AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: રોહિત શર્માએ કેપ્ટનશીપમાં રચ્યો વિશ્વ વિક્રમ, શ્રીલંકાને T20 મેચમાં હરાવતા જ હાંસલ કરી ઉપલબ્ધી

લખનૌમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20 એ ઘરઆંગણે રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાની હેઠળ રમાયેલી 16મી T20 હતી.

IND vs SL: રોહિત શર્માએ કેપ્ટનશીપમાં રચ્યો વિશ્વ વિક્રમ, શ્રીલંકાને T20 મેચમાં હરાવતા જ હાંસલ કરી ઉપલબ્ધી
Rohit Sharma એ કેપ્ટનશિપના મામલે સિદ્ધિ મેળવી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:56 AM
Share

T20 ઈન્ટરનેશનલમાં ભારત જીતના રથ પર સવાર છે. આ રથનો નવો સારથિ રોહિત શર્મા (Rohit Sharma) એટલે કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે, જેણે હવે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેપ્ટનશિપના મામલે તેણે આ સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માએ લખનૌમાં શ્રીલંકા (India Vs Sri Lanka) સામે રમાયેલી પ્રથમ T20 જીતતાની સાથે જ આ મોટી સફળતા મેળવી હતી. ભારતે (Indian Cricket Team) સિરીઝની પ્રથમ T20માં શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ઈનિંગ્સ 137 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમ 3 મેચની ટી-20 શ્રેણી માં 1-0 ની લીડ મેળવવામાં સફળ રહી છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્માના નામ સાથે કયો વર્લ્ડ રેકોર્ડ જોડાયેલો છે. તો આ વર્લ્ડ રેકોર્ડ હોમ પિચ પર સૌથી વધુ મેચ જીતવા સાથે સંબંધિત છે. મતલબ કે ઘરઆંગણે T20માં સૌથી સફળ કેપ્ટન કોણ છે? અને, હવે જવાબ છે રોહિત શર્મા.

રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

લખનૌમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20 એ ઘરઆંગણે રોહિત શર્માની કપ્તાની હેઠળ રમાયેલી 16મી T20 હતી. આ 16 T20માં ભારતે 15માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે લખનૌમાં શ્રીલંકા સામેની જીત 15મી જીત હતી.

રોહિત શર્માની જેમ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન અને કેન વિલિયમસનની પણ પોતાની ધરતી પર 15 જીત નોંધાવી ચુક્યા છે. પરંતુ, તેમણે તેના માટે રોહિત કરતાં વધુ મેચ રમી છે. જ્યાં મોર્ગને 25 મેચમાં 15 જીત નોંધાવી છે. જ્યારે વિલિયમસને 30 મેચમાં 15 જીત મેળવી છે.

રોહિતની કપ્તાનીમાં ભારતે 22 મેચ જીતી

રોહિત શર્માએ અત્યાર સુધીની તમામ 26 T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. ભારતે આ 26માંથી 22 મેચ જીતી છે. રોહિતના નેતૃત્વમાં શ્રીલંકા સામે ભારતની આ 5મી જીત હતી, જે તેણે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં નોંધાવી હતી. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ 6 જીત નોંધાવી છે. આ સિવાય બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે 5-5 મેચ જીતી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે 1 T20 જીતી હતી.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પાનો પ્રભાવ જારી, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂનના અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચોઃ IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">