેશો વચ્ચે છે મોટો તફાવત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">