જય શાહના નિવેદન પર PCBમાં આવ્યો ભૂકંપ, પાકિસ્તાને આપી વર્લ્ડકપ ન રમવાની ધમકી ?

BCCI સેક્રેટરી જય શાહે નિવેદન આપ્યું હતું કે ભારતીય ટીમ આવતા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય.

જય શાહના નિવેદન પર PCBમાં આવ્યો ભૂકંપ, પાકિસ્તાને આપી વર્લ્ડકપ ન રમવાની ધમકી ?
જય શાહના નિવેદન પર PCBમાં ભૂકંપ, પાકિસ્તાનને આપી વર્લ્ડકપ ન રમવાની ધમકી ?Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 4:46 PM

PCB : એશિયા કપ 2023ને લઈને BCCI સેક્રેટરી જય શાહના નિવેદનને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ગુસ્સે છે. જય શાહે સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતીય ટીમ એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે પાકિસ્તાન નહીં જાય. આ સાથે તેણે એશિયા કપનું આયોજન તટસ્થ સ્થળે કરવા પણ કહ્યું હતું. પીસીબી (PCB) ને આ વાત બિલકુલ પસંદ ન આવી અને તેણે પત્ર લખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું છે.

જય શાહના નિવેદન પર PCB ગુસ્સે છે

પત્રમાં પીસીબીએ લખ્યું છે કે, “એસીસી પ્રમુખ જય શાહ દ્વારા આવતા વર્ષે તટસ્થ સ્થળ પર એશિયા કપ યોજવા અંગેના નિવેદનથી PCB ખૂબ જ આઘાત અને નિરાશ છે. આ નિવેદન એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કર્યા વિના આપવામાં આવ્યું હતું. તે પણ આવનારા સમયમાં તેની શું અસર થઈ શકે છે તેનો વિચાર કર્યા વગર.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

પાકિસ્તાને આપી વર્લ્ડકપમાં ન રમવાની ધમકી

ભારત આગામી વર્ષે આઈસીસી વર્લ્ડકપની મેજબાની કરનાર છે. પીસીબીએ ચોખ્ખી ધમકી આપી છે કે, એશિયા કપને લઈ જય શાહે જે નિવેદન આપ્યું છે તેની સીધી અસર ભારતની મેજબાનીમાં યોજાઈ રહેલા વર્લ્ડકપ પર રહેશે. પોતાના નિવેદનમાં પીસીબીએ આગળ લખ્યું કે, એસીસી મીટિંગ દરમિયાન સભ્યોની સહમતિ બાદ પાકિસ્તાનને એશિયા કપની યજમાની સોંપવામાં આવી હતી. જય શાહનું નિવેદન એસીસીના સૂત્રની વિરુદ્ધ છે જે કહે છે કે ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે તમામ બોર્ડે સાથે મળીને કામ કરવું જોઈએ. આ નિવેદનને કારણે એશિયન અને ઈન્ટરનેશનલ કમિટી અને આઈસીસી વચ્ચે તિરાડ પડશે. તેની સાથે ભારતમાં યોજાનારા ICC વર્લ્ડ કપ પર પણ તેની અસર પડશે જ્યાં પાકિસ્તાન ભાગ લેવાનું છે.

પીસીબીએ એસીસીને બેઠક માટે અપીલ કરી

પીસીબીએ એસીસીને જય શાહના નિવેદનની સ્પષ્ટતા માંગી અને તાત્કાલિક બેઠક બોલાવવા કહ્યું છે, જેમાં આ મુદ્દા પર વાત કરવામાં આવે. પોતાના નિવેદનમાં તેમણે આગળ કહ્યું કે, પીસીબીને અત્યારસુધી અધિકારિક રીતે એસીસીના અધ્યક્ષના નિવેદન પર કોઈ સપષ્ટતા કરી નથી. પીસીબી એશિયન ક્રિકેટ કાઉન્સિલને અપીલ કરતા કહ્યું કે, તે આ મુદ્દા પર ટુંક સમયમાં જ ઈમરજન્સી મીટિંગ કરાવે. આ મુદ્દો ખુબ જ સંવેદનશીલ છે.

Latest News Updates

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">