AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS, WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ ICC એ કર્યુ એલાન, જાણો ચેમ્પિયનને કેટલી રકમ મળશે

IND vs AUS, WTC Final: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 થી 11 જૂન વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ લંડનના ઓવલમાં રમાનારી છે. આ માટે વિરાટ કોહલી સહિતના ભારતીય ક્રિકેટરો ઈંગ્લેન્ડ પહોંચી ચુક્યા છે.

IND vs AUS, WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ ICC એ કર્યુ એલાન, જાણો ચેમ્પિયનને કેટલી રકમ મળશે
WTC Final Prize money announced
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 5:32 PM
Share

IPL 2023 ની સિઝન સમાપ્ત થતા જ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની સ્ક્વોડ ઈંગ્લેન્ડમાં એક્શનમાં જોવા મળશે. વિરાટ કોહલીની સહિતના કેટલાક ભારતીય ક્રિકેટરો ઈંગ્લેન્ડ પહોંચ્યા છે. આગામી 7 જૂથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. ભારત સળંગ બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચ્યુ છે. આ વખતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે ભારત મેદાને ઉતરશે, અગાઉ ન્યુઝીલેન્ડ સામે ટક્કર થઈ હતી.

આ દરમિયાન ICC એ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ એલાન કર્યુ છે. શુક્રવારે આ અંગેની જાહેરાત કરતા બતાવ્યુ હતુ કે, 9 ટીમો વચ્ચે રકમની વહેંચણી કરવમાં આવશે. 31, 39,42, 700 રુપિયા આ તમામ ટીમની વચ્ચે વહેંચવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં પહોંચી છે. આ બંને ટીમોને બાકીની ટીમો કરવા વધારે રકમ ઈનામના રુપે મળશે.

ચેમ્પિયન ટીમ પર થશે ધનવર્ષા

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનનારી ટીમને 13.2 કરોડ રુપિયાનુ ઈનામ આઈસીસી દ્વારા આપવામાં આવશે. જ્યારે રનર અપ ટીમને તેનાથી અડધા જેટલી રકમ મળશે, એટલે કે 6.5 કરોડ રુપિયાનુ ઈનામ મળશે. આ રકમ ચેમ્પિયન ટીમને મળેલી રકમ જેટલી જ છે. અગાઉ ન્યુઝીલેન્ડને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવા પર આટલી જ રકમનુ ઈનામ પ્રાપ્ત થયુ હતુ. જ્યારે ભારતને રનર અપ રહેતા સાડા છ કરોડ રુપિયા મળ્યા હતા. આમ ઈનામની રકમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારત સામે ન્યુઝીલેન્ડે ફાઈનલ મેચમાં 8 વિકેટથી જીત મેળવી હતી.

દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને હોવાને લઈ આઈસીસી દ્વારા 3,71,78,325 ની રકમ મળશે. જ્યારે ચોથા સ્થાને રહેનારી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને 2,89,16,475 રુપિયાનુ ઈનામ મળશે. જ્યારે પાકિસ્તાનને માત્ર 82 લાખ રુપિયાની જ રકમ હાથ લાગશે. પાકિસ્તાન 7માં સ્થાને રહ્યુ છે. પાકિસ્તાન ઉપરાંત ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને પણ માત્ર 82-82 લાખ રુપિયાની રકમ મળશે. શ્રીલંકાને 1 કરોડ 65 લાખ રુપિયા જેટલી રકમ મળશે. જ્યારે 13 કરોડ રુપિયાનુ ઈનામ ભારત કે ઓસ્ટ્રેલિયા કોણ મેળવશે એની પર નજર બની રહેશે

આ પણ વાંચોઃ MI vs GT, IPL 2023 Qualifier 2: રાશિદ ખાન, શમી અને નૂર અહેમદથી બચીને રહે મુંબઈ, નહીંતર 12 ઓવરમાં જ અમદાવાદમાં ખેલ ખતમ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">