AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: 4.4 કરોડની કમાણી કરનાર બોલર પાકિસ્તાન સામે નહીં રમે, ભારતમાં IPL સિઝન છોડી નહીં જાય

આયર્લેન્ડનો ઝડપી બોલર જોશ લિટલ 10 મેથી યોજાનારી પાકિસ્તાન સામેની શ્રેણીમાં ભાગ નહીં લે. તે ગુજરાત ટાઈટન્સ તરફથી રમે છે અને ટીમની છેલ્લી મેચ સુધી IPLમાં રમશે. આ માટે તેને આઈરિશ બોર્ડની પરવાનગી પણ મળી છે. ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીએ જોશ લિટલને 4.4 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો અને હાલમાં તે GT તરફથી રમતા સારું પ્રદર્શન કરી રહ્યો છે.

IPL 2024: 4.4 કરોડની કમાણી કરનાર બોલર પાકિસ્તાન સામે નહીં રમે, ભારતમાં IPL સિઝન છોડી નહીં જાય
Joshua Little
| Updated on: May 08, 2024 | 6:53 PM
Share

આયર્લેન્ડે T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ આયર્લેન્ડે ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે આયર્લેન્ડ 10 મેથી 14 મે સુધી પાકિસ્તાન સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે. વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમ જ આ શ્રેણીમાં ભાગ લેશે. પરંતુ તેમનો એક એવો ખેલાડી છે જે આ સિરીઝને બદલે IPLને વધુ મહત્વ આપી રહ્યો છે.

જોશ લિટલ પાકિસ્તાન સામે T20 સિરીઝમાં નહીં રમે

આયર્લેન્ડનો ખેલાડી જોશ લિટલ હાલ IPLમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહ્યો છે અને તેણે પાકિસ્તાન સામે ત્રણ મેચની T20 સિરીઝ કરતા IPLમાં રમવાનો નિર્ણય લીધો છે. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેને આ માટે પરવાનગી પણ આપી દીધી છે. આયર્લેન્ડના કોચે આ અંગે કહ્યું છે કે લિટલ ગુજરાત IPLમાં ગુજરાત ટાઈટન્સની છેલ્લી મેચ સુધી રમી શકે છે, તેને કોઈ સમસ્યા નથી.

પાકિસ્તાન સિરીઝ કરતાં IPLને આપ્યું મહત્વ

જોશ લિટલ આયર્લેન્ડનો મુખ્ય ઝડપી બોલર છે અને તે T20 વર્લ્ડ કપ ટીમનો પણ એક ભાગ છે. જ્યારે ટીમ 2023 ODI વર્લ્ડ કપમાંથી બહાર થવાની આરે હતી, ત્યારે તેણે આયર્લેન્ડને તેના શાનદાર પ્રદર્શનથી ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી. પરંતુ પાકિસ્તાન કરતા IPLને વધુ મહત્વ આપતા તેણે ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. જોકે, તેને આયર્લેન્ડ બોર્ડ પાસે આ નિર્ણય માટે સંપૂર્ણ મંજૂરી છે. આયર્લેન્ડ બોર્ડે કોઈ વિરોધ કર્યો નથી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સિરીઝ બાદ આયર્લેન્ડ ત્રિકોણીય સિરીઝ પણ રમશે.

2 અઠવાડિયામાં CSK કેમ્પ છોડ્યો હતો

જોશ લિટલ વિશ્વભરમાં થતી ક્રિકેટ લીગમાં રમે છે. તેણે 2023માં IPLમાં પહેલી એન્ટ્રી કરી હતી. પરંતુ તે 2022માં જ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેમ્પ છોડ્યા બાદ ચર્ચામાં આવ્યો હતો. 2023ની હરાજી પહેલા ધોનીની ટીમે તેને નેટ બોલર તરીકે બોલાવ્યો હતો. પછી 2 દિવસ પછી તેણે અચાનક CSK કેમ્પ છોડી દીધો. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે CSKએ જે વચન આપ્યું હતું તેવું તેને મળી રહ્યું નથી. નેટ્સમાં પણ જ્યારે અન્ય બોલરો થાકી જતા હતા ત્યારે જ તેને બોલ મળી રહ્યો હતો. એક આંતરરાષ્ટ્રીય બોલર તરીકે તેને કેમ્પમાં એટલું સન્માન આપવામાં આવ્યું ન હતું જેટલું મળવું જોઈએ. આ સિવાય તેને આશા પણ નહોતી કે ચેન્નાઈ તેને ખરીદશે. તેથી તેણે બે અઠવાડિયામાં કેમ્પ છોડી દીધો હતો.

RCB સામે 4 વિકેટ ઝડપી હતી

જોશ લિટલે 4 મેના રોજ IPL 2024માં સિઝનની પ્રથમ મેચ રમી હતી. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા લિટલે 45 રનમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે બેક ટુ બેક ત્રણ વિકેટ ઝડપી હતી, જેના પછી RCB મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. તેમ છતાં ગુજરાત આ મેચ જીતી શક્યું નહીં. ગુજરાત ટાઈટન્સે તેને 2023માં 4.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને 2024માં તે જ કિંમતે તેને જાળવી રાખ્યો હતો. તેણે IPLમાં અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમી છે અને લગભગ 9ની ઈકોનોમી સાથે 11 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : યશસ્વીની એક ખામીને કારણે થઈ રહ્યું છે મોટું નુકસાન, T20 વર્લ્ડ કપ પહેલા લાવવો પડશે ઉકેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">