IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડીયાના કેપ્ટન તરીકે પસંદ કરાતા ‘ગબ્બર’ ખુશ, આપ્યો આવો પ્રતિભાવ
જૂલાઇ માસમાં શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) પહોંચશે. નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઇંગ્લેંડ પ્રવાસે વ્યસ્ત છે. કોહલીની ગેરહાજરીમાં મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શિખર ધવન (Shikhar Dhawan) ની પસંદગી કરવામાં આવી છે.

IND vs SL: ભારતીય ક્રિકેટની બે ટીમો એક જ સમયે બે દેશના પ્રવાસે હશે. એક ટીમ પહેલા થી જ ગત 2 જૂન થી ઇંગ્લેંડ પ્રવાસે (England Tour) પહોંચી ચુકી છે. ત્યાર બાદ હવે બીજી ટીમ જૂલાઇ માસમાં શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) પહોંચશે. નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઇંગ્લેંડ પ્રવાસે વ્યસ્ત છે.
કોહલીની ગેરહાજરીમાં મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શિખર ધવન (Shikhar Dhawan) ની પસંદગી કરવામાં આવી છે. શિખર ધવને પોતાને કેપ્ટનશીપ સોંપવાને લઇને પોતાની ભાવનાઓને સોશિયલ મીડિયાથી પ્રદર્શિત કરી હતી.
શિખર ધવનને પ્રથમ વાર ભારતીય ટીમમાં કેપ્ટનશીપની ભૂમિકા નિભાવવાનો મોકો મળ્યો છે. શ્રીલંકા પ્રવાસ માટે BCCI એ પસંદ કરેલી ટીમની આગેવાની ધવનને સોંપી છે. આમ શિખર ધવનની આગેવાનીમાં ટીમ ઇન્ડીયા આગામી જૂલાઇ માસમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. શિખર ધવને પોતાને મળેલી જવાબદારીને લઇને ટ્વવીટ કરીને ભાર માન્યો હતો. તેણે લખ્યુ હતુ કે, પોતાના દેશનુ નેતૃત્વ કરવાની તક પહેલી વાર મળી છે, જેના માટે હું આભારી છુ.
Humbled by the opportunity to lead my country 🇮🇳 Thank you for all your wishes 🙏 pic.twitter.com/SbywALBTwZ
— Shikhar Dhawan (@SDhawan25) June 11, 2021
શિખર ધવને અત્યાર સુધીમં ભારત માટે 34 ટેસ્ટ મેચ, 142 વન ડે અને 65 ટી20 મેચ રમી છે. શિખર ધવન હાલમાં શાનદાર ફોર્મમાં પસાર થઇ રહ્યો છે. આઇપીએલ 2021 દરમ્યાન પણ ધવને શાનદાર દેખાવ કર્યો હતો. ધવને આઇપીએલ સ્થગીત થવા સુધીમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવ્યા હતા.
શ્રીલંકા પ્રવાસની પ્રથમ વન ડે મેચ 13 જૂલાઇએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડીયમમાં રમાનારી છે. જ્યાં ભારતીય ટીમ 3 વન ડે મેચની સિરીઝ રમશે. ત્યાર બાદ ભારતીય ટીમ 3 ટી20 મેચોની શ્રેણી રમનાર છે. જે શ્રેણી 21 જૂલાઇ થી શરુ થશે.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમમાં 20 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં મોટે ભાગે નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. ચેતન સાકરીયા, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, નિતીશ રાણા નો સમાવેશ થયો છે. સાથે મનિષ પાંડે પણ પરત ફર્યો છે.