IND vs SA: રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સહિત આ 4 સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત, દક્ષિણ આફ્રિકા જવુ મુશ્કેલ!

ટીમ ઈન્ડિયા (Team India) ના ઓછામાં ઓછા ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને તેમને સાજા થવામાં સમય લાગશે. જેના કારણે આ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસ પર જઈ શકશે નહીં.

IND vs SA: રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સહિત આ 4 સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત, દક્ષિણ આફ્રિકા જવુ મુશ્કેલ!
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 12:28 PM

ભારતે હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (India Tour Of South Africa) જવાનું છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત થવાની છે. પરંતુ ઘણા ખેલાડીઓની ઈજાના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. અહેવાલ છે કે ઓછામાં ઓછા ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે. જેના કારણે આ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જઈ શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), અક્ષર પટેલ (Axar Patel) અને શુભમન ગિલ (Shubman Gill) નો સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ ચારેય ખેલાડીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં થોડાક મહિના લાગી શકે છે. રવિન્દ્ર જાડેજા અને ઈશાંત ઈજાના કારણે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ રમી શક્યા ન હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાડેજાને લિગામેન્ટ ટિયર થઇ જવાથી પીડાઈ રહ્યો છે. બીજી તરફ ઈશાંતની આંગળી ડિસલોકેટ થઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયા માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ઈશાંત કરતાં રવિન્દ્ર જાડેજાની ઈજાના વધુ ખરાબ સમાચાર છે. ટીમ ઈન્ડિયા પાસે ઈશાંતના વિકલ્પ તરીકે ખેલાડીઓ છે, પરંતુ જાડેજાના વિકલ્પનો અભાવ છે. કારણ કે ડાબોડી સ્પિનર ​​અને બેટ્સમેન અક્ષર પટેલ પણ ફિટ નથી. તે સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. આ કારણે હવે પસંદગીકારો સમક્ષ સમસ્યા એ છે કે આ બંનેના વિકલ્પ તરીકે કોઈ નથી. આર અશ્વિન દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતનો મુખ્ય સ્પિનર ​​હશે. જો કે ત્યાં બે સ્પિનરોની જગ્યા નથી, પરંતુ જાડેજા અને અક્ષર બેટ સાથે પણ સારું યોગદાન આપે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાડેજા-અક્ષરનું સ્થાન કોણ લેશે?

રિપોર્ટ મુજબ જાડેજાના લિગામેન્ટ ટિયર થવાથી સાજા થતા થોડાક મહિનાઓ લાગશે. જો તેની સર્જરી થશે તો તે આઈપીએલની આસપાસ જ સાજો થઈ શકશે. અક્ષર પટેલ વિશે વાત કરીએ તો, તેનો પ્રારંભિક તપાસ રિપોર્ટ સાજા થવામાં ઓછામાં ઓછા છ અઠવાડિયા (દોઢ મહિના)નો સમય લાગશે. પસંદગીકારો મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા પછી જ દક્ષિણ આફ્રિકા જવાનો નિર્ણય લેશે.

એવું માનવામાં આવે છે કે જો પટેલ અને જાડેજા બંને ઉપલબ્ધ ન હોય તો શાહબાઝ નદીમ અને સૌરભ કુમારને પસંદ કરી શકાય છે. સૌરભ કુમાર હાલમાં ભારત A ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે.

ગિલને પગમાં ઈજાની સમસ્યા

એવું માનવામાં આવે છે કે પસંદગીકારો શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા મોકલવા અંગે પણ મક્કમ નથી. ગિલના પગની ઈજા ફરી સામે આવી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. જે બાદ પ્રવાસને પડતો મૂકવો પડ્યો હતો. આ સિવાય મુંબઈ ટેસ્ટમાં તેના ડાબા હાથને પણ ઈજા થઈ હતી. તે પછી તેણે મેદાન માર્યું ન હતું. ઈશાંત શર્માની વાત કરીએ તો તેની આંગળીમાં ઈજા થઈ છે. સાથે બગલમાં ખેંચાણ છે. આ કારણે, તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે.

આ પણ વાંચોઃ IND VS SA: દક્ષિણ આફ્રિકા પ્રવાસ અજિંક્ય રહાણે માટે આખરી મોકો ! 20 ખેલાડીઓની પસંદ કરાશે ટીમ, જાણો કોણ કોણ છે દાવેદાર?

આ પણ વાંચોઃ Kane Williamson: ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ક્રિકેટમાં પરત ફરવાને લઇને કોચે આપ્યુ અપડેટ, કોણીની ઇજાને લઇ કિવી સુકાની પરેશાન

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">