AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SA: રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ થી બહાર, વિરાટ કોહલી એ વન ડે સિરીઝ થી નામ પરત ખેંચ્યુ, ટીમ ઇન્ડિયામાં બધુ બરાબર હોવા પર સંદેહ!

ભલે રોહિત શર્મા (Rohit Sharma) નુ કહેવું હોય કે તેને વ્હાઈટ બોલ ક્રિકેટમાં વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપમાં રમવાની મજા આવી. પરંતુ, શું વિરાટ પણ તેની કેપ્ટનશિપમાં રમવા માંગે છે?

IND Vs SA: રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ થી બહાર, વિરાટ કોહલી એ વન ડે સિરીઝ થી નામ પરત ખેંચ્યુ, ટીમ ઇન્ડિયામાં બધુ બરાબર હોવા પર સંદેહ!
Virat Kohli-Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:50 AM
Share

વ્હાઇટ બોલની કેપ્ટનશીપ સંભાળ્યા પછી, રોહિત શર્મા (Rohit Sharma) આ ફોર્મેટમાં વિરાટ કોહલી (Virat Kohli) ના 5 વર્ષના કાર્યકાળને વર્ણવતો જોવા મળ્યો હતો. ભલે તે કહે કે તેને સફેદ બોલની ક્રિકેટમાં વિરાટની કેપ્ટનશીપમાં રમવાની મજા આવી. પરંતુ, શું વિરાટ પણ તેની કેપ્ટનશિપમાં રમવા માંગે છે? દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસે જતાં પહેલા જે સ્થિતિ સર્જાઈ છે તે અનેક સવાલો ઉભા કરી રહી છે.

પહેલા રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો અને પછી એવા સમાચાર પણ આવ્યા કે વિરાટ કોહલી વનડે સિરીઝમાં નહીં રમે. વિરાટે BCCIને ODI સિરીઝમાંથી ખસી જવાના નિર્ણયની જાણકારી પણ આપી દીધી છે.

રોહિતનું ટેસ્ટ સીરીઝ અને વિરાટનું વનડે સીરીઝમાંથી ખસી જવાનું પણ એક કારણ છે. રોહિત શર્મા ઈજાનો શિકાર બન્યો હોવાથી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. BCCI દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેના ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા છે, જેના કારણે તે 3 ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ બની શકશે નહીં.

આ દરમિયાન વિરાટ કોહલીના ODI શ્રેણીમાંથી હટવાનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ તેને તેના ફેમિલી બ્રેક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, જ્યારે 3 વન-ડે મેચોની સિરીઝ રમવાની છે, તે સમયે તેની પુત્રી વામિકનો પણ પ્રથમ જન્મદિવસ છે. રિપોર્ટ અનુસાર, વિરાટે BCCI ને આ જ દલીલ આપતા સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

વ્હાઇટ બોલની કેપ્ટનશિપને લઈને વિવાદ છે કે કેમ

જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિરાટ અને રોહિત વચ્ચે ODI અને ટેસ્ટ શ્રેણીમાંથી ખસી જવા પાછળ સફેદ બોલની કેપ્ટનશીપનો વિવાદ છે કે કેમ. પરંતુ, તેના વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. વાસ્તવમાં, વિરાટ કોહલી હજુ સુધી ODI કેપ્ટનશીપ છોડવાના મૂડમાં નહોતો. પરંતુ, ગયા અઠવાડિયે BCCIએ તેને હટાવીને રોહિતને ODIનો કેપ્ટન બનાવ્યો હતો.

જોકે, કોહલીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને ન તો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટેસ્ટ કેપ્ટન કોહલી પણ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે પરંતુ તેણે ત્યાં પણ તેના વિશે કંઈ લખ્યું નથી. પરંતુ જો વિરાટની નજીકના સૂત્રોનું માનીએ તો આ નિર્ણયથી તે ચોક્કસપણે ચોંકી ગયો હતો.

આ પણ વાંચોઃ IND vs AFG: ટીમ ઇન્ડિયા માર્ચમાં રમશે વન ડે સિરીઝ, યુવા ખેલાડીઓને લાગશે લોટરી!

આ પણ વાંચોઃ ICC U19 World Cup: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ 2022ને લઇ ટીમનુ કર્યુ એલાન, 15 ખેલાડીઓના નામ કર્યા જાહેર

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">