AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup : ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની હાર સાથે ભારતીય ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ બહાર

ન્યુઝીલેન્ડે મહિલા T20 વર્લ્ડ કપ 2024માં તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાનને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ વખતે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં માત્ર 2 મેચ જીતી શકી હતી.

T20 World Cup : ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની હાર સાથે ભારતીય ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ બહાર
India & PakistanImage Credit source: PTI
| Updated on: Oct 15, 2024 | 3:00 PM
Share

મહિલા T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ હતી. સેમીફાઈનલની રેસને ધ્યાનમાં રાખીને ગ્રુપ Aની ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, જેમાં ટીમ ઈન્ડિયા પણ સામેલ હતી. પરંતુ આ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાનની સાથે ભારતીય ટીમ પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ સાથે ગ્રુપ Aમાંથી ઓસ્ટ્રેલિયા બાદ હવે ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.

ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું

બંને ટીમો વચ્ચે રમાનારી આ મેચ પર પણ ટીમ ઈન્ડિયાની નજર હતી. વાસ્તવમાં આ મેચમાં પાકિસ્તાનની જીત ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં લઈ જઈ શકી હોત. જો પાકિસ્તાન મોટા માર્જિનથી જીત્યું હોત તો તે પોતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શક્યું હોત. પરંતુ આ મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ન્યુઝીલેન્ડે 4 મેચમાં 3 જીત સાથે સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. બીજી તરફ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ત્રીજા અને પાકિસ્તાન ચોથા ક્રમે છે.

ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર

આ વખતે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજ દરમિયાન 4માંથી માત્ર બે મેચ જીતી શકી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ 4 મેચમાંથી માત્ર 1 જ જીતી શકી હતી. તેણે શ્રીલંકાને હરાવ્યું, આ સિવાય અન્ય તમામ ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો. આ સાથે ટીમ ઈન્ડિયાનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું એક વખત ચકનાચૂર થઈ ગયું.

111 ટાર્ગેટ ચેઝ ન કરી શક્યું પાકિસ્તાન

ન્યુઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં પાકિસ્તાને ઘણી સારી બોલિંગ કરી હતી. સ્પિનર ​​નસરા સંધુની આગેવાનીમાં સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યુઝીલેન્ડને છ વિકેટે 110 રન સુધી રોકી દીધું. સંધુએ 18 રનમાં ત્રણ વિકેટ લીધી, જ્યારે ઓમાઈમા સોહેલને 1 સફળતા મળી. જોકે, બેટ્સમેન સંપૂર્ણ ફ્લોપ રહ્યા. પાકિસ્તાને તેની પ્રથમ 5 વિકેટ માત્ર 28 રનમાં ગુમાવી દીધી, જેના કારણે તે આ લક્ષ્યનો પીછો કરી શક્યું નહીં. પાકિસ્તાનની ટીમ 11.4 ઓવરમાં 56 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને આઉટ કરતા ગુસ્સે થયો ક્રિકેટર, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">