IND Vs SA: રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ થી બહાર, વિરાટ કોહલી એ વન ડે સિરીઝ થી નામ પરત ખેંચ્યુ, ટીમ ઇન્ડિયામાં બધુ બરાબર હોવા પર સંદેહ!

ભલે રોહિત શર્મા (Rohit Sharma) નુ કહેવું હોય કે તેને વ્હાઈટ બોલ ક્રિકેટમાં વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપમાં રમવાની મજા આવી. પરંતુ, શું વિરાટ પણ તેની કેપ્ટનશિપમાં રમવા માંગે છે?

IND Vs SA: રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ થી બહાર, વિરાટ કોહલી એ વન ડે સિરીઝ થી નામ પરત ખેંચ્યુ, ટીમ ઇન્ડિયામાં બધુ બરાબર હોવા પર સંદેહ!
Virat Kohli-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:50 AM

વ્હાઇટ બોલની કેપ્ટનશીપ સંભાળ્યા પછી, રોહિત શર્મા (Rohit Sharma) આ ફોર્મેટમાં વિરાટ કોહલી (Virat Kohli) ના 5 વર્ષના કાર્યકાળને વર્ણવતો જોવા મળ્યો હતો. ભલે તે કહે કે તેને સફેદ બોલની ક્રિકેટમાં વિરાટની કેપ્ટનશીપમાં રમવાની મજા આવી. પરંતુ, શું વિરાટ પણ તેની કેપ્ટનશિપમાં રમવા માંગે છે? દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસે જતાં પહેલા જે સ્થિતિ સર્જાઈ છે તે અનેક સવાલો ઉભા કરી રહી છે.

પહેલા રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો અને પછી એવા સમાચાર પણ આવ્યા કે વિરાટ કોહલી વનડે સિરીઝમાં નહીં રમે. વિરાટે BCCIને ODI સિરીઝમાંથી ખસી જવાના નિર્ણયની જાણકારી પણ આપી દીધી છે.

રોહિતનું ટેસ્ટ સીરીઝ અને વિરાટનું વનડે સીરીઝમાંથી ખસી જવાનું પણ એક કારણ છે. રોહિત શર્મા ઈજાનો શિકાર બન્યો હોવાથી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. BCCI દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેના ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા છે, જેના કારણે તે 3 ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ બની શકશે નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ દરમિયાન વિરાટ કોહલીના ODI શ્રેણીમાંથી હટવાનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ તેને તેના ફેમિલી બ્રેક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, જ્યારે 3 વન-ડે મેચોની સિરીઝ રમવાની છે, તે સમયે તેની પુત્રી વામિકનો પણ પ્રથમ જન્મદિવસ છે. રિપોર્ટ અનુસાર, વિરાટે BCCI ને આ જ દલીલ આપતા સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

વ્હાઇટ બોલની કેપ્ટનશિપને લઈને વિવાદ છે કે કેમ

જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિરાટ અને રોહિત વચ્ચે ODI અને ટેસ્ટ શ્રેણીમાંથી ખસી જવા પાછળ સફેદ બોલની કેપ્ટનશીપનો વિવાદ છે કે કેમ. પરંતુ, તેના વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. વાસ્તવમાં, વિરાટ કોહલી હજુ સુધી ODI કેપ્ટનશીપ છોડવાના મૂડમાં નહોતો. પરંતુ, ગયા અઠવાડિયે BCCIએ તેને હટાવીને રોહિતને ODIનો કેપ્ટન બનાવ્યો હતો.

જોકે, કોહલીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને ન તો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટેસ્ટ કેપ્ટન કોહલી પણ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે પરંતુ તેણે ત્યાં પણ તેના વિશે કંઈ લખ્યું નથી. પરંતુ જો વિરાટની નજીકના સૂત્રોનું માનીએ તો આ નિર્ણયથી તે ચોક્કસપણે ચોંકી ગયો હતો.

આ પણ વાંચોઃ IND vs AFG: ટીમ ઇન્ડિયા માર્ચમાં રમશે વન ડે સિરીઝ, યુવા ખેલાડીઓને લાગશે લોટરી!

આ પણ વાંચોઃ ICC U19 World Cup: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ 2022ને લઇ ટીમનુ કર્યુ એલાન, 15 ખેલાડીઓના નામ કર્યા જાહેર

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">