IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાંથી જસપ્રીત બુમરાહ બહાર, મોહમ્મદ સિરાજનો કરાયો સમાવેશ
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj ) ને તક આપવામાં આવી છે.
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને તક આપવામાં આવી છે. BCCI એ શુક્રવારે આ અંગે જાહેરાત કરી. સિરાજ દક્ષિણ આફ્રિકા સામેની બાકીની 2 T20 મેચમાં જોવા મળશે. બીજી મેચ ગુવાહાટીમાં અને ત્રીજી મેચ ઈન્દોરમાં રમાશે. બુમરાહે સિરીઝની શરૂઆત પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
હવે BCCIની મેડિકલ ટીમ જસપ્રીત બુમરાહની ઈજા પર નજર રાખી રહી છે. બુમરાહ પીઠના સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. એવા પણ સમાચાર છે કે તે T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે. તેને ત્રીજી વખત સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે.
બુમરાહને પરત ફરવામાં લાંબો સમય વિતી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહને સાજા થવામાં 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. બુમરાહ પહેલા પણ આ ઈજા સાથે સંઘર્ષ કરી ચુક્યો છે અને ફરી એકવાર તેના સ્ટ્રેસ ફ્રેક્ચરે ભારત માટે મુશ્કેલી ઊભી કરી છે. ભારતના સ્ટાર બોલરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં લાંબા આરામ બાદ પુનરાગમન કર્યું હતુ.
🚨 NEWS 🚨: Mohd. Siraj replaces injured Jasprit Bumrah in T20I squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/o1HvH9XqcI
— BCCI (@BCCI) September 30, 2022
બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ આરામ પર હતો
વાસ્તવમાં, બુમરાહ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફર્યા બાદ બે મહિનાના આરામ પર હતો. તેણે ઈજામાંથી બહાર આવવા માટે એનસીએમાં પણ સમય વિતાવ્યો હતો. આ પછી તે આ જ મહિનામાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી20 મેચમાં મેદાનમાં પાછો ફર્યો હતો, પરંતુ 2 મેચ રમ્યા બાદ તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો.
સિરાજે અંતિમ ટી20 મેચ ગત ફેબ્રુઆરીમાં રમી હતી
સિરાજની વાત કરીએ તો ભારત માટે તેની છેલ્લી T20 મેચ 27 ફેબ્રુઆરી 2022 ના રોજ શ્રીલંકા સામે હતી. ત્યારથી તે ટી-20 ટીમમાંથી પણ બહાર હતો. ભારત માટે 5 ટી20 મેચ રમનાર સિરાજને પહેલાથી જ બુમરાહના વિકલ્પ તરીકે ગણવામાં આવી રહ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની શરૂઆતથી જ પસંદગીકારોએ બુમરાહના સ્થાને કામ શરૂ કરવા માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા હતો.