AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપના આયોજનને લઈ સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવશે ભારત

પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવાની છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવતા વર્ષે ભારતનો પ્રવાસ કરી શકે છે. તેની પાછળનું કારણ એશિયા કપ 2025નું આયોજન છે.

એશિયા કપના આયોજનને લઈ સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવશે ભારત
India vs Pakistan
| Updated on: Jul 29, 2024 | 6:19 PM
Share

અહેવાલો અનુસાર, ભારત 2025 મેન્સ એશિયા કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. જેમાં 6 ટીમો ભાગ લેશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને છઠ્ઠી ટીમ ક્વોલિફાઈંગ રાઉન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. આવી સ્થિતિમાં પાકિસ્તાને આવતા વર્ષે ભારતની મુલાકાત લેવી પડશે. તમને જણાવી દઈએ કે, 2023 એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં રમાયો હતો. તે સમયે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ગઈ ન હતી, જેના કારણે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર યોજાઈ હતી.

એશિયા ક્રિકેટ કાઉન્સિલનો મોટો નિર્ણય

એશિયા ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા IEOI દસ્તાવેજ અનુસાર, ભારત 2025માં મેન્સ એશિયા કપની યજમાની કરશે, જે T20 ફોર્મેટમાં રમાશે. જ્યારે 2027 એશિયા કપની યજમાની બાંગ્લાદેશ કરશે. 2027 એશિયા કપ ODI ફોર્મેટમાં યોજાશે. આ બંને એડિશનમાં 13-13 મેચો રમાશે. દસ્તાવેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શેડ્યૂલ, તારીખ, ફોર્મેટ અને સ્થળ સહિતની આ તમામ માહિતી એશિયા ક્રિકેટ કાઉન્સિલ બદલી પણ શકે છે.

ભારતને બીજી વખત યજમાન બનવાની તક મળી

તમને જણાવી દઈએ કે, એશિયા કપની શરૂઆત 1984માં થઈ હતી. આ ટુર્નામેન્ટની અત્યાર સુધી 16 એડિશન રમાઈ છે. પરંતુ ભારતે માત્ર એક જ વખત એશિયા કપની યજમાની કરી છે. ભારતે 1990/91 એશિયા કપની યજમાની કરી હતી, જ્યારે ભારતે ટૂર્નામેન્ટ જીતી હતી. આવી સ્થિતિમાં 2025 એશિયા કપ ખૂબ જ ખાસ બની રહ્યો છે. આ ટૂર્નામેન્ટ 34 વર્ષ બાદ ભારતમાં રમાશે.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. ભારત અત્યાર સુધીમાં 8 વખત એશિયા કપ ટાઈટલ જીત્યું છે. જ્યારે શ્રીલંકા 6 ટાઈટલ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ માત્ર બે વખત એશિયા કપની ચેમ્પિયન બની શકી છે. છેલ્લો એશિયા કપ પણ ભારતના નામે હતો. જ્યાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકરના ટેટૂનું શું છે રહસ્ય? જેણે તેને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા આપી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">