AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: પ્લેઈંગ ઈલેવનથી લઈને કોહલીની વાપસી સુધી, જાણો રોહિતના PCની મોટી વાતો

એશિયા કપ 2022માં ભારતની પહેલી મેચ પાકિસ્તાન (India Vs Pakistan) સામે છે, જે રવિવારે રમાશે.

IND vs PAK: પ્લેઈંગ ઈલેવનથી લઈને કોહલીની વાપસી સુધી, જાણો રોહિતના PCની મોટી વાતો
Rahul Dravid and Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 10:04 PM
Share

ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન (India Vs Pakistan) સામેની મેચથી ચાર વર્ષ પછી એશિયા કપમાં અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપ પછી એકબીજાનો સામનો કરશે. મેચ પહેલા રોહિત શર્માએ (Rohit Sharma) પ્રેસ કોન્ફરન્સમાં ટીમની તૈયારીઓ વિશે કહ્યું. તેને પ્લેઈંગ ઈલેવન અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાપસી વિશે પણ નિવેદન આપ્યું હતું. રોહિતે પાકિસ્તાન સામેની મેચને લઈને ટીમ ઈન્ડિયાના માહોલ વિશે પણ મીડિયા સાથે વાત કરી હતી.

રોહિતના પ્રેસ કોન્ફરન્સની મોટી વાતો

  1. પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપની હાર વિશે રોહિતે કહ્યું ‘અમે હાર પછી તેના વિશે વાત કરીએ છીએ. ટી20 વર્લ્ડ કપની તે મેચને ઘણો સમય થઈ ગયો છે. ત્યારથી અમે ઘણી મેચ રમી છે અને અમારી ભૂલોને સુધારવાની કોશિશ કરી છે. અમે જાણીએ છીએ કે મેચ જીતવા માટે શું જરૂરી છે.
  2. એશિયા કપમાં પોતાની રણનીતિ વિશે વાત કરતા તેને કહ્યું ‘અમે અમારા પ્લાન પ્રમાણે કરીશું, અમે નક્કી કર્યું છે કે અમે કેટલીક નવી વસ્તુઓ ટ્રાઈ કરીશું. તેમાં આપણે સફળ થઈ શકીએ છીએ, નિષ્ફળ પણ થઈ શકીએ છીએ, પરંતુ આપણે ગભરાઈશું નહીં અને આપણા પ્લાન મુજબ કામ કરીશું.
  3. રોહિતે ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે કોઈ મોટી અપડેટ આપી નથી. તેને કહ્યું, ‘હમણાં જ અમે પીચ જોઈ છે, તેના પર ઘણું ઘાસ છે. આજે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચને જોતા ખબર પડશે કે પીચ કેવી છે તેના આધારે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે અહીં ઘણી મેચ રમ્યા છે તેથી કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.
  4. વિરાટ કોહલી દ્વારા મેન્ટલ હેલ્થ વિશે આપેલા નિવેદનને કેપ્ટન રોહિત શર્માએ પણ સમર્થન આપ્યું હતું. તેને કહ્યું કે કોરોના પછી વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે, તે દરેક પ્લેયર માટે મુશ્કેલ સમય હતો.
  5. રોહિતે વિરાટ કોહલીની વાપસી વિશે પણ નિવેદન આપ્યું હતું. તેને કહ્યું ‘વિરાટ ખૂબ જ સારા ટચમાં દેખાઈ રહ્યો છે. તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. તેમનામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તે એક મહિના પછી આવી રહ્યો છે તેથી તે વધુ ફ્રેશ છે.
  6. પાકિસ્તાન સાથેની દ્વિપક્ષીય સિરીઝ પર તેને કહ્યું, ‘તે અમારા હાથમાં નથી. અમે ત્યાં પહોંચીએ છીએ જ્યાં અમને મેચ રમવા મોકલવામાં આવે છે. દ્વિપક્ષીય સિરીઝ પર કંઈ કહી શકતો નથી. આ નિર્ણય બંને દેશોના બોર્ડ દ્વારા લેવામાં આવશે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">