મુંબઈ બાદ હૈદરાબાદમાં આ ખેલાડીની Victory Parade, જુઓ તારીખ અને સમય

ટી20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ખેલાડીએ મુંબીમાં વિક્રટ્રી પરેડ પણ કરી હતી. હવે મોહમ્મદ સિરાજ બીજી વખત વિજય રેલી કરશે. તેણે પોતે આની જાહેરાત કરી છે.

મુંબઈ બાદ હૈદરાબાદમાં આ ખેલાડીની  Victory Parade, જુઓ તારીખ અને સમય
Follow Us:
| Updated on: Jul 05, 2024 | 11:18 AM

ભારતીય ટીમે 17 વર્ષ લાંબી રાહ જોયા બાદ ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતી લીધો છે, ફાઈનલ મેચમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને હાર આપી ટી20 વર્લ્ડચેમ્પિયન બની હતી.ભારતે પહેલા 2007માં ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી. વર્લ્ડકપની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ખેલાડીઓની વિક્ટરી પરેડ હતી. જેમાં ખેલાડીઓને જોવા માટે જાણે આખું મુંબઈ રસ્તા પર આવી ગયું હોય તેમ લાગી રહ્યું હતુ.વિક્ટરી પરેડ બાદ ખેલાડીઓનું વાનખેડે સ્ટેડિયમમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ.

ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં ચક્કર લગાવી ચાહકો સાથે વર્લ્ડકપની ટ્રોફીની જીતનું સેલિબ્રેશન કર્યું હતુ. રોહિત શર્મા અને વિરાટ કોહલી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તો હાર્દિક પંડ્યા પણ ઝુમતો જોવા મળ્યો હતો. આ વચ્ચે મોહમ્મદ સિરાજે એક મોટી જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 08-07-2024
Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો

મોહમ્મદ સિરાજની વિક્ટરી રેલીનો સમય

મુંબઈમાં વિક્ટરી પરેડ થયા બાદ ટી20 વર્લ્ડકપ 2024ની વિજેતા ટીમનો ભાગ રહેલા મોહમ્મદ સિરાજે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, ચાલો આપણે વિશ્વ ચેમ્પિયન મોહમ્મદ સિરાજની સાથે હૈદરાબાદમાં વિક્ટરી પરેડને રિક્રિએટ કરીએ, ખાસ વાત એ છે કે, આ માટે તેમણે સમય અને તારીખ પણ જણાવી છે. સિરાજે લખ્યું 5 જુલાઈ સાંજે 6.30 કલાકે સિરોજની હોસ્પિટલ મેહદીપટ્ટનમથી ઈદગાહ ગ્રાઉન્ડ સુધી વિક્ટરી પરેડ યોજાશે.

ટી20 વર્લ્ડકપ 2024માં રમી 3 મેચ

મોહમ્મદ સિરાજને ટી20 વર્લ્ડકપ 2024માં 3 મેચ રમવાની તક મળી છે પરંતુ તેમાં તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેમણે માત્ર 3 મેચ રમી છે અને એક જ વિકેટ લીધી છે. ત્યારબાદ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને કુલદીપ યાદવને તક આપવામાં આવી હતી. સિરાજ સાઉથ આફ્રિકા વિરુદ્ધની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ પણ ન હતો.

મોહમ્મદ સિરાજનું ક્રિકેટ કરિયર

મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2017માં ટી20 ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે ટીમ ઈન્ડિયા માટે 13 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 13 વિકેટ પોતાને નામ કરી છે. ભારત માટે 41 વનડે અને 27 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે.

Latest News Updates

અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">