AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens World Cup 2022: 4 મેચ બાદ ટીમ ઇન્ડિયાની સ્થિતી મુશ્કેલ, સેમીફાઇનલમાં કેવી રીતે પહોંચી શકાશે, જાણો પુરુ ગણિત

ઈંગ્લેન્ડ સામેની મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India) હવે મુશ્કેલીમાં છે, ભારતીય ટીમની હવે ત્રણ મેચ બાકી છે, જેમાંથી બે મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે રમવાની છે.

Womens World Cup 2022: 4 મેચ બાદ ટીમ ઇન્ડિયાની સ્થિતી મુશ્કેલ, સેમીફાઇનલમાં કેવી રીતે પહોંચી શકાશે, જાણો પુરુ ગણિત
Team India એ હજુ ત્રણ મેચ રમવાની છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 8:14 AM
Share

મહિલા વિશ્વ કપ 2022 (Womens World Cup 2022) માં, ભારતીય ટીમ (Team India) બુધવારે ઇંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. માઉન્ટ મૌંગાનુઈના મેદાન પર ટીમ ઈન્ડિયા માત્ર 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જ્યારે ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ જીત નોંધાવી હતી, જ્યારે ભારત ચારમાંથી બે મેચ હારી ગયું છે. ઈંગ્લેન્ડ (England) સામેની મેચ હારવી ટીમ ઈન્ડિયા માટે ભારે પડી શકે છે. કારણ કે ટીમ ઈન્ડિયા પાસે હજુ ત્રણ વધુ લીગ મેચો બાકી છે પરંતુ સમસ્યા એ છે કે તેની બે મેચ ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમોમાંથી થવાની છે. જો ભારતીય ટીમે આઉટ ઓફ ફોર્મ ઇંગ્લેન્ડને હરાવ્યું હોત તો સેમિફાઇનલમાં પહોંચવાનો તેનો દાવો મજબૂત બન્યો હોત.

ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં પહોંચવા માટે શા માટે સંઘર્ષ કરવો પડી શકે છે તે પહેલા પોઈન્ટ ટેબલની સ્થિતિ જાણવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયા 4 માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી તેની ત્રણેય મેચ જીતી છે, તે બીજા સ્થાને છે. ભારતીય ટીમ 2 મેચમાં 4 પોઈન્ટ અને +0.632ના સારા રન રેટને કારણે ત્રીજા સ્થાને છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના પણ 4-4 પોઈન્ટ છે અને આ બંને ટીમો ચોથા અને પાંચમા સ્થાને છે.

ભારતીય ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે શું કરવું પડશે?

ભારતીય ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે શ્રેષ્ઠ ક્રિકેટ રમવું જરૂરી છે. આદર્શ સ્થિતિ એ છે કે તે તેની બાકીની ત્રણ મેચ જીતે જેથી તેને 10 પોઈન્ટ મળે. પરંતુ જો આવું ન થાય તો તેણે ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે અને નેટ રન રેટનું પણ ધ્યાન રાખવું પડશે. જો કે, અહીં મુશ્કેલી એ છે કે ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે, જે હજુ પણ અજેય છે. આ પછી તેને નબળા બાંગ્લાદેશનો સામનો કરવો પડશે પરંતુ છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આવી સ્થિતિમાં ભારત માટે બે મેચો પડકારજનક છે અને જો તે બંનેમાં હારશે તો સેમીફાઈનલમાં પહોંચવાની તેની આશા ઠગારી નીવડી શકે છે.

ન્યૂઝીલેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ માટે મોટો ખતરો છે

ન્યુઝીલેન્ડની પણ 3 મેચ બાકી છે. તેણે આગામી મેચોમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનનો સામનો કરવાનો છે. દક્ષિણ આફ્રિકા તેને પડકાર આપી શકે છે પરંતુ તે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવી શકે છે. ઈંગ્લેન્ડની ટીમ નિશ્ચિતપણે મજબૂત છે પરંતુ તેની લય ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

વેસ્ટ ઈન્ડિઝની પણ ત્રણ મેચ બાકી છે જેમાંથી બે મેચ તેના માટે આસાન કહી શકાય. વિન્ડીઝનો મુકાબલો બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો છે જે આ ટુર્નામેન્ટમાં સૌથી નબળી ટીમોમાંથી એક છે. જો તે આ બે મેચ મોટા માર્જિનથી જીતશે તો તેનો નેટ રન રેટ વધુ સારો રહેશે. બીજી તરફ, જો તે દક્ષિણ આફ્રિકા સામે હારશે તો પણ ટીમ ભારતથી ઉપર રહી શકે છે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો તેણે પોતાની ત્રણેય મેચ જીતવી પડશે, તો જ તે 8 પોઈન્ટ સુધી પહોંચી શકશે. જો ઈંગ્લેન્ડ આ સિદ્ધિ હાંસલ કરશે તો સેમીફાઈનલની ટીમો નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ All England Badminton Championship: પ્રણોય, સમીર વર્મા પહેલા રાઉન્ડમાં હાર્યા, આ જોડીએ જીતથી શરૂઆત કરી

આ પણ વાંચો: ISL: હૈદરાબાદે હારીને પણ ફાઇનલમાં બનાવ્યુ સ્થાન, પ્રથમવાર ટાઇટલ માટે જંગ ખેલશે, એટીકે મોહન બાગાનની છાવણી નિરાશ

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">