IPL 2022: લખનઉ સુપર જાયન્ટસના મેંટોર ગૌતમ ગંભીરે કહ્યુ, ટીમમાં એવો ખેલાડી નથી ઇચ્છતા જે ટીમ ઇન્ડિયામાં રમવા માટે સપના જોતો હોય

લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ના મેન્ટર ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ટીમના નામની જાહેરાત પર મોટી વાત કહી, કહ્યું કે તે ટીમમાં ખેલાડીઓને કેવી રીતે ઈચ્છે છે.

IPL 2022: લખનઉ સુપર જાયન્ટસના મેંટોર ગૌતમ ગંભીરે કહ્યુ, ટીમમાં એવો ખેલાડી નથી ઇચ્છતા જે ટીમ ઇન્ડિયામાં રમવા માટે સપના જોતો હોય
Lucknow Super Giants ટીમ મેંટોર તરીકે છે ગૌતમ ગંભીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 10:16 AM

IPLની નવી ટીમ લખનઉએ તેના નામની જાહેરાત કરી દીધી છે. કેએલ રાહુલની કપ્તાનીવાળી આ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) તરીકે ઓળખાશે. કેએલ રાહુલ (KL Rahul) ઉપરાંત આ ટીમે માર્કસ સ્ટોઈનિસ અને લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને ડ્રાફ્ટમાં સામેલ કર્યા છે. તે જ સમયે, આ ટીમના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર બનવા જઈ રહ્યા છે અને ટીમના મેન્ટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) છે, જેની કેપ્ટન્સીમાં KKR બે વખત IPL ટાઈટલ જીતી ચૂક્યું છે. ટીમના નામના લોન્ચિંગ સમયે મેન્ટર ગૌતમ ગંભીરે ખૂબ જ રસપ્રદ વાત કહી. ગંભીરે કહ્યું કે તે નથી ઈચ્છતો કે કોઈ પણ ખેલાડી લખનઉ સુપર જાયન્ટ માટે રમે જે ટીમ ઈન્ડિયામાં રમવાનું સપનું જોઈ રહ્યો છે.

ગૌતમ ગંભીરે કહ્યું, ‘હું ટીમમાં એવો ખેલાડી નથી ઈચ્છતો જે લખનૌના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનું સપનું જોઈ રહ્યો હોય. જો કોઈપણ ખેલાડી આવી વિચારસરણી રાખે છે તો તે ફ્રેન્ચાઈઝી સાથે બેઈમાની હશે. પરંતુ જો તમે લખનઉ માટે રમો છો અને તેના માટે સારો દેખાવ કરો છો તો તમે ટીમ ઈન્ડિયા સુધી પહોંચી શકો છો.

આઈપીએલ એ ટીમ ઈન્ડિયા સુધી પહોંચવાનું પ્લેટફોર્મ નથી

ગૌતમ ગંભીરે તો ત્યાં સુધી કહ્યું કે IPL એ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનું પ્લેટફોર્મ નથી. ગૌતમે કહ્યું, ‘આઈપીએલ એ ટીમ ઈન્ડિયામાં રમવાનું પ્લેટફોર્મ નથી. IPL એ આખી દુનિયાને પોતાની પ્રતિભા બતાવવાનું પ્લેટફોર્મ છે અને ખેલાડીઓએ આવું વિચારવું જોઈએ.આપને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝમાં ગૌતમ ગંભીરે વેંકટેશ ઐયરની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

ગૌતમ ગંભીરે કહ્યું હતું કે પસંદગીકારો 5-6 આઈપીએલ મેચ જોઈને કોઈ ખેલાડીને પસંદ કરી શકતા નથી. ખેલાડીઓની પસંદગી કરવા માટે તેમના લિસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રેકોર્ડ જોવો પણ જરૂરી છે.

લખનૌ સુપર જાયન્ટ્સના નામના લોન્ચિંગના અવસર પર ગંભીરે એમ પણ કહ્યું કે તેની ટીમ કોઈ પણ વસ્તુ માટે બહાનું નહીં બનાવે. ઓછામાં લખનઉ એમ બિલકુલ નહીં કહે કે તેમની ટીમ નવી છે. ગંભીરના મતે ટીમ ચોક્કસપણે નવી હશે પરંતુ તેમાં માત્ર અનુભવી ખેલાડીઓ જ રમશે. કેએલ રાહુલે ટીમની કેપ્ટનશીપ મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. મિત્રો, તેણે કહ્યું કે નવી ટીમને આગળ લઈ જવી તેના માટે એક મોટો પડકાર છે.

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ ‘જય શ્રી રામ’, સોશિયલ મીડિયા પર Viral થઇ પોસ્ટ

આ પણ વાંચોઃ Sports: 2022 ફોર્મ્યુલા રિજનલ એશિયન ચૅમ્પિયનશિપમાં મુંબઈ ફાલ્કન્સે શાનદાર શરૂઆત કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">