AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Play Offs Conditions: પ્લેઓફ મેચમાં વરસાદ વિલન બને તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચી શકે? જાણો નિયમ

IPL 2023: BCCI એ પ્લેઓફને લઈ તમામ સંજોય અને માહોલને ધ્યાને રાખીને નિયમો પહેલાથી જ તૈયાર કર્યા છે. જેને મેચનુ પરિણામ નિકાળવામાં આવી શકે અને ફાઈનલ માટેની ટીમ નક્કિ થઈ શકે

IPL Play Offs Conditions: પ્લેઓફ મેચમાં વરસાદ વિલન બને તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચી શકે? જાણો નિયમ
IPL Play Offs rule and Conditions weather or other scenario
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 8:01 PM
Share

IPL 2023 ની ક્વોલિફાયર-2 અમદાવાદમાં રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં વરસાદ વિલન બનતા મેચ થોડી મોડી શરુ થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થઈ રહેલી આ ટક્કર નિયત સમય કરતા 30 મિનિટ મોડી શરુ થઈ રહી છે. જ્યારે ટોસ 45 મિનિટ લેટ થઈ રહ્યો છે. આ તમામ સ્થિતી સર્જાવાનુ કારણ અચાનક વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ વરસવાનુ છે. ક્રિકેટ ચાહકો ટોસના નિયત સમયના અડધા કલાક પહેલાનો માહોલ જોઈને મેચ શરુ થવાને લઈ ચિંતા અનુભવી રહ્યા હતા.

રાહતની વાત એ છે કે અમદાવાદમાં વરસાદ રોકાઈ ચૂક્યો છે અને હળવો પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ રોકાઈ જતા પીચ પર લાગેલા કવર્સ હટાવી શકાયા હતા. ટોસ પોણો કલાક લેટ થઈ રહ્યો છે અને આ સાથે જ મેચ શરુ થઈ રહી હોવાની રાહત ચાહકનો મળી હતી. જોકે સવાલ એ થાય છે કે, જો મેચમાં વરસાદ વિલન બને તો ફાઈનલમાં મુંબઈ કે ગુજરાત કોણ પહોંચી શકે. બંનેમાંથી એક ટીમ કેવી રીતે ફાઈનલમાં પોતાનુ સ્થા મેળવી શકે અને આ માટે શુ છે નિયમ. અહીં બતાવીશુ આ નિયમ વિશે.

BCCI એ પ્લેઓફ માટે આ છે નિયમ

તમામ પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખીને BCCI એ આઈપીએલને લઈને નિયમો તૈયાર કર્યા છે. આ માટે પ્લેઓફને પણ ધ્યાનમાં રાખીને નિયમો તૈયાર કર્યા છે. પ્લેઓફ એ મહત્વની મેચ છે અને જેને લઈ ખૂબ જ રોમાંચ પણ ચાહકોમાં હોય છે. જોકે વરસાદ કે અન્ય સ્થિતીમાં કેવી રીતે પ્લેઓફ મેચના પરિણામ સામે આવે તેના માટે ખાસ નિયમ છે.

  • IPLના નિયમો અનુસાર દરેક પ્લેઓફ મેચ માટે 120 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
  • આ નિયમ મુજબ નિર્ધારિત સમય પછી, મેચ પૂર્ણ થવામાં 120 મિનિટ બાકી રહેશે. તેમાં કોઈ કપાત કરવામાં આવશે નહીં અને મેચ સંપૂર્ણ 20 ઓવરની રહેશે.
  • આવી સ્થિતિમાં, ઇનિંગ્સ વચ્ચે માત્ર 10 મિનિટનો વિરામ હશે.
  • આ પછી જો મેચ થશે તો ઓવરોની સંખ્યા કાપવામાં આવશે. જરૂર પડ્યે 5-5 ઓવરની મેચ રમાઈ શકે છે.
  • પ્રતિ ઈનિંગ પાંચ ઓવરની મેચ 11:56 કલાકે શરૂ થશે.
  • BCCIએ આ મેચનો અંતિમ સમય પણ નક્કી કર્યો છે, જે 12:50 સુધીનો રહેશે.
  • આવી સ્થિતિમાં, પ્રતિ ઈનિંગ્સ પાંચ ઓવરની મેચ માટે કટ-ઓફ સમય 12:26 છે.
  • તમને જણાવી દઈએ કે પ્લેઓફ માટે કોઈ રિઝર્વ ડે નથી.

IPL Final માટે નિયમ

  • ફાઈનલના દિવસે પણ જો વરસાદ અથવા ખરાબ હવામાનને કારણે મેચમાં વિલંબ થાય છે, તો જો મેચ રાત્રે 10:10 વાગ્યા સુધી શરૂ થાય છે, તો ઓવરોની સંખ્યામાં કોઈ ઘટાડો થશે નહીં.
  • આ દરમિયાન ઇનિંગ્સ વચ્ચેનો બ્રેક 10 મિનિટનો રહેશે. ફાઈનલ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ અનામત દિવસ એક દિવસ પછીનો છે. એટલે કે જો 28 મેના રોજ ફાઈનલ નહીં થાય તો મેચ 30 મેના રોજ રમાશે.
  • મેચ રિઝર્વ ડે પર આઠ વાગ્યે શરૂ થશે. રિઝર્વ ડે પર પણ મેચ સમાપ્ત કરવા માટે વધારાની 120 મિનિટ હશે.
  • જો ફાઇનલ શરૂ થાય છે અને ઓછામાં ઓછી એક ઓવર પછી તે જ દિવસે એટલે કે 28 મેના રોજ મેચ પૂરી ન થાય તો આ મેચ રિઝર્વ ડે પર સમાપ્ત થશે.
  • બીજા દિવસે મેચ ત્યાંથી શરૂ થશે જ્યાં તે પહેલા બંધ થઈ હતી.
  • જો અંતિમ દિવસે ટોસ થાય અને મેચ ન થાય, તો મેચ આરંભ દિવસથી શરૂ થશે, એટલે કે, ટોસ પણ ફરીથી થશે અને પ્લેઇંગ-11 પણ ફરીથી પસંદ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  IND vs AUS, WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ ICC એ કર્યુ એલાન, જાણો ચેમ્પિયનને કેટલી રકમ મળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">