AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: રોહિત શર્માએ કર્યો ખુલાસો, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની બંને મેચ કેમ હારી ગયા

ICC T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) ની પ્રથમ બે મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ પોતાની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાન (Afghanistan) ને હરાવીને ખાતું ખોલ્યું હતું.

T20 World Cup: રોહિત શર્માએ કર્યો ખુલાસો, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની બંને મેચ કેમ હારી ગયા
Delhi Air Pollution
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 9:07 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup 2021) માં ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. પરંતુ તે તેની શરૂઆતની બંને મેચ હારી ગઈ હતી. જેના કારણે તેનું સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, ભારતે બુધવારે રાત્રે અફઘાનિસ્તાનને 66 રનના વિશાળ માર્જિનથી હરાવી આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. આ મેચ બાદ ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ સ્વીકાર્યું કે પ્રથમ બે મેચમાં ભારત તરફથી નિર્ણય લેવામાં ભૂલો થઈ હતી.

રોહિતે તેની પાછળનો તર્ક આપતા કહ્યું કે આવી બાબતો લાંબા સમય સુધી રમવાથી થાય છે. રોહિતે અફઘાનિસ્તાન સામે 74 રનની ઇનિંગ રમી અને મેન ઓફ ધ મેચ બન્યો હતો.

રોહિતે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આજની મેચમાં અભિગમ અલગ હતો. હું ઈચ્છું છું કે પહેલી બે મેચમાં આવું થયું હોત, પરંતુ એવું ન થયું. પરંતુ આવું ત્યારે થાય છે જ્યારે તમે લાંબા સમય સુધી રમતા રહો છો. નિર્ણય લેવામાં સમસ્યા આવી શકે છે અને પહેલી બે મેચમાં આવું જ થયું હતું. આ વર્લ્ડ કપમાં આવતા પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ IPL-2021માં રમી રહ્યા હતા અને તે પહેલા તેઓ ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસ પર હતા.

આ બાબત થી સમસ્યા

રોહિતે કહ્યું કે જો મન ફ્રેશ ન હોય તો નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. તેણે કહ્યું કે અપેક્ષા રાખવામાં આવે છે કે, જ્યારે પણ તમે મેદાન પર જાઓ ત્યારે યોગ્ય નિર્ણયો લો. તેણે કહ્યું, જેટલું ક્રિકેટ રમાઈ રહ્યું છે, એટલું જ ક્રિકેટ આપણે રમી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે મેદાન પર પગ મુકો છો, ત્યારે તમારી પાસેથી યોગ્ય નિર્ણય લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. તમારે ખાતરી કરવી પડશે કે તમે માનસિક રીતે ફ્રેશ રહો.

કદાચ તેથી જ અમે કેટલાક નિર્ણયો લઈ શક્યા નથી. જ્યારે તમે ઘણું ક્રિકેટ રમો છો, ત્યારે આવી વસ્તુઓ બનતી રહે છે. તમારે રમતથી દૂર રહેવું પડશે અને તમારા મનને ફ્રેશ રાખવું પડશે. પરંતુ જ્યારે તમે વર્લ્ડ કપ રમો છો ત્યારે તમારું સમગ્ર ધ્યાન વર્લ્ડ કપ પર હોય છે. તમારે જાણવું જોઈએ કે શું કરવું અને શું ન કરવું.

પોતાના ફોર્મ પર આ વાત કહી

પ્રથમ બે મેચમાં રોહિતનું બેટ પણ નિષ્ફળ ગયું હતું. તે પાકિસ્તાન સામે અને પછી ન્યુઝીલેન્ડ સામે મોટો સ્કોર કરી શક્યો નહોતો. તેણે કહ્યુ, તે પ્રથમ બે મેચમાં આમ બન્યું ન હતું, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે એક જ રાતમાં ખરાબ ખેલાડી બની ગયા. જો તમારી પાસે બે ખરાબ રમતો હોય, તો તેનો અર્થ એ નથી કે તમામ ખેલાડીઓ ખરાબ છે, કે ટીમ ચલાવનારા લોકો ખરાબ છે. તમે પારખો છો અને પાછા આવો છો, તે જ અમે કર્યું. આવી સ્થિતિમાં, તમારે ડર્યા વિના જીવવું પડશે અને શું થઈ રહ્યું છે તે વિશે વિચારશો નહીં.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલીએ અશ્વિન માટે કહી આ ખાસ વાત, સતત બહાર રાખ્યા બાદ જીત મળતા જ અનુભવ પસંદ આવ્યો

આ પણ વાંચોઃ Kali Chaudas: કાળી ચૌદશની રાત્રીએ આ ગામના લોકો સ્મશાનમાં જઇને કરે છે ભક્તિ ભાવ, બાળકો થી લઇ મોટેરાઓ જોડાય છે આ કાર્યમાં

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">