રિષભ પંત IPL રમશે કે નહીં? 5 માર્ચે આવશે મોટો નિર્ણય, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો

|

Mar 02, 2024 | 5:10 PM

ભારતના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માત થયો હતો જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેને લિગામેન્ટમાં ઈજા થઈ હતી જેના માટે તેણે સર્જરી કરાવી હતી. પંત હવે પુનરાગમન કરવાના માર્ગે છે અને 5 માર્ચે તેના વિશે સમાચાર આવી શકે છે. જે અંગે દિગ્ગજ ભારતીય ક્રિકેટરે કહ્યો મોટો ખુલાસો.

રિષભ પંત IPL રમશે કે નહીં? 5 માર્ચે આવશે મોટો નિર્ણય, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો
Rishabh Pant & Sourav Ganguly

Follow us on

રિષભ પંત છેલ્લા એક વર્ષથી ક્રિકેટથી દૂર છે. ફેન્સ તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. પંત પણ પુનરાગમન માટે સખત મહેનત કરી રહ્યો છે. પંત આ વખતે આઈપીએલની આગામી સિઝનમાં રમશે તેવી પૂરી આશા છે. પંત IPL રમી શકશે કે નહીં તે અંગેની સ્થિતિ 5 માર્ચે સ્પષ્ટ થશે. પંત IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. દિલ્હી ફ્રેન્ચાઈઝીના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ પંતને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ગાંગુલીએ કહ્યું છે કે પંતનો 5 માર્ચે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ થશે જેમાં તેને ફિટ જાહેર કરવામાં આવશે.

રિષભ પંત એક વર્ષથી ક્રિકેટથી દૂર

ભારતના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માત થયો હતો જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેને લિગામેન્ટમાં ઈજા થઈ હતી જેના માટે તેણે સર્જરી કરાવી હતી. પંત હવે કમબેક કરવા જઈ રહ્યો છે અને 5 માર્ચે તેના વિશે સમાચાર આવી શકે છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં. ગાંગુલીના નિવેદન પર નજર કરીએ તો પંત સંપૂર્ણપણે ફિટ છે અને રમવા માટે તૈયાર છે.

ગાંગુલીએ કહી આ વાત

એક ઈન્ટરવ્યુમાં જ્યારે ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું પંત 22 માર્ચથી શરૂ થઈ રહેલી IPLમાં દિલ્હી તરફથી રમશે અને ટીમની કેપ્ટનશીપ કરશે કે નહીં? આના પર ગાંગુલીએ કહ્યું કે પંતે ફિટ થવા માટે જે શક્ય છે તે કર્યું છે અને તેથી જ NCA તેને ક્લિયર કરશે. પંતને 5 માર્ચે ટેસ્ટ પાસ કરવા દો. આ પછી અમે કેપ્ટનશિપ માટેના વિકલ્પો પર વિચાર કરીશું. ફ્રેન્ચાઈઝી તેના વિશે ખૂબ જ સાવચેતીભર્યું પગલાં લઈ રહી છે કારણ કે તેની કારકિર્દી ઘણી લાંબી છે. પંત કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર ઘણું નિર્ભર છે. NCA તરફથી ક્લિયરન્સ મળ્યા બાદ પંત ફ્રેન્ચાઈઝી કેમ્પમાં ભાગ લેશે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

વિકેટકીપિંગ માટે આ વિકલ્પો

ગાંગુલીએ પંતની ગેરહાજરીમાં કેપ્ટનશીપના વિકલ્પો વિશે તો વાત ન કરી પરંતુ તેમણે વિકેટકીપર તરીકે પંતના વિકલ્પો વિશે જરૂર વાત કરી હતી. ગાંગુલીએ કહ્યું કે દિલ્હી પાસે વિકેટકીપર તરીકે કુમાર કુશાગરા અને રિકી ભુઈ જેવા ખેલાડીઓ છે. આ સિવાય ગાંગુલીએ શાઈ હોપ અને ટ્રિસ્ટન સ્ટબ્સનું નામ પણ આપ્યું હતું જેઓ વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો : WPL 2024માં યુપી વોરિયર્સની સતત બીજી જીત, ગુજરાતને 6 વિકેટે હરાવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article