AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB વિકટ્રી પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ મામલે KSCAના સેક્રેટરી અને ટ્રેઝરરે રાજીનામું આપ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિકટ્રી પરેડ દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાની નૈતિક જવાબદારી લેતા KSCAના સેક્રેટરી અને ટ્રેઝરરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

RCB વિકટ્રી પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ મામલે KSCAના સેક્રેટરી અને ટ્રેઝરરે રાજીનામું આપ્યું
M Chinnaswamy StadiumImage Credit source: Getty Images
| Updated on: Jun 07, 2025 | 10:24 PM
Share

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. RCBની વિકટ્રી પરેડ દરમિયાન થયેલી ભાગદોડ કેસમાં KSCA સેક્રેટરી એ. શંકર અને ટ્રેઝરર ઈ. જયરામે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ઘણા ઘાયલ થયા. બંનેએ ના પ્રમુખને રાજીનામું સુપરત કર્યું છે.

ભાગદોડમાં 11 લોકો મૃત્યુ પામ્યા

RCB એ 3 જૂને પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી. આ જીત બાદ સમગ્ર બેંગલુરુ માં ઉત્સવનો માહોલ હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 4 જૂને, જ્યારે આખી ટીમ અમદાવાદથી ટ્રોફી લઈને પરત ફરી, ત્યારે બેંગલુરુ ના રસ્તાઓ પર ચાહકોની ભારે ભીડ હતી. ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી, જ્યાં પહેલાથી જ ઘણી ભીડ હતી. આ દરમિયાન, ભાગદોડ મચી ગઈ અને તેમાં 11 લોકો મૃત્યુ પામ્યા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

KSCA અધિકારીઓએ નિવેદન બહાર પાડ્યું

KSCA સેક્રેટરી એ. શંકર અને ટ્રેઝરર ઈ. જયરામે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે તેમણે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રઘુરામ ભટને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. તેમણે કહ્યું કે બેંગલુરુમાં બનેલી દુ:ખદ ઘટના બાદ, અમે KSCA સેક્રેટરી અને ટ્રેઝરરના અમારા સંબંધિત પદો પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, આ મામલે અમારી ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી. પોલીસે આ કેસમાં RCB માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની DNAના સુનિલ મેથ્યુની પણ ધરપકડ કરવામાં આવી છે.

હાઈકોર્ટમાં અરજી દાખલ

અગાઉ, KSCAના પ્રમુખ રઘુરામ ભટ, સેક્રેટરી એ. શંકર અને ટ્રેઝરર ઈ. જયરામે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે ભીડને નિયંત્રિત કરવાની તેમની જવાબદારી નથી. તેમણે વિધાનસભામાં RCBની જીત પર ઉજવણીનું આયોજન કરવાની પરવાનગી માંગી હતી.

વિકટ્રી પરેડ રદ્દ કરવી પડી

વિધાનસભામાં સન્માન સમારોહ કોઈ મોટી ખલેલ વિના પૂર્ણ થયો, પરંતુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર અનિચ્છનીય ઘટના બની, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સોશિયલ મીડિયા આમંત્રણ પછી લાખો ચાહકો એકઠા થયા હતા. આ કારણે, વિકટ્રી પરેડ રદ્દ કરવી પડી, પરંતુ સ્ટેડિયમની અંદર સમારોહ ચાલુ રહ્યો. આ દરમિયાન, સ્ટેડિયમની બહાર આટલો મોટો અકસ્માત થયો.

આ પણ વાંચો: IND vs ENG : ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડની ‘હેટ્રિક’, ટેસ્ટ શ્રેણી પહેલા તબાહી મચાવી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">