IND vs NZ : ન્યુઝીલેન્ડને હરાવીને નંબર વન બનવા ઉતરશે ભારત, આજે ઈન્દોરમાં થશે ટક્કર

IND Vs NZ Match Preview: ભારતીય ટીમે બે મેચ જીતીને જીત માટેની લીડ મેળવી લીધી છે અને હવે તે ત્રીજી મેચમાં ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે.

IND vs NZ : ન્યુઝીલેન્ડને હરાવીને નંબર વન બનવા ઉતરશે ભારત, આજે ઈન્દોરમાં થશે ટક્કર
ન્યુઝીલેન્ડને હરાવીને નંબર વન બનવા ઉતરશે ભારતImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 12:09 PM

ભારતીય ક્રિકેટ ટીમ આજે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ઉતરશે ત્યારે તે ત્રીજી મેચમાં પણ ન્યુઝીલેન્ડને હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝ 3-0થી જીતવાનો પ્રયાસ કરશે. આ સતત બીજી વનડે સિરીઝ હશે જેમાં ટીમ ઈન્ડિયા આ સ્કોર લાઈન સાથે જીતશે. આ સિરીઝ પહેલા ભારતે શ્રીલંકાને વનડે સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. હાલની સિરીઝની પ્રથમ બે મેચ જીતીને ટીમ ઈન્ડિયામાં આત્મવિશ્વાસની કોઈ કમી નથી. ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે ટીમનો મિડલ ઓર્ડર વધુ સારું પ્રદર્શન કરે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ટીમ ઈન્ડિયા પહેલા જ સીરિઝ જીતી ચૂકી છે અને તેથી જ ભારત આ મેચમાં પોતાની બોલિંગમાં થોડો ફેરફાર કરી શકે છે. ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. તેણે પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી અને બીજી લો સ્કોરિંગ મેચમાં 40 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ સારી શરૂઆત કરી છે અને તે તેને મોટા સ્કોરમાં ફેરવવા માંગશે.

આ ખેલાડીઓએ પોતાની તાકાત બતાવવી પડશે

ભારતીય ટીમ સારી રીતે જાણતી હશે કે સિરીઝમાં 2-0ની અજેય લીડ હોવા છતાં, અત્યાર સુધી માત્ર ગિલ અને રોહિત જ રન બનાવી શક્યા છે. એ પણ હકીકત છે કે અન્ય બેટ્સમેનોને પૂરતી તકો મળી નથી, તેથી ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને મેચની સ્થિતિમાં બેટિંગ પ્રેક્ટિસ કરવાની સારી તક મળશે.

ઉમરાન-ચહલને મળશે તક!

બોલિંગ વિભાગમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે અને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને ટીમમાં રાખવામાં આવી શકે છે. ભારતીય બોલરોએ પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને છ વિકેટે 131 રનમાં આઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડને 300થી વધુ રન બનાવવાની તક આપી હતી પરંતુ રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને હાર્દિકે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે જ્યારે સ્પિનરોએ પણ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી છે.

ન્યુઝીલેન્ડ લાજ બચાવશે !

ન્યુઝીલેન્ડ આ મેચ જીતીને ભારતને ક્લીનસ્વીપ કરતા રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે અને ટી-20 સિરીઝ પહેલા તેનું મનોબળ વધારવા માંગશે. ન્યૂઝીલેન્ડને બેટિંગમાં પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનની ખોટ છે. ન્યૂઝીલેન્ડના ટોચના છ બેટ્સમેનોએ છેલ્લી 30 ઇનિંગ્સમાં માત્ર સાત વખત 40 કે તેથી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી માત્ર માઈકલ બ્રેસવેલ જ તેમના બેટિંગ ક્રમમાં પ્રભાવ પાડી શક્યા છે. તેના સિવાય સેન્ટનેરે પણ હૈદરાબાદમાં પ્રથમ મેચમાં સારી બેટિંગ કરી હતી. હોલકર સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે અને અહીં બોલરોએ બેટ્સમેનોને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડશે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">