IND VS SA: દક્ષિણ આફ્રિકા પ્રવાસ અજિંક્ય રહાણે માટે આખરી મોકો ! 20 ખેલાડીઓની પસંદ કરાશે ટીમ, જાણો કોણ કોણ છે દાવેદાર?

ટીમ ઈન્ડિયા (Tema India) એ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. ભારતીય ટીમની જાહેરાત બુધવારે થઈ શકે છે.

IND VS SA: દક્ષિણ આફ્રિકા પ્રવાસ અજિંક્ય રહાણે માટે આખરી મોકો ! 20 ખેલાડીઓની પસંદ કરાશે ટીમ, જાણો કોણ કોણ છે દાવેદાર?
Rahane-Ashwin-Axar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:25 AM

ભારતનો દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને તે પહેલા આ શ્રેણીમાં કયા ખેલાડીઓને રમવાની તક મળશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. સમાચાર અનુસાર ભારતીય ટેસ્ટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત બુધવારે કરવામાં આવશે અને મોટા સમાચાર એ છે કે આ ટીમમાં અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ને જગ્યા મળશે. જોકે, અજિંક્ય રહાણેની વાઈસ કેપ્ટનશિપ અંગે હજુ સુધી કંઈ નક્કી થયું નથી.

અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટેની ટીમની જાહેરાત બાદમાં કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ 19 જાન્યુઆરીથી વનડે શ્રેણી રમશે અને એવા અહેવાલો છે કે કેપ્ટનશીપની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ને આપવામાં આવી શકે છે.

મોટા સમાચાર એ છે કે રહાણેને ટીમમાં સ્થાન મળશે પરંતુ તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં રહેવું મુશ્કેલ છે. રહાણે છેલ્લી 12 મેચોમાં સતત નિષ્ફળ રહ્યો હતો અને મુંબઈ ટેસ્ટમાં તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, જોકે તેનું કારણ ઈજા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો રહાણેને વાઈસ કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવે છે તો આ જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જો કે, ટીમ ઈન્ડિયાના અન્ય એક સિનિયર ખેલાડી ઈશાંત શર્માને પણ ટેસ્ટ ટીમમાંથી કટ કરવામાં આવી શકે છે. ઈશાંત શર્મા ફિટ નથી અને તેનું ફોર્મ પણ ખરાબ છે. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ કૃષ્ણા અથવા આવેશ ખાન બોલરમાંથી કોઈ એકને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમમાં જગ્યા મળી શકે છે.

મિડલ ઓર્ડરમાં વાપસી થશે હનુમા વિહારી!

પીટીઆઈના સમાચાર મુજબ શ્રેયસ અય્યર અને શુભમન ગિલ બંનેને ટીમમાં જગ્યા મળશે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા-A સામે બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી રમી રહેલા હનુમા વિહારી પણ ટીમમાં વાપસી કરશે. ઉપરાંત, પ્રિયંક પંચાલ અને અભિમન્યુ ઇશ્વરનમાંથી એક ચેતેશ્વર પૂજારાના બેકઅપ તરીકે ટીમમાં સ્થાન મેળવી શકે છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની સંભવિત ભારતીય ટીમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, ઋષભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, ઉમેશ, યાદવ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, આવેશ ખાન/દીપક ચાહર, રિદ્ધિમાન સાહા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, હનુમા વિહારી, અભિમન્યુ ઇશ્વરન/પ્રિયાંક પંચાલ અને જયંત યાદવ.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ને કારણે 4 મેચની T20 સિરીઝ સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ AUD vs ENG: બેન સ્ટોક્સ બ્રેક બાદ એશિઝ સિરીઝ સાથે પરત ફર્યો પરંતુ જમાવટ ના કરી શક્યો, ફીકી રહી આરામ બાદની શરુઆત

આ પણ વાંચોઃ Kane Williamson: ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ક્રિકેટમાં પરત ફરવાને લઇને કોચે આપ્યુ અપડેટ, કોણીની ઇજાને લઇ કિવી સુકાની પરેશાન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">