IND vs SL: રોહિત શર્માએ કેપ્ટનશીપમાં રચ્યો વિશ્વ વિક્રમ, શ્રીલંકાને T20 મેચમાં હરાવતા જ હાંસલ કરી ઉપલબ્ધી

લખનૌમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20 એ ઘરઆંગણે રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાની હેઠળ રમાયેલી 16મી T20 હતી.

IND vs SL: રોહિત શર્માએ કેપ્ટનશીપમાં રચ્યો વિશ્વ વિક્રમ, શ્રીલંકાને T20 મેચમાં હરાવતા જ હાંસલ કરી ઉપલબ્ધી
Rohit Sharma એ કેપ્ટનશિપના મામલે સિદ્ધિ મેળવી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:56 AM

T20 ઈન્ટરનેશનલમાં ભારત જીતના રથ પર સવાર છે. આ રથનો નવો સારથિ રોહિત શર્મા (Rohit Sharma) એટલે કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે, જેણે હવે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેપ્ટનશિપના મામલે તેણે આ સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માએ લખનૌમાં શ્રીલંકા (India Vs Sri Lanka) સામે રમાયેલી પ્રથમ T20 જીતતાની સાથે જ આ મોટી સફળતા મેળવી હતી. ભારતે (Indian Cricket Team) સિરીઝની પ્રથમ T20માં શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ઈનિંગ્સ 137 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમ 3 મેચની ટી-20 શ્રેણી માં 1-0 ની લીડ મેળવવામાં સફળ રહી છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્માના નામ સાથે કયો વર્લ્ડ રેકોર્ડ જોડાયેલો છે. તો આ વર્લ્ડ રેકોર્ડ હોમ પિચ પર સૌથી વધુ મેચ જીતવા સાથે સંબંધિત છે. મતલબ કે ઘરઆંગણે T20માં સૌથી સફળ કેપ્ટન કોણ છે? અને, હવે જવાબ છે રોહિત શર્મા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

લખનૌમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20 એ ઘરઆંગણે રોહિત શર્માની કપ્તાની હેઠળ રમાયેલી 16મી T20 હતી. આ 16 T20માં ભારતે 15માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે લખનૌમાં શ્રીલંકા સામેની જીત 15મી જીત હતી.

રોહિત શર્માની જેમ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન અને કેન વિલિયમસનની પણ પોતાની ધરતી પર 15 જીત નોંધાવી ચુક્યા છે. પરંતુ, તેમણે તેના માટે રોહિત કરતાં વધુ મેચ રમી છે. જ્યાં મોર્ગને 25 મેચમાં 15 જીત નોંધાવી છે. જ્યારે વિલિયમસને 30 મેચમાં 15 જીત મેળવી છે.

રોહિતની કપ્તાનીમાં ભારતે 22 મેચ જીતી

રોહિત શર્માએ અત્યાર સુધીની તમામ 26 T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. ભારતે આ 26માંથી 22 મેચ જીતી છે. રોહિતના નેતૃત્વમાં શ્રીલંકા સામે ભારતની આ 5મી જીત હતી, જે તેણે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં નોંધાવી હતી. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ 6 જીત નોંધાવી છે. આ સિવાય બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે 5-5 મેચ જીતી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે 1 T20 જીતી હતી.

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પાનો પ્રભાવ જારી, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂનના અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચોઃ IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">