IND vs SL: ગૌતમ ગંભીર-રોહિત શર્માએ રિષભ પંતને ટીમમાંથી કેમ કર્યો બહાર ? મળી ગયો જવાબ

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે કોલંબોમાં રમાઈ રહી છે અને આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી. તેની જગ્યાએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આવું કરવા પાછળ એક મોટું કારણ જવાબદાર છે.

IND vs SL: ગૌતમ ગંભીર-રોહિત શર્માએ રિષભ પંતને ટીમમાંથી કેમ કર્યો બહાર ? મળી ગયો જવાબ
Gautam Gambhir, Rohit Sharma & Rishabh Pant
Follow Us:
| Updated on: Aug 02, 2024 | 5:29 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે કોલંબોમાં રમાઈ રહી છે અને આ મેચમાં ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક એવો નિર્ણય લીધો, જેણે બધાને ચોંકાવી દીધા. વાસ્તવમાં રોહિત શર્માએ રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું ન હતું. તેની જગ્યાએ કેએલ રાહુલને વિકેટકીપર તરીકે તક આપવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે પંત વનડે ટીમમાં પાછો ફરશે કારણ કે તે ડાબોડી બેટ્સમેન છે અને તે એક નિષ્ણાત વિકેટકીપર પણ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલની સાથે ગયું.

પંતને બહાર રાખવાનું કારણ શું?

રિષભ પંતને બાકાત રાખવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ શક્ય છે કે મધ્યક્રમમાં ઘણા બધા ડાબા હાથના બેટ્સમેનોની હાજરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોય. વાસ્તવમાં, ભારતીય મિડલ ઓર્ડરમાં શિવમ દુબે, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જે તમામ ડાબા હાથના બેટ્સમેન છે. આવી સ્થિતિમાં જો પંત પણ મિડલ ઓર્ડરમાં હોત તો ટીમ ઈન્ડિયાનું સંતુલન થોડું બગડી શકે તેમ હતું.

કેએલ રાહુલને શા માટે તક આપવામાં આવી?

કેએલ રાહુલ IPL બાદથી ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી. તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું અને હવે આ ખેલાડીને ODI ફોર્મેટમાં તક આપવી નિશ્ચિત માનવામાં આવી રહી હતી. કેએલ રાહુલનો ODI ફોર્મેટમાં અને પાંચમા નંબર પર રેકોર્ડ સારો છે. આ ઉપરાંત તેની વિકેટકીપિંગ પણ સારી છે જે તે સાબિત કરી ચૂક્યો છે. આ જ કારણ છે કે ગંભીર અને રોહિતે કેએલ રાહુલ ને તક આપી. જોકે, શિવમ દુબેને 2019 પછી પહેલીવાર ટીમ ઈન્ડિયાની વનડે ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી અને શ્રેયસ અય્યર પણ લગભગ 9 મહિના પછી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ભારતની પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો: Paris Olympics 2024: AC રૂમમાં યોજાય છે શૂટિંગ ગેમ્સ, છતાં પરસેવે રેબઝેબ થઈ જાય છે શૂટર્સ, જાણો કેમ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">