ICC Trophy ના મુદ્દે વિરાટ કોહલીના બચાવમાં રવિ શાસ્ત્રી, કહ્યુ ગાંગુલી અને દ્રવિડ પણ નહોતા જીત્યા વિશ્વકપ

રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ BCCI સાથે વિરાટ કોહલીના બગડતા સંબંધોને લઈને કહ્યું કે તે બંને પક્ષો સાથે વાત કર્યા વિના કંઈ કહી શકે નહીં.

ICC Trophy ના મુદ્દે વિરાટ કોહલીના બચાવમાં રવિ શાસ્ત્રી, કહ્યુ ગાંગુલી અને દ્રવિડ પણ નહોતા જીત્યા વિશ્વકપ
Ravi Shastri એ Virat Kohliના રાજીનામાના નિર્ણયને સન્માન કરવાની વાત કહી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 3:47 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ સુકાની રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું કહેવું છે કે સુકાનીપદ છોડ્યા બાદ પણ વિરાટ કોહલી (Virat Kohli) બદલાશે નહી.તે પહેલાની જેમ જ ટીમ માટે રમશે.તેમણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાના એક દિવસ બાદ નિર્ણય લીધો હતો. આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં હાર. અગાઉ સપ્ટેમ્બરમાં તેણે T20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી, જ્યારે ડિસેમ્બરમાં તેને ODIની કેપ્ટનશીપમાંથી હટાવી લેવામાં આવ્યો હતો. કેપ્ટનશીપ તેની ટોચ પર હતી. બંનેએ સાથે મળીને ટીમ ઈન્ડિયાને ઘણી સફળતા અપાવી હતી. રવિ શાસ્ત્રીએ ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ટીમ ઈન્ડિયાથી અલગ થઈ ગયા હતા.

કોહલીના પદ છોડવાના નિર્ણય પર શાસ્ત્રીએ કહ્યું કે આ એક વ્યક્તિગત નિર્ણય છે અને આવા નિર્ણયોનું સન્માન કરવું જોઈએ. તેણે સમાચાર એજન્સીને કહ્યું, ‘તે તેમનો નિર્ણય છે. તેના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. દરેક વસ્તુનો સમય હોય છે. ભૂતકાળમાં પણ ઘણા મોટા ખેલાડીઓએ પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાનીપદ છોડી દીધું છે. સચિન તેંડુલકર હોય, સુનીલ ગાવસ્કર હોય કે એમએસ ધોની હોય અને હવે વિરાટ કોહલી હોય.

‘કોહલીમાં કોઈ ફેરફાર નહીં થાય’

કેપ્ટનશીપના એપિસોડ પછી તેની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા શાસ્ત્રીએ કહ્યું, “મેં આ સિરીઝમાં એક પણ બોલ જોયો નથી પરંતુ મને નથી લાગતું કે વિરાટ કોહલીમાં બહુ બદલાવ આવશે. મેં સાત વર્ષ પછી ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. એક વાત ચોક્કસ છે કે હું જાહેરમાં મતભેદોની વાત નથી કરતો. મારો કાર્યકાળ પૂરો થયો તે દિવસથી જ મેં સ્પષ્ટ કરી દીધું હતું કે હું મારા ખેલાડીઓ વિશે જાહેર મંચ પર વાત નહીં કરું.

‘આઈસીસીનો ખિતાબ સુકાનીપદનુ આંકલન કરતો નથી’

કોહલી 68 માંથી 40 ટેસ્ટ જીતીને ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન રહ્યો, પરંતુ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ICCનું એકપણ ટાઇટલ જીતી શકી નથી. શાસ્ત્રીએ કહ્યું કે આ આધારે કેપ્ટનને જજ ન કરવો જોઈએ.

એમણે કિધુ, ઘણા મોટા ખેલાડીઓ વર્લ્ડ કપ જીતી શક્યા નથી. એમાં શું થયું? જો સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે ન જીતે તો શું તેઓ ખરાબ ખેલાડી કહેવાશે? આપણી પાસે કેટલા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે? સચિન તેંડુલકરે છ વર્લ્ડ કપ રમ્યા બાદ જીત મેળવી હતી. આખરે તમને તમારી રમત અને રમતના એમ્બેસેડર તરીકેની ભૂમિકા દ્વારા નક્કી કરવામાં આવે છે. તમે કેટલી પ્રામાણિકતાથી અને કેટલા સમય સુધી રમ્યા.

કેપ્ટનશિપના મુદ્દે BCCI સાથે કોહલીના સ્ટેન્ડ અંગે તેણે કહ્યું કે, ‘સંવાદ મહત્વપૂર્ણ છે. મને ખબર નથી કે તેમની વચ્ચે શું થયું. હું તેનો ભાગ નહોતો. બંને પક્ષો સાથે વાત કર્યા વિના હું કશું કહી શકું તેમ નથી. માહિતીની ગેરહાજરીમાં તમારું મોં બંધ રાખવું વધુ સારું છે.

આ પણ વાંચોઃ IPL 2022: લખનઉ સુપર જાયન્ટસના મેંટોર ગૌતમ ગંભીરે કહ્યુ, ટીમમાં એવો ખેલાડી નથી ઇચ્છતા જે ટીમ ઇન્ડિયામાં રમવા માટે સપના જોતો હોય

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ ‘જય શ્રી રામ’, સોશિયલ મીડિયા પર Viral થઇ પોસ્ટ

Latest News Updates

સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ