IND Vs SA: દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ સિરીઝને લઈ ખેલાડીઓને ખુશ કરી દેતા સમાચાર આવ્યા સામે, કંટાળાથી મળશે છુટકારો!

જો BCCI ની આ યોજના અમલમાં આવશે તો ભારતીય ખેલાડીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠશે. હાલમાં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ જ્યારે વાત ફેલાઈ છે તો તેમાં કંઇક તથ્ય તો હોય જ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જૂનમાં સિરીઝ યોજાનારી છે.

IND Vs SA: દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ સિરીઝને લઈ ખેલાડીઓને ખુશ કરી દેતા સમાચાર આવ્યા સામે, કંટાળાથી મળશે છુટકારો!
Team India હવે બાયો-બબલથી છુટકારો મેળવશે!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 7:25 AM

ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓ આ દિવસોમાં IPL 2022 માં રમી રહ્યા છે. પરંતુ, આ લીગમાંથી તેને બ્રેક મળતા જ તે પોતાના ઘર પર, પોતાના મેદાન પર દક્ષિણ આફ્રિકા (South Africa) ના પડકારનો સામનો કરતો જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના ઘણા ખેલાડીઓ પણ આઈપીએલમાં રમી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેઓને ભારતના પર્યાવરણને અનુકૂળ થવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જોકે અહીં અમે ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની આ શ્રેણી સાથે જોડાયેલા એક મોટા સમાચાર વિશે વાત કરી. આ સમાચાર BCCI ની યોજના વિશે છે, જેને લાગુ કરવામાં આવશે તો ભારતીય ખેલાડીઓના ચહેરા પર ખુશી જોવા મળશે. હાલમાં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પણ જ્યારે વાત ફેલાઈ જ છે તો તેમાં દમ પણ હશે.

બાયો-બબલ. જ્યારથી કોરોનાએ દસ્તક આપી છે. આ શબ્દ પ્રચલિત છે. વિશ્વની કોઈપણ રમતની જેમ, બાયો-બબલ કોરોના સામે ઢાલ તરીકે જોડાયેલ છે. દરેક શ્રેણી, દરેક ટુર્નામેન્ટ માટે એક અલગ બાયો-બબલ હોય છે અને આ ક્રિકેટમાં પણ લાગુ પડે છે. બીસીસીઆઈની યોજના પણ બાયો-બબલ સાથે સંબંધિત છે.

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં બાયો-બબલથી છુટકારો મળશે

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, જો બધુ બરાબર રહ્યું, અમારા નિયંત્રણમાં રહેશે, જેમ કે અત્યારે છે, તો ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું શ્રેણી દરમિયાન બાયો-બબલ અને હાર્ડ ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ આપવામાં આવશે. IPL 2022 દરમિયાન પણ ખેલાડીઓ બાયો-બબલનો હિસ્સો છે. આવી સ્થિતિમાં, BCCI નથી ઈચ્છતું કે 29 મેના રોજ લીગ ખતમ થયા બાદ ખેલાડીઓને ફરીથી બીજા ક્વોરેન્ટાઈનમાં રહેવું પડે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખેલાડીઓની કાળજી લેવા માટે બોર્ડનું મોટું પગલું!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 T20 મેચોની શ્રેણી 9 થી 19 જૂન સુધી 5 શહેરોમાં – દિલ્હી, કટક, રાજકોટ અને બેંગ્લોરમાં રમાશે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે આ સીરીઝ બાદ ટીમને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. અને બાયો-બબલમાં પણ છૂટ હશે. તેમણે કહ્યું કે, બોર્ડ એ પણ જાણે છે કે ખેલાડીઓ માટે લાંબા સમય સુધી બબલમાં રહેવું કેટલું મુશ્કેલ છે. તે તેમની માનસિક સ્થિતિને અસર કરે છે. ઈંગ્લેન્ડમાં કોઈપણ રમતગમતની ઈવેન્ટમાં હવે બાયો-બબલ નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમને ત્યાં પહોંચતા જ મોકળું વાતાવરણ પણ મળશે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક ટેસ્ટ ઉપરાંત 6 મેચની સફેદ બોલની શ્રેણી રમવાની છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ જુલાઈમાં થશે.

બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે રમાનારી શ્રેણીમાં ખેલાડીઓ માટે કોઈ બાયો-બબલ નહીં હોય. પરંતુ ટીમનો કોઈ ખેલાડી કે સ્ટાફ તેમની વચ્ચે કોરોના પોઝિટિવ છે કે કેમ તે જાણવા માટે નિયમિત સમયાંતરે તેમનો કોરોના ટેસ્ટ ચાલુ રહેશે.

આ પણ વાંચો : Arvalli: ચોરી આચરતી ગેંગનો સુત્રધાર અરવલ્લી LCB એ ભિલોડા નજીક થી ઝડપ્યો, સોના-ચાંદીના લગડીઓ અને દાગીના જપ્ત

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ મોંઘુ થવાથી ચાલુ વર્ષે દેશનું ઈમ્પોર્ટ બિલ બમણું થયું, જાણો આજે શું છે ઇંધણના ભાવની સ્થિતિ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">