AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni એ જયદેવ ઉનડકટની ઓવરમાં મચાવેલી ધમાલ બાદ થવા લાગી નિવૃત્તીથી પરત ફરવાની માંગ!

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટથી જીત અપાવી. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સતત 7 મેચ હારી છે

MS Dhoni એ જયદેવ ઉનડકટની ઓવરમાં મચાવેલી ધમાલ બાદ થવા લાગી નિવૃત્તીથી પરત ફરવાની માંગ!
MS Dhoni એ અંતિમ ઓવરમાં શાનદાર જીત મુંબઈ સામે અપાવી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:32 PM
Share

એમએસ ધોની (MS Dhoni) હજી પૂરો થયો નથી, તે હજુ પણ સૌથી મોટો ફિનિશર છે. ચેન્નાઈ સુપર કિંગ્સને રોમાંચક જીત અપાવ્યા બાદ ધોનીને પણ એવી જ રીતે સલામ કરવામાં આવી રહી છે. ગુરુવારે ધોનીએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને જીત અપાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) સામે, ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન ફટકારીને ચેન્નાઈને ટુર્નામેન્ટમાં તેની બીજી જીત અપાવી (CSK vs MI). ધોનીએ 13 બોલમાં અણનમ 28 રન ફટકારીને અશક્ય ને શક્ય બનાવ્યું હતું. IPL 2022 માં ધોનીની આ ઈનિંગ બાદ દુનિયા આ દિગ્ગજને સલામ કરી રહી છે.

કેટલાક તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર કહી રહ્યા છે તો કેટલાક તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની માંગ કરી રહ્યા છે. વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરોએ ધોનીને સલામ કરી, જેને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.

ધોનીની ધમાલ હજૂ બાકી!

ધોનીની ઈનિંગ જોઈને શ્રીકાંતે તેને સૌથી મહાન ફિનિશર ગણાવ્યો હતો. મોહમ્મદ કૈફે કહ્યું- ધોની ફિનિશર નથી પરંતુ ફિનિશર છે. તેની તસવીર આવવાની બાકી છે. તમને જણાવી દઈએ કે ધોનીએ સિઝન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી એવી અટકળો ચાલી રહી હતી કે તે આ સિઝન બાદ IPL માંથી પણ નિવૃત્તિ લેશે. પરંતુ ધોનીએ જે પ્રકારની ઇનિંગ્સ રમી છે તે ખરેખર પ્રશંસનીય છે. હવે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની માંગ પણ થઈ રહી છે.

ધોનીના મિત્ર અને પૂર્વ ભારતીય ક્રિકેટર રુદ્ર પ્રતાપ સિંહે ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવાની માંગ કરી હતી. તે જ સમયે, પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ધોની માટે ખૂબ જ ખાસ ટ્વિટ કર્યું. તેણે લખ્યું, ‘મને ખુશી છે કે મહિન્દ્રાનું નામ MAHI છે.’

છેલ્લી ઓવરનો રોમાંચ

ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. જયદેવ ઉનડકટને બોલિંગ પર મૂકવામાં આવ્યો અને તેણે પહેલા જ બોલ પર ડ્વેન પ્રિટોરિયસને આઉટ કર્યો. આ પછી બ્રાવોએ બીજા બોલ પર એક રન લીધો. હવે ચેન્નાઈને છેલ્લા 4 બોલમાં 16 રનની જરૂર હતી. ઉનડકટના બોલ પર ધોનીએ તેના માથાની ઉપરથી સિક્સર ફટકારી હતી. હવે છેલ્લા 3 બોલમાં 10 રનની જરૂર હતી અને ધોનીએ બાઉન્સર પર ચોગ્ગો ફટકાર્યો. છેલ્લા 2 બોલમાં 6 રનની જરૂર હતી અને ધોનીએ મિડવિકેટ પર શોટ રમતા ઉનડકટના બોલ પર 2 રન લીધા હતા. છેલ્લા બોલ પર 4 રનની જરૂર હતી અને ધોનીએ ઉનડકટના ઓછા ફુલ ટોસ બોલ પર ફાઈન લેગ તરફ ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને અદ્ભૂત વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો : IPL 2022 Points Table: મુંબઈની સ્થિતી કફોડી, 7 મેચ હારીને રોહિત શર્માની ટીમને પોઈન્ટના નામે ‘મીંડુ’

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ એ MS Dhoni ના દમ પર આઇપીએલમાં બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, મેચને અંતિમ બોલે જીતી લેવામાં માહિર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">